શોધખોળ કરો

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર શોભાયાત્રાની મંજૂરી, 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે

રાજકોટમાં જન્માષ્ટમીને લઈને પોલીસે 200 લોકોની મર્યાદામાં શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. શોભાયાત્રાને લઈને પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર શોભાયાત્રાની મંજૂરી, 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે

રાજકોટમાં જન્માષ્ટમીને લઈને પોલીસે 200 લોકોની મર્યાદામાં શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. શોભાયાત્રાને લઈને પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. શોભાયાત્રાના રૂટ પર 7 સંવેદનશીલ પોઈંટ નક્કી કરાયા છે. રાજકોટ જન્માષ્ટમી શોભાયાત્રાને લઈને પોલીસે પ્રેસ કોંફરન્સ કરી હતી.  શોભાયાત્રા દરમિયાન 1 હજાર 237 પોલીસ અધિકારી અને કર્મચારીને તૈનાત રહેશે. શોભાયાત્રા દરમિયાન 2 ડીસીપી, 8 એસીપી, 15 પોલીસ ઈંસ્પેકટર, 42 પોલીસ સબ ઈંસ્પેકટર, 8 મહિલા પીએસઆઈ ખડેપગે રહેશે. તો 441 પોલીસ જવાનો, 122 મહિલા પોલીસ, SRPની બે ટુકડી, 162 હોમગાર્ડ જવાન અને 331 જવાનો તૈનાત રહેશે.

ચાલુ વર્ષે રથયાત્રાનો રૂટ અડધી ટૂંકાવી દેવામાં આવી છે. આ ઉપરાંત અલગ- અલગ ધાબા પોઈંટ પણ રાખવામાં આવ્યા છે તો અલગ- અલગ ફરવાલાયક સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થાય તેની પણ તકેદારી રાખવાનો દાવો કરાયો છે. આ સાથે પોલીસે જનતાને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા અપીલ કરી છે.શોભાયાત્રામાં 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે.જેમાં2 DCP, 8 ACP,15 PI,42 PSI,8 મહિલા PSI રથયાત્રામાં ખડે પગે રહેશે.441 પોલિસ જવાનો, મહિલા પોલીસ 122, SRP ટુકડી 2,હોમગાર્ડ 162 TRB 331 જવાનો તૈનાત રહેશે. સરકારની ગાઈડલાઈન મુજબ 200 લોકોની મર્યાદામાં જ રથયાત્રા નીકળશે.રાજકોટ પોલીસે અપીલ કરી જન્માષ્ટમીનો તહેવાર લોકો સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી ઉજવણી કરે.

અમદાવાદમાં પણ જન્માષ્ટમીના પર્વને લઇને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. સુરક્ષા બંદોબસ્તમાં 13 DCP, 30ACP, 61PI, અને 200થી વધુ PSI રહેશે.જ્યારે 4500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 3000 જેટલા હોમગાર્ડ ખડેપગે રહેશે.જાહેર જગ્યાએ 19 SRP ટુકડી, BDDSની ટીમ ચેકીંગ કરશે.જન્માષ્ટમીના પર્વને લઈ ધાર્મિક આયોજનો કરનારાઓને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.

તે સિવાય અમદાવાદ સ્થિત ભાગવત વિદ્યાપીઠમાં પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મનો ઉત્સવ માત્ર મંદિરના મુખ્યા, ઋષિ કુમારો, ફુલ મંડળી અને નિત્ય સેવકો જ ઉપસ્થિત રહેશે. જન્માષ્ટમીના દિવસના દર્શનનો લાભ હરિભક્તો રાત્રીના સાડા નવ વાગ્યા સુધી લઈ શકશે. જોકે જન્મોત્સવ સમયે હરિભક્તો ઉપસ્થિત રહેશે નહીં. ફક્ત સોલા ભાગવતના ઋષિ કુમાર સહિતના હાજર રહેશે. જો કે કોરોના કાળમાં જન્માષ્ટમીની ઉજવણી કરવાની છે જેથી સરકારે આપેલી ગાઈડલાઈનનું ધ્યાન રાખીને આ વખતે ભીડ ન થાય તે માટે મંદિરમાં રેલિંગ વધારવામાં આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
રાજકોટ શહેર એડીશનલ પોલીસ કમિશનરનો ચાર્જ IPS ચૈતન્ય માંડલિકે સંભાળ્યો
રાજકોટ શહેર એડીશનલ પોલીસ કમિશનરનો ચાર્જ IPS ચૈતન્ય માંડલિકે સંભાળ્યો
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
તમે તમારા ઘરમાં કેટલા LPG સિલિન્ડર રાખી શકો છો? જાણી લો નિયમ
તમે તમારા ઘરમાં કેટલા LPG સિલિન્ડર રાખી શકો છો? જાણી લો નિયમ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
Embed widget