શોધખોળ કરો

Rajkot Tragedy: રાજ્યભરમાં તપાસનો ધમધમાટ, 100થી વધુ ગેમ ઝૉન બંધ કરાયા, ફાયર NOC કે સેફ્ટી નથી ના હોવાનું ખુલ્યુ

Rajkot Tragedy: રાજકોટમાં શનિવારે બનેલી ગેમ ઝૉન અગ્નિ કાંડની ઘટના બાદ હવે રાજ્ય સરકારે મોટી એક્શન લીધી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં લાગેલી આગમાં 27 લોકો આગમાં ભડથૂ થઇ ગયા હતા

Rajkot Tragedy: રાજકોટમાં શનિવારે બનેલી ગેમ ઝૉન અગ્નિ કાંડની ઘટના બાદ હવે રાજ્ય સરકારે મોટી એક્શન લીધી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં લાગેલી આગમાં 27 લોકો આગમાં ભડથૂ થઇ ગયા હતા, અહીં કોઇપણ પ્રકારની સેફ્ટી કે ફાયર-એનઓસી ના હોવાની વાત સામે આવી હતી. જોકે, હવે આ મામલે સરકારે સમગ્ર ગુજરાતમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ તપાસ દરમિયાન હવે રાજ્યમાં ચાલતા 100થી વધુ ગેમ ઝૉનને બંધ કરાયા છે. હાલમાં આ મૃત્યુકાંડ મામલે પોલીસની સીટ તપાસ કરી રહી છે અને આ મામલે વધુ અપડેટ સામે આવી શકે છે. 

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં આગ લાગવાથી 27 લોકો મોતને ભેટ્યા છે, આ ઘટના પછી સરકાર પર દબાણ ઉભુ થયુ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના લોકો રાજકોટ પહોંચ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાના પડઘા ગુજરાત બહાર પણ પહોંચ્યા છે. હવે આ મામલે રાજ્ય સરકારે એક્શન લીધી છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝૉનમાં સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યુ છે, જેમાં નિયમોનું પાલન ના થતું હોય તેવા 100થી વધુ ગેમ ઝૉનને બંધ કરાયા છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તપાસમાં ખુલ્યુ છે કે, રાજ્યભરમાં 100થી વધુ ગેમ ઝૉન એવા છે જેની પાસે ફાયર NOC નથી. વડોદરાના તમામ 10 ગેમ ઝૉન આ તપાસ દરમિયાન બંધ કરી દેવાયા છે. એમ્યૂઝમેન્ટ પાર્ક, ફન પાર્ક પણ બંધ કરાયા છે. કમાટીબાગમાં જૉય ટ્રેન, બમ્પી રાઈડ્સ અને બે કાફેને બંધ કરાયા છે. 

તપાસમાં સામે આવ્યુ છે કે, 30 ટકાથી વધુ ગેમ ઝૉન પાસે ફાયર એનઓસી જ નથી. કેટલાક ગેમ ઝૉન તો 5 વર્ષથી મંજૂરી વિના ધમધમી રહ્યાં હતા. મોટાભાગના ગેમ ઝૉનમાં અગ્નિશામક ચીજવસ્તુઓનું પ્રમાણ વધુ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ દરવાજો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યુ છે. અમદાવાદમાં સરકારી ચોપડે 25 ગેમ ઝૉન નોંધાયા છે. 

'3100થી વધુ અગ્નિકાંડ, 3176ના મોત....' છેલ્લા પાંચ વર્ષના NCRBના ગુજરાતના આંકડા છે ચોંકાવનારા

ગુજરાતમાં આગની ઘટનાઓમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ સામે આવેલા NCRBના આંકડા પણ ચોંકાવનારા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ ગુજરાત સરકારને સવાલો કરીને ઘેરી છે. ગુજરાતમાં NCRBના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આગથી તાંડવ મચ્યુ છે, પાંચ વર્ષમાં લગભગ 31થી વધુ આગની ઘટનાઓ ઘટી છે જેમાં 3 હજારથી વધુ લોકો ભૂંજાયા હોવાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં અચાનક લાગેલી આગમાં અત્યાર સુધી 27 લોકોના મોત થયા છે, આ ઘટનામાં 6 લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. 

