શોધખોળ કરો

ભાજપના દિગ્ગજ નેતાએ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે આપ્યું મોટુ નિવેદન

નરેશ પટેલ રાજકારણમાં આવશે તે નહીં તેને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ નથી થયું. નરેશ પટેલને લઈને રોજે રોજ નવી નવી વાતો સામે આવી રહી છે. જો કે, આ અંગે હવે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મોટું નિવેદન આપ્યું છે.

રાજકોટ: નરેશ પટેલ રાજકારણમાં આવશે તે નહીં તેને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ નથી થયું. નરેશ પટેલને લઈને રોજે રોજ નવી નવી વાતો સામે આવી રહી છે. જો કે, આ અંગે હવે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નરેશ પટેલે પોતાનો નિર્ણય કરવો જોઈએ. કોઈ પણ પાર્ટીમાં નરેશ પટેલ ન જોડાવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, નરેશ પટેલ મોટા બિઝનેસમેન અને સામાજિક આગેવાન છે, પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે. કઈ પાર્ટીમાં જોડાવું તે તેની ઈચ્છાની વાત છે. 

ઉલ્લેખનીય છે કે લેઉવા પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન  નરેશ પટેલ છેલ્લા 6 મહિનાથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે.ત્યારે નરેશ પટેલે રાજકારણમાં જોડાવું જોઇએ કે નહીં તે બાબતે મોટાભાગના નેતાઓ નિવેદનથી દુર રહેતા હોય છે ત્યારે હમેશા પોતાના નિવેદન માટે જાણીતા રામભાઈ મોકરિયા ખાસ નિવેદન આપ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આગામી 31 મે સુધીમાં નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગે નિર્ણય લઈ શકે છે.

ગુજરાતની ચૂંટણીમાં કોળી સમાજ કોને ટેકો આપશે ? 
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સમાજના આગેવાનો પણ એક્શનમાં આવ્યા છે. આ કડીમાં હવે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ વિક્રમ ભાઈ સોરાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે મહત્વની જાહેરાત કરી છે. કોળી સમાજના વિધાનસભાની ચૂંટણીમા શુ સ્ટેન્ડ રહેશે તે જણાવ્યું. 

તેમણે કહ્યું કે,કુંવરજીભાઇ, દેવજીભાઈ અને અજિતભાઈ સહિતના નેતાઓ સમાજના છે, પણ જે સમાજ માટે કામ કરશે તેની સાથે કોળી સમાજ રહેશે. પોતાના માટે મહેનત કરતા નેતાઓ પડખે સમાજ નહીં રહે, સમાજ જાગૃત છે. જે યુવાઓ અને નેતાઓ સમાજની સાથે રહશે તે લોકોને જ સમાજનો ટેકો મળશે. આ ઉપરાંત તેમણે રાજકીય પાર્ટીઓને ટકોર કરતા કહ્યું કે, જે વિસ્તારમાં અમારા સમાજની વસ્તી વધુ છે તે સ્થળે અમારા સમાજના પ્રતિનીધિને ટીકીટ મળવી જોઈએ. આજે યુવાઓને આગળ આવવાની જરૂર છે. કોળી સમાજના અગ્રણીઓની આ જાહેરાત આગામી ચૂંટણીમાં મહત્વની બની રહેશે તેમ લાગી રહ્યું છે.

કુંવરજીભાઇ અને અજિત ભાઈ અંગે તેમણે કહ્યું કે, બંને અગ્રણીઓ સમાજના મોટા નેતાઓ છે. સમાજ માટે બંને એ મોટા આગેવાન છે તેથી વિવાદ દૂર થવો જોઈએ. કોળી સમાજ જાગૃત છે, યુવાનો જાગૃત છે, જે સમાજ માટે કામ કરે છે તેને યુવાઓ ટેકો આપશે. આ ઉપરાંત તેમણે કુંવરજીભાઇ બાવડીયા અને અજિત કોન્ટ્રાકટર અંગેના વિવાદ ઉપર પણ નિવેદન આપ્યું હતું. સમાજમાં દુષણ દૂર કરવા, વ્યસન દૂર કરવા અને સમૂહ લગ્ન ઉપર જોર આપવાની વાત કરી હતી. હાલમાં જ 555 દિકરીઓના એક સાથે સમૂહ લગ્ન કરાવ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Gujarat Govt Recruitment: 'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Gujarat Govt Recruitment: 'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
IND vs SA: રાયપુરમાં કિંગ કોહલીએ શાનદાર સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ,  આ મામલે હવે માત્ર સચિનથી પાછળ  
IND vs SA: રાયપુરમાં કિંગ કોહલીએ શાનદાર સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ,  આ મામલે હવે માત્ર સચિનથી પાછળ  
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતને 4 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતને 4 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
Embed widget