શોધખોળ કરો
Advertisement
સુરતીલાલા દરિયાઈ માર્ગે મુંબઈ જઈ શકશે, સુરત-મુંબઈ પેસેન્જર ફેરી સર્વિસને રૂપાણીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી
ફેરી સર્વિસના પેસેન્જર જહાજમાં ૩૦૦ મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ શિપ જહાજ ૨૦ રૂમની સુવિધા સાથે ફુલ્લી એર કંડિશન્ડ જહાજ હશે.
સુરતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હજીરા (સુરત)થી બાન્દ્રા (મુંબઈ) પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એસ. એસ. આર. મરીન સર્વિસ પ્રા. લિ. દ્વારા આ ફેરી સર્વિસના પેસેન્જર જહાજમાં ૩૦૦ મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ શિપ જહાજ ૨૦ રૂમની સુવિધા સાથે ફુલ્લી એર કંડિશન્ડ જહાજ હશે.
ગુજરાત સરકારે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર આગામી નવેમ્બર ૨૦૧૯થી શરૂ થનારી સેવાના પ્રારંભિક તબક્કે સપ્તાહમાં એકવાર આ ફેરી સર્વિસ કાર્યરત્ રહેશે. પેસેન્જર ટ્રાફિક ધ્યાને રાખીને ભવિષ્યમાં નિયમિતરૂપે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવશે.શરૂઆતમાં દર ગુરૂવારે સાંજ ૭ કલાકે બાન્દ્રાથી નિકળી શુક્રવારે સવારે ૯ વાગ્યે આ જહાજ હજીરા પહોંચશે. પરત મુસાફરીમાં શુક્રવારે સાંજે ૬ કલાકે હજીરાથી રવાના થઈને શનિવારે સવારે ૮ કલાકે બાન્દ્રા પહોંચશે.
આ સુવિધા શરૂ થતાં વિક એન્ડ રજાઓમાં સુરતવાસીઓને દરિયાઇ માર્ગે મુંબઈ જવાનું એક નવું પ્રવાસન નજરાણું મળશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ દહેજ-ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ કાર્યરત છે તેમાં હવે હજીરા-બાન્દ્રા ફેરી સર્વિસનો ઉમેરો થતાં દરિયાઈ યાતાયાતને વેગ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દહેજ-ઘોઘા ફેરી સર્વિસની શરૂઆત કરાવી હતી.
ઘાયલ થઈને ટીમમાંથી બહાર થયો આ ખેલાડી, શિખર ધવનની થઈ એન્ટ્રી, જાણો વિગતે
કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદાસ્પદ નિવેદન, વેશ્યાઓ સાથે કરી ભાજપની તુલના, જાણો વિગત
પાખંડી ઢબુડી માની મોડસ ઓપરેન્ડી આવી સામે, આ રીતે ચલાવતો હતો નેટવર્ક, જાણો વિગતે
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
વડોદરા
Advertisement
gujarati.abplive.com
Opinion