ટીઆરબી ગેમ ઝૉનના અગ્નિકાંડના પડઘા ગુજરાત બહાર પણ પડ્યા છે. આ ઘટનાને લઇને રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. હાલમાં જ ગુજરાત કોંગ્રેસે સરકારને આ મામલે ઘેરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ સરકાર સામે અગ્નિકાંડ અને સુરક્ષાના મુદ્દે સવાલો કર્યા છે. NCRBના તાજા આંકડા પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતાં અકસ્માતમાં 3176 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે. ગુજરાત રાજ્યમાં આગથી થતાં અકસ્માતમાં થતા મૃત્યુના આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાજનક છે. NCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018 થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 લોકોના મોત થયા છે. છેલ્લા 5 વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022 માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ ઘટી છે. આ બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તક્ષશિલા કાંડ સુરતથી લઇને ટીઆરપી ગેમિંગ ઝૉન કાંડ સુધીની અનેકવાર ગંભીર આગના અકસ્માતની ઘટનાઓ ઘટી છે. આમાં કેટલાય લોકો આગમાં ભૂંજાયા છે, કેટલાય પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી થઇ શકી નથી. જેને લઇને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Post Office ની આ સ્કીમમાં મળશે  ₹44,995 રિટર્ન, તમારે કરવું પડશે આટલું રોકાણ, જાણો તમામ ડિટેલ્સ
Post Office ની આ સ્કીમમાં મળશે ₹44,995 રિટર્ન, તમારે કરવું પડશે આટલું રોકાણ, જાણો તમામ ડિટેલ્સ
Advertisement

વિડિઓઝ

Vadodara News: શિનોર તાલુકામાં કોન્ટ્રાક્ટરનું પાપ, નર્મદા નદીના પટમાં ગેરકાયદે રસ્તો બનાવવાનો આરોપ
Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં
Gujarat BJP on Jignesh Mevani : કોંગ્રેસ MLA મેવાણી પર ભાજપના આકરા પ્રહાર
Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
Gujarat Air Pollution: ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Post Office ની આ સ્કીમમાં મળશે  ₹44,995 રિટર્ન, તમારે કરવું પડશે આટલું રોકાણ, જાણો તમામ ડિટેલ્સ
Post Office ની આ સ્કીમમાં મળશે ₹44,995 રિટર્ન, તમારે કરવું પડશે આટલું રોકાણ, જાણો તમામ ડિટેલ્સ
8th Pay Commission: લાખો પેન્શનર્સનું સૌથી મોટું ટેન્શન સરકારે દૂર કર્યું, DA-DR પર સંસદમાં આપ્યો જવાબ ?
8th Pay Commission: લાખો પેન્શનર્સનું સૌથી મોટું ટેન્શન સરકારે દૂર કર્યું, DA-DR પર સંસદમાં આપ્યો જવાબ ?
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
દિલ્લી બ્લાસ્ટ મામલે ખુલાસા, આતંકી દાનિશના ફોનમાંથી મળ્યાં ચોંકાવનારા વીડિયો અને તસવીરો
દિલ્લી બ્લાસ્ટ મામલે ખુલાસા, આતંકી દાનિશના ફોનમાંથી મળ્યાં ચોંકાવનારા વીડિયો અને તસવીરો
Sanchar Saathi App: સંચાર સાથી એપ મારફતે સરકાર તમારી કઈ-કઈ બાબતો પર રાખી શકે છે નજર?
Sanchar Saathi App: સંચાર સાથી એપ મારફતે સરકાર તમારી કઈ-કઈ બાબતો પર રાખી શકે છે નજર?
Embed widget