શોધખોળ કરો

H3N2 Viral Attack:રાજ્યના આ શહેરમાં H3N2ના 400 કેસ નોંઘાતા ફફડાટ, આરોગ્ય નિષ્ણાતે સાવધાની રૂપ આપ્યા સૂચન

સુરત શહેરમાં H3N2ના કેસ વધ્યા છે. શરદી-ખાંસી 30 દિવસ રહેવાની ફરિયાદ ઉઠી છે.સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઈન્ફેક્શનના રોજના 400 કેસ આવી રહ્યા છે.

H3N2 Viral Attack:સુરત શહેરમાં H3N2ના કેસ વધ્યા છે.શરદી-ખાંસી 30 દિવસ રહેવાની ફરિયાદ ઉઠી છે.સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઈન્ફેક્શનના રોજના 400 કેસ આવી રહ્યા છે.જેમાં 10% દર્દીઓને દાખલ કરવાની  નોબત આવી રહી છે.કોરોના જેવા જ લક્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે ફેફસાંમાં ઈન્ફેક્શન પહોંચે તો જીવનું જોખમ પણ થઇ શકે છે.

હાલમાં મિશ્ર ઋતુ વચ્ચે શહેરમાં વાયરલ ઈન્ફેક્શનની સાથે સાથે H3N2ના દર્દીઓમાં વધારો થયો છે.સામાન્ય રીતે શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો સાથે આવતા દર્દીઓમાં H3N2નું સંક્રમણ વધ્યું છે.સિવિલમાં રોજ સરેરાશ 400 દર્દીમાંથી 10%ને દાખલ કરાય છે.દર વર્ષે ઋતુના બદલાવ વખતે H1N1નું સંક્રમણ વધે છે. પરંતુ આ વર્ષે H 3N 2 કેસો વધુ છે. આ રીતે ઇન્ફેકશન વધતા શરદી ખાંસીની ફરિયાદમાં ડોક્ટરે દર્દીને કોરોનાનું ટેસ્ટિંગ કરવાની પણ સલાહ આપી છે.

H3N2 વાયરસના લક્ષણો

H3N2 વાયરસના લક્ષણોમાં ઉધરસ, વહેતું નાક, ગળું, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, તાવ, શરદી, થાક, ઝાડા અને ઉલ્ટીનો સમાવેશ થાય છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ 4 પ્રકારો A, B, C અને Dમાં વહેંચાયેલો છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ A અને B દર્દીઓમાં ફલૂના સિઝનલ રોગચાળાને કારણે થાય છે, જેમાં મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સમસ્યા દર્દીઓને લગભગ દર વર્ષે થાય છે. કેટલાક ઈન્ફલ્યુએન્ઝા A સબ વેરિયન્ટ  જેમ કે H1N1 (સ્વાઇન ફ્લૂ વાયરસ) અને H3N2 વધુ ગંભીર રોગોનું કારણ બની શકે છે.

વાયરસથી બચવા માટે સાવચેતી

કોઈપણ પ્રકારના વાઈરલ ઈન્ફેક્શનને રોકવા માટે જે સાવચેતીઓ લેવામાં આવે છે તેમાં રસીકરણનો સમાવેશ થાય છે. હાથને નિયમિતપણે સાબુ અથવા હેન્ડવોશથી સાફ કરો અને સેનિટાઈઝ પણ કરો.માસ્ક પહેરેલા અથવા બીમાર લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. જો તમને છીંક આવે કે, ખાંસી આવે તો રૂમાલનો ઉપયોગ કરો અથવા આમ કરતી વખતે મોં ઢાંકીને રાખો.


H3H2
વાયરસની સારવાર શું છે?

તેની સારવાર એકદમ સરળ છે. તમારે વધુને વધુ પ્રવાહી લેવું જોઇએ. જેથી કરીને તમે તમારી જાતને હાઈડ્રેટ રાખી શકો. તાવ, ઉધરસ અથવા માથાનો દુખાવોના કિસ્સામાં, ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ નિયમિતપણે લેવી જોઈએ. દરમિયાન, IMAએ ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિકનું સેવન ન કરવાની ચેતવણી આપી છે. કે ઘણા લોકો ઈન્ફલ્યુએન્ઝાથી થતા તાવ અને ઉધરસને ઘટાડવા માટે એન્ટિબાયોટિક્સ સ્વ-નિર્ધારિત કરે છે, દર્દીઓની તબિયત વધુ બગડે છે. તેથી, કોઈપણ તબીબી સલાહ વિના એન્ટિબાયોટિકનું સેવન ન કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.