(Source: Dainik Bhaskar)
Surat: UK કોરોના સ્ટ્રેનના 2 અને આફ્રિકન સ્ટ્રેનનો 1 કેસ નોંધાતા ખળભળાટ, મનપા કમિશનરે નાગરિકોને શું કરી અપીલ, જાણો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોના વાયરસના વિદેશી સ્ટ્રેનને લઈને ચિંતા વધી છે. ત્યારે સુરત મનપા કમિશનરે 3 દર્દીઓમાં વિદેશી સ્ટ્રેનના લક્ષણો મળી આવ્યા હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે.
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોના વાયરસના વિદેશી સ્ટ્રેનને લઈને ચિંતા વધી છે. ત્યારે સુરત મનપા કમિશનરે 3 દર્દીઓમાં વિદેશી સ્ટ્રેનના લક્ષણો મળી આવ્યા હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, સુરતમાં વધુ 3 લોકોમાં કોરોના વાયરસના વિદેશી સ્ટ્રેનમળી આવ્યા છે. જેમાં 2 દર્દીઓ UK કોરોના સ્ટ્રેનના 2 અને આફ્રિકન સ્ટ્રેનના લક્ષણો ધરાવે છે.
આ સાથે જ મનપાના કમિશનરે નાગરિકોને કોઇપણ સંજોગોમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને ટોળામાં ફરવા કે જાહેર મેળાવડાઓમાં નહીં જવા માટે અપીલ કરી હતી. સાથે જ સુરતીઓને સાવચેત રહેવા પણ જણાવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં 581 નવા કેસ નોંધાયા હતા જ્યારે 453 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.