![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat: મિલમાં કામ કરતા ઉત્તર પ્રદેશના યુવકનું કરંટ લાગતા મોત
સુરત: પલસાણાના વરેલી જીઆઈડીસીમાં કરંટ લાગતા યુવકનું મોત થયું છે. વરેલી ખાતે આવેલી વિધાતા મિલમાં હેલ્પરને કરંટ લાગતા મોત થયું. મૂળ ઉત્તર પ્રદેશના બિંદેશ લાલ બહાદુર નામના યુવકનું મોત થયું છે.
![Surat: મિલમાં કામ કરતા ઉત્તર પ્રદેશના યુવકનું કરંટ લાગતા મોત A young man from Uttar Pradesh who was working in a mill was electrocuted Surat: મિલમાં કામ કરતા ઉત્તર પ્રદેશના યુવકનું કરંટ લાગતા મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/19/b0c64508721f6bedc92a2e2b19c7c3d61684518182911397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત: પલસાણાના વરેલી જીઆઈડીસીમાં કરંટ લાગતા યુવકનું મોત થયું છે. વરેલી ખાતે આવેલી વિધાતા મિલમાં હેલ્પરને કરંટ લાગતા મોત થયું. મૂળ ઉત્તર પ્રદેશના બિંદેશ લાલ બહાદુર નામના યુવકનું મોત થયું છે. યુવક મિલના મેન્ટનેન્સ વિભાગમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. કડોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં પિતાએ ખેલ્યો ખુની ખેલ, છરી વડે પરિવાર પર કર્યો હુમલો
સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતા દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હુમલો છે. પિતાએ કરેલા હુમલામાં પુત્રીનું થયું છે. પિતાએ 17થી વધુ ઘા મારી પુત્રીની હત્યા કરી નાખી છે. આ ઘટના સુરતના કડોદરા સત્યમ નગર ખાતે બની છે. પિતાએ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે ટેરેસ પર સુવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જે બાદ આવેશમાં આવીને દીકરી,ત્રણ દીકરા અને પત્ની પર હુમલો કર્યો હતો. મોટા છરા વડે આધેડે ઘરના સભ્યો પર હુમલો કર્યો હતો. માતાને બચાવવા જતા દીકરી મોતને ભેટી હતી. દીકરીના મોઢા અને હાથ પર 17 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. હાલમાં બે દીકરા અને પત્ની સારવાર હેઠળ છે. કડોદરા પોલીસે પિતા રામાનુજ સાહુને ડિટેન કર્યો છે. દીકરી ચંદા સાહુનું મોત નિપજ્યું છે.
સુરતમાં વધુ એક બાળકી પિંખાઈ
સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર નંદનવન ટુની બાજુમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા 12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. બાર વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવી તેvs ત્યાંથી ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બનાવને પગલે કિશોરીના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સામે આવેલી વિગતો અનુસાર સુરતના વેસુ વીઆઈપી રોડ પર નંદનવન ટુ ની બાજુમાં હાલમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મજૂર વર્ગ કામ કરી રહ્યો છે. આ દરમિયાન ત્યાં જ કામ કરતાં મોહમ્મદ રેજાઉલ મોહમ્મદ સરાફત નામના યુવકે ત્યા જ કામ કરતી 12 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)