શોધખોળ કરો
Advertisement
સુરતઃ 18 દિવસ પહેલા જ લગ્ન કરનાર પ્રોફેસરે કેમ કરી લીધો આપઘાત? કેવી હાલતમાં મળી આવી લાશ?
મૂળ તેલંગણાના વારંગલ જિલ્લાના મેટાડુના વતની અને ધના મગદલ્લા રોડ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રોફેસર ક્વાર્ટસમાં રહેતા પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવ(ઉં.વ.32)ના ગત 20મી નવેમ્બરે જ લગ્યા થયા હતા. લગ્ન પછી તેઓ ગત 4 ડિસેમ્બરે સુરત આવ્યા હતા.
સુરતઃ હજુ 18 દિવસ પહેલા જ લગ્ન કરનાર પ્રોફેસરે પોતાના ક્વાર્ટરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવે આપઘાત કરી લેતા શિક્ષણજગતમાં ભારે ચર્ચા જાગી છે. યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સમાં જ આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ તેલંગણાના વારંગલ જિલ્લાના મેટાડુના વતની અને ધના મગદલ્લા રોડ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રોફેસર ક્વાર્ટસમાં રહેતા પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવ(ઉં.વ.32)ના ગત 20મી નવેમ્બરે જ લગ્યા થયા હતા. લગ્ન પછી તેઓ ગત 4 ડિસેમ્બરે સુરત આવ્યા હતા. તેમજ તેમણે ઓનલાઇન અભ્યાસ કરાવવાની શરૂઆત કરી હતી.
યુનિ.માં કોન્ટ્રાક્ટ બેઝ્ડ અધ્યાપક તરીકે ફરજ પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવ છેલ્લા બે દિવસથી ફોન ઉપાડતા ન હતા અને આ પછી તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. ગત મંગળવારે મીટિંગ હોવાથી બપોરે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ નવીન પટેલનો કોન્ટેકટ કર્યો હતો. જોકે, કોન્ટેક્ટ ન થતા નવીન પટેલે યુનિવર્સિટીના સિકયુરીટી ઇન્ચાર્જ મેહુલ મોદીને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં તેમના કવાર્ટસમાંથી ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતા ઉમરા પોલીસ યુનિવર્સિટી પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
શિક્ષણ
Advertisement