શોધખોળ કરો

અન્ના હજારેએ ભૂખ હડતાળનું કર્યું એલાન, સ્થળ અને તારીખ બંને ફાઇનલ, જાણો કારણ

Anna Hazare News:મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદાના અમલીકરણની માંગણી સાથે અન્ના હજારે ભૂખ હડતાળ શરૂ કરશે. તેમણે કહ્યું કે જો મજબૂત લોકાયુક્ત કાયદો પસાર નહીં થાય તો તેમને જીવવાની કોઈ ઈચ્છા રહેશે નહીં.

Anna Hazare News:સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ 30 જાન્યુઆરી, 2026 થી ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદાના અમલીકરણની માંગ કરી છે. તેઓ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ શરૂ કરશે. એબીપી માઝા અનુસાર, અણ્ણા હજારેએ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે ભૂખ હડતાળ અંગે ચર્ચા કરી છે. મહારાષ્ટ્ર સરકારે 28 ડિસેમ્બર, 2022 ના રોજ વિધાનસભામાં અને 15 ડિસેમ્બર, 2023 ના રોજ વિધાનસભા પરિષદમાં લોકાયુક્ત બિલ પસાર કર્યું હતું. જોકે, તેનો હજુ સુધી અમલ થયો નથી, જેના કારણે અણ્ણાએ ભૂખ હડતાળ શરૂ કરવાનો નિર્ણય લીધો છે,

અણ્ણા હજારે: સરકાર સાથે અનેક બેઠકો.

અણ્ણા હજારેએ કહ્યું, "આ દેશ કાયદા દ્વારા ચાલે છે. લોકસભા અને વિધાનસભાનું પ્રાથમિક કાર્ય કાયદો બનાવવાનું છે. મેં આજ સુધી 10 કાયદા પસાર કર્યા છે... રાજ્યમાં એક મજબૂત લોકાયુક્ત કાયદો જરૂરી છે. આ અંગે અમારી પાસે ઘણી બેઠકો થઈ છે. સરકારે ખાતરી આપી છે, પરંતુ લોકાયુક્ત કાયદો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી. તેથી, હું હવે આ નિષ્કર્ષ પર આવ્યો છું કે જો મજબૂત લોકાયુક્ત કાયદો લાગુ કરવામાં ન આવે, તો મને જીવવાની કોઈ ઇચ્છા નથી."

જ્યાં સુધી મારી પાસે જીવન છે, હું સમાજની સેવા કરીશ - અન્ના
અન્ના હજારેએ વધુમાં કહ્યું, "મારું આખું જીવન દેશના કલ્યાણ માટે સમર્પિત છે. મારી પાસે સૂવા માટે એક પલંગ અને ખાવા માટે એક થાળી સિવાય કંઈ નથી. મારી પાસે મારા માટે કંઈ નથી, પરંતુ સમાજના કલ્યાણ માટે, જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે હું કાર્યરત રહીશ,. 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. તેમના આદર્શો આપણી સમક્ષ છે.  જ્યાં સુધી આ કાયદો લાગૂ નહિ થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે."

નોંઘનિય. છે કે,  અન્ના હજારેએ 2011 માં ભ્રષ્ટાચાર સામે એક ઐતિહાસિક આંદોલન શરૂ કર્યું હતું, જેમાં રાષ્ટ્રીય સ્તરે જનલોકપાલ બિલની માંગણીને ઉજાગર કરવામાં આવી હતી. તેમના નેતૃત્વ હેઠળ, લાખો લોકો રસ્તા પર ઉતર્યા હતા, અને "અન્ના, જાગો" સૂત્ર તે સમયે આંદોલનનું પ્રતીક બની ગયું હતું. દિલ્હીના રામલીલા મેદાનમાં અન્નાનો વિરોધ ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો.        

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?
Embed widget