શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતના કયા શહેર ઉપરાંત આસપાસના ગામોમાં 10 મે સુધી જાહેર કરાયું લોકડાઉન?

બારડોલી અને મહુવા તાલુકાના અમુક ગામોમાં 7 મે એટલે કે આજે સાંજે 8 વાગ્યા થી 10 મે  સુધી લોકડાઉન જાહેર કરાયું છે. આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સિવાય તમામ વેપાર ધંધાઓ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. બારડોલી નગર, તેન, બાબેન, મઢી-સુરાલી, કડોદ અને ઇસરોલી ગામ સંપૂર્ણ બંધ રહેશે.

સુરતઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે કેટલાય શહેર-ગામો દ્વારા સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવમાં આવ્યો છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં વિકેન્ડ લોકડાઉન યથાવત છે. તેમજ બારડોલી અને મહુવા તાલુકાના અમુક ગામોમાં 7 મે એટલે કે આજે સાંજે 8 વાગ્યા થી 10 મે  સુધી લોકડાઉન જાહેર કરાયું છે. 

આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સિવાય તમામ વેપાર ધંધાઓ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. બારડોલી નગર, તેન, બાબેન, મઢી-સુરાલી, કડોદ અને ઇસરોલી ગામ સંપૂર્ણ બંધ રહેશે. મહુવા તાલુકાના મહુવા ગામ , કરચેલીયા, વલવાડા અને અનાવલ પણ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.  રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી  વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે. 

 

રાજ્યમાં આજે 13021 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786  લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે. 

 

ક્યાં કેટલા મોત થયા ? 

 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 16,  સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7,  રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.

 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3884,  સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638,  રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ  8 કેસ સાથે  કુલ 12545  કેસ નોંધાયા છે.  

 


કેટલા લોકોએ લીધી રસી

 

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
સુરતના ગોડાદરામાં થયેલી 8 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, સગીર સહિત ત્રણ આરોપી ઝડપાયા
સુરતના ગોડાદરામાં થયેલી 8 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, સગીર સહિત ત્રણ આરોપી ઝડપાયા
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
શું USB સ્પીકર્સ સુરક્ષિત છે? એક પણ ક્લિક વગર PC માં ઘૂસી શકે છે વાયરસ! રિચર્સમાં થયો ખુલાસો
શું USB સ્પીકર્સ સુરક્ષિત છે? એક પણ ક્લિક વગર PC માં ઘૂસી શકે છે વાયરસ! રિચર્સમાં થયો ખુલાસો
Embed widget