શોધખોળ કરો

Dog Bite: ગોંડલમાં શ્વાનનો આતંક, મંદિરે આવતા-જતા 30થી વધુ ભક્તોને બચકાં ભર્યા, લોકોમાં ભયનો માહોલ

રાજ્યામાં શ્વાન કરડવાના કિસ્સામાં જોરદાર ઉછાળ્યો આવ્યો છે. હાલમાં જ રાજકોટ જિલ્લામાં બે દિવસે 30થી વધુ લોકોને શ્વાન કરવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે

Rajkot Dog News: ગુજરાતમાં શ્વાનનનો આતંક સતત વધી રહ્યો છે. રાજ્યામાં શ્વાન કરડવાના કિસ્સામાં જોરદાર ઉછાળ્યો આવ્યો છે. હાલમાં જ રાજકોટ જિલ્લામાં બે દિવસે 30થી વધુ લોકોને શ્વાન કરવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાના ગોંડલમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ગોંડલના ભુવનેશ્વરી મંદિર પાસે શ્વાનનો આતંક વધ્યો છે, અહીં છેલ્લા બે દિવસમાં શ્વાને 30 જેટલા લોકોને બચકા ભર્યા છે, અહીંથી પસાર થતાં રાહદારીઓ અને ખાસ કરીને મંદિરે દર્શને આવતા ભક્તોને શ્વાને બચકા ભર્યા છે. શ્વાનના બચકા ભરવાની ઘટનાથી આખા વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે, તંત્ર અને પોલીસ દ્વારા કોઇ નક્કર ઉકેલ લાવવા માટે લોકો માંગ કરી રહ્યાં છે.

શ્વાન કરડવા પર દરેક દાંતના નિશાન પર આપવો પડશે આટલો દંડ, હાઈકોર્ટનો આદેશ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું છે કે રખડતા પ્રાણીઓ સાથે સંકળાયેલી ઘટનાઓના પીડિતોને વળતર આપવું એ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે. કોર્ટે કહ્યું કે કૂતરો કરડવાના કિસ્સામાં, દરેક દાંતના નિશાન માટે 10,000 રૂપિયાનું વળતર નાણાકીય સહાય તરીકે આપવું પડશે. જસ્ટિસ વિનોદ એસ. ભારદ્વાજની ખંડપીઠે રખડતા પ્રાણીઓ દ્વારા થતા અકસ્માતોમાં ઘાયલ થયેલા અને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર સંબંધિત 193 અરજીઓનો નિકાલ કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે પ્રાણીઓ (રખડતા, જંગલી અથવા પાળેલા) દ્વારા થતી કોઈપણ ઘટના અથવા અકસ્માત અંગે ફરિયાદ મળે ત્યારે પોલીસ દ્વારા અનુસરવા માટેની માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી હતી.

કોર્ટે શું કહ્યું?

કોર્ટે કહ્યું, કોઈ રખડતા અથવા જંગલી જાનવરના કારણે થયેલા અકસ્માતની માહિતી મળવા પર, સ્ટેશન ઈન્ચાર્જે કોઈપણ વિલંબ કર્યા વિના ડેઈલી ડાયરી રિપોર્ટ દાખલ કરવો પડશે. પોલીસ અધિકારી કરેલા દાવાની ચકાસણી કરશે અને સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરશે. ઘટના સ્થળની વિગતો તૈયાર કરશે. ઉપરોક્ત અહેવાલની નકલ વાદીને આપવાની રહેશે. ખંડપીઠે પંજાબ અને હરિયાણાના પોલીસ મહાનિર્દેશકોને આ અંગે સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચના આપવાનો આદેશ પણ આપ્યો હતો.

કેટલા સમયમાં ચૂકવવું પડશે વળતર

કોર્ટે પંજાબ, હરિયાણા અને ચંદીગઢ પ્રશાસનને રખડતા ઢોર અથવા પ્રાણીઓ દ્વારા થતી કોઈપણ ઘટનાના સંદર્ભમાં દાવા માટે ચૂકવવામાં આવતી વળતરની રકમ નક્કી કરવા નિર્દેશ આપ્યો હતો. સંબંધિત જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિઓ બનાવવા માટે પણ જારી કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું, જરૂરી દસ્તાવેજો સાથે દાવો દાખલ કરવામાં આવે ત્યારથી ચાર મહિનાની અંદર સમિતિઓ દ્વારા વળતરનો નિર્ણય લેવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય વળતર ચૂકવવા માટે પ્રાથમિક રીતે જવાબદાર રહેશે અને તેની પાસે રહેશે. તેને રાજ્ય અથવા ખાનગી વ્યક્તિની દોષિત એજન્સીઓ પાસેથી વસૂલ કરવાનો અધિકાર રહેશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'કેપ્ટને બંધ કરી દીધુ હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ', અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, મચ્યો હડકંપ
'કેપ્ટને બંધ કરી દીધુ હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ', અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, મચ્યો હડકંપ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
MG M9 કારની લોન્ચ તારીખ ફાઈનલ! જાણો આ લક્ઝરી ઇલેક્ટ્રિક MPV ક્યારે થશે લોન્ચ અને શું હશે ખાસ
MG M9 કારની લોન્ચ તારીખ ફાઈનલ! જાણો આ લક્ઝરી ઇલેક્ટ્રિક MPV ક્યારે થશે લોન્ચ અને શું હશે ખાસ
Advertisement

વિડિઓઝ

Surat Teacher Suicide Case: ‘મારા છોકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે..’ આરોપી પક્ષના લોકોની રજુઆત
Amarnath Yatra 2025: વરસાદ અને ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
Arvalli Butleggers News: પોલીસ દારૂ ભરેલી કાર પકડવા જતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો
Charanvada:પશુપાલકોએ ડેરીના ચેરમેનની નનામી કાઢી છાજીયા લઈ કર્યો વિરોધ, જુઓ આ દ્રશ્યોમાં
Arvalli: સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત, મોડી રાત્રે દૂધ ઢોળી કર્યો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેપ્ટને બંધ કરી દીધુ હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ', અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, મચ્યો હડકંપ
'કેપ્ટને બંધ કરી દીધુ હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ', અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, મચ્યો હડકંપ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
MG M9 કારની લોન્ચ તારીખ ફાઈનલ! જાણો આ લક્ઝરી ઇલેક્ટ્રિક MPV ક્યારે થશે લોન્ચ અને શું હશે ખાસ
MG M9 કારની લોન્ચ તારીખ ફાઈનલ! જાણો આ લક્ઝરી ઇલેક્ટ્રિક MPV ક્યારે થશે લોન્ચ અને શું હશે ખાસ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
ગોળી વાગ્યા બાદ કેટલા સમયમાં થઈ જાય છે વ્યક્તિનું મૃત્યુ? જાણીલો જવાબ
ગોળી વાગ્યા બાદ કેટલા સમયમાં થઈ જાય છે વ્યક્તિનું મૃત્યુ? જાણીલો જવાબ
Embed widget