શોધખોળ કરો

ગુજરાતની પ્રથમ ડેરી જ્યાં બનશે આઈસ્ક્રીમના કોન, 125 કરોડના ખર્ચે સ્થપાશે પ્લાન્ટ

Con Making Plant: ગુજરાતે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે. અમુલ, સુમુલ અને બનાસ ડેરી સહિત અનેડ ડેરીઓ આજે લાખો લોકોને રોજગારી આપી રહી છે. આ ઉપરાંત પશુપાલકોના જીવન ધોરણ પણ ઉંચા આવ્યા છે.

Con Making Plant: ગુજરાતે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે. અમુલ, સુમુલ અને બનાસ ડેરી સહિત અનેડ ડેરીઓ આજે લાખો લોકોને રોજગારી આપી રહી છે. આ ઉપરાંત પશુપાલકોના જીવન ધોરણ પણ ઉંચા આવ્યા છે. તો હવે આ યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાવા જઈ રહ્યું છે. 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસક્રીમ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે. આઈસક્રીમ અને કોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત 8 મીએ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવશે. કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમમાં મંજૂરી મેળવનાર સુમુલ ડેરી પ્રથમ સંસ્થા બનશે. દેશભરમાં આઇસ્ક્રીમનું વેચાણ વધતા ભારતમાં અમૂલ બ્રાંડથી બનતાં આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવા અમુલ ડેરીએ નિર્ણય લીધો છે. આ ઉપરાંત 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસ્ક્રીમ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે. 

સુમુલ રોજ એક લાખ લીટર આઈસ્ક્રીમ ઉત્પાદનની સાથે રોજ ૩ લાખ કોનનું ઉત્પાદન કરશે.  ડેરીના આ પ્લાન્ટની ક્ષમતા 8 લાખ કોન રોજ ઉત્પાદન કરવાની બનશે. 
ગુજરાતની 27 ડેરીઓમાં આઈસ્ક્રીમ કોન બનાવનાર સુમુલ પ્રથમ ડેરી બનશે.  આ ઉપરાંત કેન્દ્રની મીનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ સ્કીમ પ્રધાન મંત્રી કિસન સંપદા યોજના હેઠળ સુમુલને ઓર્ગેનિક લેબોરેટરી બનાવવા માટે પસંદ કરી છે. તે પેટે રૂપિયા 20 કરોડ પણ સુમુલને મળશે. આ બંને કાર્યક્રમો માટે તારીખ 8 જુન ને બુધવારે સુમુલના નવી પારડી પ્લાન્ટ ખાતે ખાતમહુર્ત કાર્યક્રમ સી.આર. પાટીલના હસ્તે કરાશે. આ પ્રસંગે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, સહકાર અને કુટીર મંત્રી જગદીશ પંચાલ, કૃષિ ઉર્જા અને પેટ્રોલીયમ મંત્રી મુકેશ પટેલ તથા ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના એમડી. આરએસ.સોઢી હાજર ઉપસ્થિત રહેશે.

લવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત, ગુજરાતમાં 2026 સુધીમાં પૂરું થશે બુલેટ ટ્રેનનું કામ

સુરતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad bullet train) પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે (Darshana Jardosh) બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે મુલાકાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જે કામ થઇ રહ્યું છે તેની તમામ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ સાથે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કેવી રીતે કામ ચાલી રહ્યું છે તે પણ પોતે નિહાળવા માટે ગયા હતા.

2026 સુધીમાં પૂરું થશે બુલેટ ટ્રેનનું કામ 
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2026 સુધીમાં સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન દોડશે, સમગ્ર પ્રોજેક્ટ ઉપર ખૂબ જ ઝડપથી કામ થઇ રહ્યું છે.પત્રકાર પરિષદને સંબોધતા કેટલાક મહત્વના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. બુલેટ ટ્રેનને લઈને તેમણે ચાલી રહેલી ઝડપી કામગીરીની સમીક્ષા કરી હતી. ઝડપથી આ પ્રોજેક્ટ પૂર્ણ થશે એ પ્રકારની વાતો કરતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલાં તો બુલેટ ટ્રેન દોડતી શક્ય લાગી રહ્યું નથી. કારણ કે આ પ્રોજેક્ટમાં ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈથી કામ કરવા પડે છે.  બુલેટ ટ્રેન 300 કિલોમીટરની ઝડપે દોડનાર છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેને જોડાવામાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ સમસ્યા ન આવે તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
Surat: સુરતમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક, સગીરા પર દુષ્કર્મના આરોપમાં વકીલ પ્રણયરાજ રણવીરની ધરપકડ
Surat: સુરતમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક, સગીરા પર દુષ્કર્મના આરોપમાં વકીલ પ્રણયરાજ રણવીરની ધરપકડ

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Embed widget