શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાને કારણે સૌરાષ્ટ્રનું આ વિશ્વપ્રસિદ્ધ માર્કેટ 8 દિવસ સુધી રહેશે બંધ, અત્યાર સુધીમાં 40 વેપારીઓનો લીધો છે ભોગ
સોની બજારના વિવિધ એસોસિએશનો સ્વયંભૂ લોકડાઉન પાળશે. કોરોનાના ચુંગાલમાં અનેક સોની વેપારીઓ આવી ચૂક્યા છે. 40 સોની વેપારીઓના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પણ થયા છે.
![કોરોનાને કારણે સૌરાષ્ટ્રનું આ વિશ્વપ્રસિદ્ધ માર્કેટ 8 દિવસ સુધી રહેશે બંધ, અત્યાર સુધીમાં 40 વેપારીઓનો લીધો છે ભોગ Rajkot famous gold market closed for week due to hike covid-19 cases , 40 jewelers died during treatment કોરોનાને કારણે સૌરાષ્ટ્રનું આ વિશ્વપ્રસિદ્ધ માર્કેટ 8 દિવસ સુધી રહેશે બંધ, અત્યાર સુધીમાં 40 વેપારીઓનો લીધો છે ભોગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/06162258/Rajkot-news.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે રાજકોટમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. જેને કારણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટરો માટે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વસ્તીની દ્રષ્ટીએ રાજકોટમાં સૌથી વધુ સંક્રમણ હોવાનો આઇએમએ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટનું વિશ્વભરમાં પ્રખ્યાત સોની બજાર આજથી 8 દિવસ સુધી સ્વયંભૂ બંધ રહેશે.
સોની બજારના વિવિધ એસોસિએશનો સ્વયંભૂ લોકડાઉન પાળશે. કોરોનાના ચુંગાલમાં અનેક સોની વેપારીઓ આવી ચૂક્યા છે. 40 સોની વેપારીઓના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પણ થયા છે. કોરોનાના આ કહેરથી બચવા માટે સોની વેપારીઓ દ્વારા સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. 12 સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી સોની બજારો બંધ રહેશે.
રાજકોટમાં રોજેરોજ રાજકોટમાં સારવાર લઈ રહેલા સરેરાશ 25થી 30 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. રાજકોટમાં કોરોના કાળ દરમિયાન 100 ડૉક્ટરો સંક્રમિત થયા છે. અનેક ડૉક્ટરો અને અરોગ્ય વિભાગ સાથે જોડાયેલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે, તેમ IMAના પ્રેસિડેન્ટ જય ધીરવાનીએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.
રાજકોટમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ફ્રન્ટ વોરિયર પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે, તેવી અપીલ પણ આઇએમએ દ્વારા કરવામાં આવી છે. ડોક્ટરો સંક્રમિત થાય એટલે IMA માટે ચિંતાનો વિષય છે. લોકો બેદરકાર થયા છે,. રાજકોટમાં લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનો રાજકોટ માટે અઘરો સાબિત થાય છે. ઓક્ટોબરમાં રાજકોટ0માં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે., તેમ તેમણે જણાવ્યું હતું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
અમદાવાદ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)