Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot News: શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જસદણના આંબરડી ગામની જીવન શાળા હૉસ્ટેલના ગૃહપતિ વિરૂદ્ધ ગંભીર આરોપો લાગ્યા છે

Rajkot News: ગુજરાતમાંથી એક પછી એક શરમજનક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આ વખતે શિક્ષણ જગતમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા વાલીઓમાં રોષ ભભૂક્યો છે. રાજકોટના જસદણમાં આવેલી એક શાળા હૉસ્ટેલમાંથી વિદ્યાર્થિનીની શારીરિક અને માનસિક છેડતી કર્યાની આરોપની ઘટના સામે આવી છે. અહીં ગૃહપતિ દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે ગંદી હરકતો અને અડપલાંના આરોપ બાદ પોલીસે ગૃહપતિની ધરપકડ કરી લીધી છે.
ગુરૂપતિ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતી વધુ એક ઘટનાં સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જસદણના આંબરડી ગામની જીવન શાળા હૉસ્ટેલના ગૃહપતિ વિરૂદ્ધ ગંભીર આરોપો લાગ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, હૉસ્ટેલના ગૃહપતિ વિદ્યાર્થીઓને રૂમમાં બોલાવીને ગંદી હરકતો કરતો હતો, અને ગમે તેમ બોલતો હતો. ગૃહપતિએ 14 વર્ષના વિદ્યાર્થી સાથે વિકૃત સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ કરી હોવાની વાત પણ સામે આવી છે. વિદ્યાર્થી હૉસ્ટેલમાંથી વાલીને ફોન કરીને ગૃહપતિ ગંદી હરકતો કરતો હોવાનો ઓડિયો પણ સામે આવ્યો છે. હાલમાં ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્નાભાઈ રાઘવાણી સામે એક વિદ્યાર્થીના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીઓ જર્જરિત રૂમમાં રહેતા હોવાનો પણ દાવો છે.
રાજકોટના જસદણમાં શાળાની હોસ્ટેલમાં ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્ના રાઘવાણી સામે ફરિયાદ નોંધાઈ છે. જસદણ પોલીસે પોકસો, એટ્રોસિટી સહિત કલમો નોંધી તપાસ શરૂ કરી છે. આંબરડી ગામની જીવન શાળા હોસ્ટેલમાં ગૃહપતિ કિશન ગાગડીયા પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ છે. 14 વર્ષના વિદ્યાર્થી સાથે અભદ્ર વર્તનનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જર્જરિત રૂમમાં લઈ જઈને નગ્ન કરતો હોવાનો પણ વિદ્યાર્થીઓનો આરોપ છે. પીડિત વિદ્યાર્થીએ પોતાના વાલીને જણાવતા સમગ્ર મામલે ખુલાસો થયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આચાર્યને ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
અમદાવાદ-વડોદરા વચ્ચેના નેશનલ હાઇવે 48 પર પણ ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી આણંદ સુધી કારમાં મુસાફરી કરવા માટે હવે ₹50ના બદલે ₹55 ટોલ ચૂકવવો પડશે, જ્યારે વડોદરાથી નડિયાદ સુધીનો ટોલ ₹70થી વધીને ₹75 થશે. આ ઉપરાંત, રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર અને જીપ માટે ટોલની કિંમત ₹110 થઈ જશે, જ્યારે વાસદથી વડોદરા સુધી કાર અને જીપ માટે હવે ₹160 ટોલ લેવામાં આવશે. ભરથાણા ટોલપ્લાઝા પર પણ કાર અને જીપની ટોલ ફી ₹155થી વધીને ₹160 થઈ જશે. આમ, 1 એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર ટોલના ભાવમાં વધારો થવાથી વાહનચાલકોના મુસાફરી ખર્ચમાં વધારો થશે, જે મોંઘવારીના સમયમાં તેમના માટે વધુ એક બોજ સાબિત થઈ શકે છે. આ નવા ટોલના દર આગામી નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ લાગુ થઈ જશે. અમદાવાદ - વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે ટોલ ટેક્સમાં વધારો થતાં હવે કાર-જીપ ચાલકે રૂપિયા 135ના બદલે 140 રૂપિયા, રિટર્નમાં રૂપિયા 205ના બદલે રૂપિયા 215, એલસીવીના રૂપિયા 220ના બદલે 230, રિટર્નમાં રૂપિયા 330ના બદલે રૂપિયા 345 અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા 465ના બદલે રૂપિયા 480 અને રિટર્નમાં 720ના બદલ 760 રૂપિયા પડશે.





















