શોધખોળ કરો

રાજકોટ મનપાની ઘોર બેદરકારી, ગટરના તૂટેલા ઢાંકણાથી બાઈક સ્લીપ થતા એકનું મોત

રાજકોટ શહેરના દરેક રોડ-રસ્તા પર આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે

રાજકોટ શહેરમાં વધુ એક વખત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે.વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા બાઈક ગટરના તૂટેલા ઢાંકણા સાથે ટકરાતા સ્લીપ થયું હતું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 9 દિવસ બાદ ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

રાજકોટ શહેરના દરેક રોડ-રસ્તા પર આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વરસાદે વિરામ લીધાને પખવાડિયું થવા છતાં આજે પણ ગટરો છલકાઇ રહી છે. રસ્તા પર પાણી વહી રહ્યા છે. જેના કારણે ખુલી ગટર, તૂટેલા ગટરના ઢાંકણા કે રસ્તા પર પડેલા ખાડા અંગે વાહનચાલકોને ખ્યાલ આવતો નથી અને અકસ્માતનો ભોગ બની જાય છે. મૃતકના ભાઇએ કહ્યું હતું કે મનપાની બેદરકારીથી તેમના ભાઇનું મોત થયું છે. હજુ પણ મનપા નહીં જાગે તો વધુ અકસ્માત થશે. કોઈ બેરીકેડ કે સાવચેતીના બોર્ડ નહોતા. મનપા કોઈ કામગીરી કરતું નથી.

બીજી તરફ જૂનાગઢમાં ભાજપના ધારાસભ્યએ જ મનપાની પોલ ખોલી હતી. રોડ-રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિકની સમસ્યા મુદ્દે સંજય કોરડિયાએ મોરચો માંડ્યો હતો. ટ્રાફિકને અડચણ રૂપ દબાણો તુરંત દૂર કરવાની પણ તેઓએ માંગ કરી હતી. સંજય કોરડિયાએ મનપા કમિશનરને લખેલા પત્રમાં કહ્યું હતુ કે વિધર્મીઓ મનફાવે ત્યાં દબાણ કરતા લોકોને હાલાકી થઇ રહી છે. દબાણના કારણે અનેક વખત માથાકૂટ થાય છે. ભૂગર્ભ ગટર, ગેસ પાઈપ લાઈનને લઈ ખોદકામ યોગ્ય રીતે કરવા સૂચના આપવામાં આવે. જુદા જુદા વિસ્તારમાં લોક દરબાર યોજી લોકોની સમસ્યા સાંભળવા રજૂઆત કરાઇ હતી.

મોરબીમાં ગટર ઉભરાવવા જેવી સમસ્યાને લઇને તંત્રએ કોઇ કાર્યવાહી ના કરતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. શહેરમાં ચોમાસામાં અનેક રોડ રસ્તા તૂટી ગયા હોય જેને પગલે રોડ રીપેરીંગ અને નવા રસ્તા બનાવવાની કામગીરી ચાલતી હોય જેથી ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે

Morbi Accident | મોરબીમાં અચાનક ખાડો આવતાં 3 યુવતીઓ એક્ટિવા સાથે નીચે પટકાઈ

 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget