![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
તાપી જિલ્લામાં એપ્રિલ મહિનામાં જ કોરોનાથી 1500 લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસના કયા નેતાએ લગાવ્યો આક્ષેપ?
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ખાલી તાપી જિલ્લામાં એપ્રિલ મહિનામાં 1500 લોકોના કોરોનાથી મોત થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીએ વ્યારા,માંડવી અને નિઝરના કોંગી ધારાસભ્યો સાથે વ્યારાની વિવિધ કોરોના હોસ્પિટલોની મુલાકાત લીધી હતી.
![તાપી જિલ્લામાં એપ્રિલ મહિનામાં જ કોરોનાથી 1500 લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસના કયા નેતાએ લગાવ્યો આક્ષેપ? Gujarat Corona update : 1500 persons died from Corona in Tapi district in April month, allegation by former central minister Dr Tushar Chaudhary તાપી જિલ્લામાં એપ્રિલ મહિનામાં જ કોરોનાથી 1500 લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસના કયા નેતાએ લગાવ્યો આક્ષેપ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/02/ba1bd278fb011b3f3b39aedb8b28b5d4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તાપીઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ખાલી તાપી જિલ્લામાં એપ્રિલ મહિનામાં 1500 લોકોના કોરોનાથી મોત થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ ઉપરાંત પણ નેતાએ અનેક આક્ષેપો કર્યા છે.
આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીએ વ્યારા,માંડવી અને નિઝરના કોંગી ધારાસભ્યો સાથે વ્યારાની વિવિધ કોરોના હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે મીડિયાને નિવેદન આપ્યું હતું. તાપી જિલ્લાની હોસ્પિટલોમાં પીએમ કેર ફન્ડ માંથી આવેલ વેન્ટીલ્ટર બંધ હોવાનો પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીએ આક્ષેપ લગાવ્યો હતો.
જિલ્લામાં એપ્રિલ માસમાં 2000 જેટલા લોકોના મોત નિપજ્યા હતા, જે પૈકી કોવિડને લઈને 1500ના મોતનો આક્ષેપ લગાવ્યો હતો. સરકાર કોરોનામાં નિષફળ નીવડી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511 પર પહોચ્યો છે.
રાજ્યમાં આજે 14931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 7, મહેસાણામાં 4, વડોદરા 5, જામનગર કોર્પોરેશમાં 8, રાજકોટ કોર્પોરેશન 5, જૂનાગઢ 5, સુરત 3, બનાસકાંઠા 2, પંચમહાલ 1, રાજકોટ 6, દાહોદ 1, કચ્છ 4, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-2, અમરેલી 2, મહીસાગર 1, ખેડા 2, આણંદ 0, સાબરકાંઠા 3, ગાંધીનગર 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર 0, વલસાડ 0, ગાંધીનગર કોર્પોરેશન 1, ભરૂચ 2, સુરેન્દ્રનગર 2, નવસારી-0, નર્મદા 1, દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2, અમદાવાદ 1, મોરબી 0, બોટાદમાં 1, પોરબંદર 1, તાપી 1 અને ડાંગ 0 મોત સાથે કુલ 117 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3194, સુરત કોર્પોરેશન-823, વડોદરા કોર્પોરેશન 751, મહેસાણામાં 507, વડોદરા 479, જામનગર કોર્પોરેશમાં 333, રાજકોટ કોર્પોરેશન 319, જૂનાગઢ 284, સુરત 269, બનાસકાંઠા 266, પંચમહાલ 254, રાજકોટ 253, દાહોદ 246, કચ્છ 244, જામનગર 232, જૂનાગઢ કોર્પોરેશન 230, ભાવનગર કોર્પોરેશમાં 214, ગીર સોમનાથમાં-200, અમરેલી 183, મહીસાગર 181, ખેડા 164, આણંદ 157, સાબરકાંઠા 156, ગાંધીનગર 152, પાટણ 151, અરવલ્લી 133, ભાવનગર 124, વલસાડ 123, ગાંધીનગર કોર્પોરેશન 117, ભરૂચ 115, સુરેન્દ્રનગર 113, નવસારી-108, નર્મદા 90, દેવભૂમિ દ્વારકા-87, છોટા ઉદેપુર 81, અમદાવાદ 69, મોરબી 67, બોટાદમાં 38, પોરબંદર 38, તાપી 35 અને ડાંગ 12 કેસ સાથે કુલ 11592 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,94,150 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 33,55,185 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,37,49,335 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 35,180 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)