Wrestlers Protest: આખરે 7 રેસલરના લેવાયા નિવેદન, જાણો ખેલાડીઓએ શું કહી આપવિતી
છેલ્લા 14 દિવસથી જંતર-મંતર પર પહેલવાન દ્વારા ચાલી રહેલા વિરોધ વચ્ચે દિલ્હી પોલીસે આજે 7 ફરિયાદીઓના નિવેદનો નોંધ્યા છે. ટૂંક સમયમાં બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન નોંધવામાં આવશે.
![Wrestlers Protest: આખરે 7 રેસલરના લેવાયા નિવેદન, જાણો ખેલાડીઓએ શું કહી આપવિતી Statements of 7 wrestlers recorded against brij bhushan sharan singh none remembers date of molestation Wrestlers Protest: આખરે 7 રેસલરના લેવાયા નિવેદન, જાણો ખેલાડીઓએ શું કહી આપવિતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/06/d31fe29b31750c53bede19f306e35b73168335907182681_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Wrestlers Protest in Delhi: છેલ્લા 14 દિવસથી જંતર-મંતર પર પહેલવાનો દ્વારા ચાલી રહેલા વિરોધ વચ્ચે દિલ્હી પોલીસે આજે 7 ફરિયાદીઓના નિવેદનો નોંધ્યા છે. ટૂંક સમયમાં બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન નોંધવામાં આવશે.
પહેલવાનની છેડતીના મામલામાં કાર્યવાહી કરતી વખતે દિલ્હી પોલીસે શનિવારે તમામ 7 ફરિયાદી કુસ્તીબાજોના નિવેદનો નોંધ્યા છે. આ નિવેદનો નવી દિલ્હી જિલ્લામાં તેમના વકીલની હાજરીમાં નોંધવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન ફરિયાદીઓએ અલગ-અલગ ઘટનાઓ વિશે જણાવ્યું, પરંતુ કોઈ પણ કુસ્તીબાજને છેડતીની તારીખ યાદ નથી.જો કે દરેક ખેલાડીએ પોલીસનું કહેવું છે કે હવે ટૂંક સમયમાં જ WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન નોંધવામાં આવશે.
આ પહેલા ગુરુવારે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીના જંતર મંતર પર બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને કહ્યું હતું કે સરકારે ખેલાડીઓની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. હવે તેઓને વિનંતી છે કે નિષ્પક્ષ તપાસ થવા દે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. તેમણે કહ્યું કે સરકારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓની તમામ વાજબી માંગણીઓ સ્વીકારી લીધી છે. દિલ્હી પોલીસ નિષ્પક્ષ તપાસ કરી રહી છે. દોષિતો સામે કાર્યવાહી કરશે, તેથી કુસ્તીબાજોએ ઘરમા સમાપ્ત કરી ગેવા જોઈએ.
એક સમિતિની રચના કરવામાં આવી છે
તેણે કહ્યું કે, જ્યાં સુધી ખેલાડીઓની માંગનો સવાલ છે તો હું કહીશ કે, કમિટી બનાવવાની માંગ કરવામાં આવી હતી. તે સમિતિની પણ રચના કરવામાં આવી છે. નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી, દિલ્હી પોલીસ પણ તે કરી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. હું વિનંતી કરું છું કે જે પણ ખેલાડીઓ ત્યાં વિરોધ કરી રહ્યા છે, તેની નિષ્પક્ષ તપાસ થવા દો. જે પણ દોષિત હશે તેની સામે દિલ્હી પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે.
કુસ્તીબાજો 23 એપ્રિલથી વિરોધ કરી રહ્યા છે
નોંધનીય છે કે, 23 એપ્રિલથી કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો છે. કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે અને તેમની ધરપકડની માંગણી સાથે ધરણા કરી રહ્યા છે. કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી જેમાં બ્રિજ ભૂષણ સામે જાતીય સતામણીનો કેસ નોંધવાના આદેશની માંગણી કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા. આ સાથે કોર્ટે કહ્યું કે આ અરજીનો હેતુ બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો હતો. હવે નોંધાયેલ છે. આવી સ્થિતિમાં અમે પિટિશન બંધ કરી રહ્યા છીએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)