![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Janmashtami 2022 : ગોંડલના લોક મેળામાં ચાલુ રાઇડે યુવક નીચે પટકાયો
રાજકોટ જિલ્લાના ગોંડલનો લોકમેળો શોક મેળો બન્યો છે. રાજકોટ ગોંડલના લોક મેળામાં બની વધુ એક દુર્ઘટના ઘટી છે. રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો. લાલજીભાઈ મકવાણા વાછરા ગામેથી મેળો કરવા આવ્યા હતા.
![Janmashtami 2022 : ગોંડલના લોક મેળામાં ચાલુ રાઇડે યુવક નીચે પટકાયો Janmashtami 2022 : A youngster collapse from ride in Gondal mela Janmashtami 2022 : ગોંડલના લોક મેળામાં ચાલુ રાઇડે યુવક નીચે પટકાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/21424336c6fd8c7eae23e473b9fa2324166087967637473_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ રાજકોટ જિલ્લાના ગોંડલનો લોકમેળો શોક મેળો બન્યો છે. રાજકોટ ગોંડલના લોક મેળામાં બની વધુ એક દુર્ઘટના ઘટી છે. રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો. લાલજીભાઈ મકવાણા વાછરા ગામેથી મેળો કરવા આવ્યા હતા. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ગોંડલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો. વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં માં આવ્યો. ગઈ કાલ રાત્રે જ મેળામાં શોર્ટ લાગતા ફાયરના કર્મચારી સહિત બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.
જન્માષ્ટમી નિમિત્તે રાજકોટના ગોંડલમાં યોજાયેલા લોકમેળામાં વીજકરંટ લાગતા બે વ્યક્તિના મોત થયાના સમાચાર છે. ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ગોંડલ નગરપાલિકા સંચાલિત યોજાયેલ લોકમેળામાં 2 વ્યક્તિઓને વિજકરંટ લાગતા તેમના મોત થયા છે. મેળામાં એક વ્યક્તિને વીજ કરંટ લાગતા પાલિકા કર્મચારી બચાવવા જતા ફાયરના કર્મચારીને પણ વિજકરંટ લાગ્યો હતો. વિજકરંટ લાગતા બંને વ્યક્તિઓને ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન બંનેના મોત નિપજ્યા હતા.
પોરબંદરના મેળામાં રંગમાં પડ્યો ભંગ
કોરોનાને કારણે બે વર્ષથી બંધ જન્માષ્ટમીનો મેળો આ વર્ષે યોજાવાનો છે, ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ ખુશખુશાલ છે. જોકે, જન્માષ્ટમી સમયે જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે લોકોના રંગમાં ભંગ પડી શકે છે. પોરબદરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. છાયા વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. વરસાદને કારણે મેળાની અવદશા છે. પવન કારણે મેળાના સ્ટોલના મંડપ હવામાં ઉડ્યા હતા. અનેક સ્થળોએ મંડપ પડી ગયા છે. મેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. વરસાદને મેળાના રંગમાં ભંગ પડ્યો છે. મેળાના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
રાજકોટ મેળાની આવકમાંથી 51 લાખ મુખ્યમંત્રી રાહતકોષમાં અપાશે
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ કહ્યું કે, લોકમેળામાં સ્ટોલ વેંચી જે આવક થઈ છે તેમાંથી 51 લાખ મુખ્યમંત્રી રિલીફ ફંડમાં રૂપિયા આપવામાં આવશે. દિવસમાં બે વખત મિકેનિકલ ટીમ દ્વારા તમામ રાઈડ્સની ચકાસણી કરવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ લોકમેળામાં 1200 પોલીસનો બંદોબસ્ત રહેશે. CCTV અને 15 વોચ ટાવર પર થી વિડીયો ગ્રાફી થી નજર રાખવામાં આવશે.
તેમણે લોકોને અપીલ કરી છે કે, રોગચાળો વકર્યો હોવાથી વેકસીનના બે ડોઝ લીધા હોય તેવા લોકો જ આવે અથવા તો લોકમેળામાં વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે લોકોને શુદ્ધ પાણી પીવા અને સારો ખોરાક લેવા પણ અપીલ કરી છે. જેથી લોકોનું સ્વાસ્થ્ય ન બગડે. પોરબદરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. છાયા વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. વરસાદને કારણે મેળાની અવદશા છે. પવન કારણે મેળાના સ્ટોલના મંડપ હવામાં ઉડ્યા હતા. અનેક સ્થળોએ મંડપ પડી ગયા છે. મેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. વરસાદને મેળાના રંગમાં ભંગ પડ્યો છે. મેળાના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)