શોધખોળ કરો

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર શોભાયાત્રાની મંજૂરી, 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે

રાજકોટમાં જન્માષ્ટમીને લઈને પોલીસે 200 લોકોની મર્યાદામાં શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. શોભાયાત્રાને લઈને પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર શોભાયાત્રાની મંજૂરી, 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે

રાજકોટમાં જન્માષ્ટમીને લઈને પોલીસે 200 લોકોની મર્યાદામાં શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. શોભાયાત્રાને લઈને પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. શોભાયાત્રાના રૂટ પર 7 સંવેદનશીલ પોઈંટ નક્કી કરાયા છે. રાજકોટ જન્માષ્ટમી શોભાયાત્રાને લઈને પોલીસે પ્રેસ કોંફરન્સ કરી હતી.  શોભાયાત્રા દરમિયાન 1 હજાર 237 પોલીસ અધિકારી અને કર્મચારીને તૈનાત રહેશે. શોભાયાત્રા દરમિયાન 2 ડીસીપી, 8 એસીપી, 15 પોલીસ ઈંસ્પેકટર, 42 પોલીસ સબ ઈંસ્પેકટર, 8 મહિલા પીએસઆઈ ખડેપગે રહેશે. તો 441 પોલીસ જવાનો, 122 મહિલા પોલીસ, SRPની બે ટુકડી, 162 હોમગાર્ડ જવાન અને 331 જવાનો તૈનાત રહેશે.

ચાલુ વર્ષે રથયાત્રાનો રૂટ અડધી ટૂંકાવી દેવામાં આવી છે. આ ઉપરાંત અલગ- અલગ ધાબા પોઈંટ પણ રાખવામાં આવ્યા છે તો અલગ- અલગ ફરવાલાયક સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થાય તેની પણ તકેદારી રાખવાનો દાવો કરાયો છે. આ સાથે પોલીસે જનતાને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા અપીલ કરી છે.શોભાયાત્રામાં 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે.જેમાં2 DCP, 8 ACP,15 PI,42 PSI,8 મહિલા PSI રથયાત્રામાં ખડે પગે રહેશે.441 પોલિસ જવાનો, મહિલા પોલીસ 122, SRP ટુકડી 2,હોમગાર્ડ 162 TRB 331 જવાનો તૈનાત રહેશે. સરકારની ગાઈડલાઈન મુજબ 200 લોકોની મર્યાદામાં જ રથયાત્રા નીકળશે.રાજકોટ પોલીસે અપીલ કરી જન્માષ્ટમીનો તહેવાર લોકો સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી ઉજવણી કરે.

અમદાવાદમાં પણ જન્માષ્ટમીના પર્વને લઇને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. સુરક્ષા બંદોબસ્તમાં 13 DCP, 30ACP, 61PI, અને 200થી વધુ PSI રહેશે.જ્યારે 4500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 3000 જેટલા હોમગાર્ડ ખડેપગે રહેશે.જાહેર જગ્યાએ 19 SRP ટુકડી, BDDSની ટીમ ચેકીંગ કરશે.જન્માષ્ટમીના પર્વને લઈ ધાર્મિક આયોજનો કરનારાઓને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.

તે સિવાય અમદાવાદ સ્થિત ભાગવત વિદ્યાપીઠમાં પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મનો ઉત્સવ માત્ર મંદિરના મુખ્યા, ઋષિ કુમારો, ફુલ મંડળી અને નિત્ય સેવકો જ ઉપસ્થિત રહેશે. જન્માષ્ટમીના દિવસના દર્શનનો લાભ હરિભક્તો રાત્રીના સાડા નવ વાગ્યા સુધી લઈ શકશે. જોકે જન્મોત્સવ સમયે હરિભક્તો ઉપસ્થિત રહેશે નહીં. ફક્ત સોલા ભાગવતના ઋષિ કુમાર સહિતના હાજર રહેશે. જો કે કોરોના કાળમાં જન્માષ્ટમીની ઉજવણી કરવાની છે જેથી સરકારે આપેલી ગાઈડલાઈનનું ધ્યાન રાખીને આ વખતે ભીડ ન થાય તે માટે મંદિરમાં રેલિંગ વધારવામાં આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી
Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
Embed widget