શોધખોળ કરો

બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ

14 એપ્રિલના રોજ સુરતમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ તેની દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની હત્યા કરવામાં આવી. હવે બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસે ઝડપી કામગીરી કરી છે.

સુરત: 14 એપ્રિલના રોજ સુરતમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ તેની દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની હત્યા કરવામાં આવી. હવે બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસે ઝડપી કામગીરી કરી છે. ઘટનાના 15 દિવસમાં જ પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ચાર્જશીટમાં એફએસએલ રિપોર્ટ, મેડિકલ પુરાવા સહિત 55 જેટલા સાક્ષીઓના નિવેદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં ચાર્જફ્રેમ કર્યા બાદ કોર્ટમાં કાર્યવાહી શરૂ કરાશે.

ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હોવાનો પોલીસ તાપસમાં થયો ખુલાસો

VADODARA : હરિધામ સોખડા સ્વમિનારાયણ મંદિરઆ ગુણાતીત સ્વામીના અચાનક થયેલા મૃત્યુ બાદ સૌકોઈ એ પ્રશ્નનો જવાબ જાણવા માંગતા હતા કે ગુણાતીત સ્વામીની હત્યા થઇ છે કે તેમણે આત્મહત્યા કરી છે? જો કે આખરે આ પ્રશ્નનો જવાબ સામે આવી ગયો છે. પોલીસ તાપસમાં ખુલાસો થયો છે કે  ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હતી. 

ગઈકાલે 27 એપ્રિલે સાંજે 7 થી 7.15 વચ્ચે  ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં  આપઘાત કર્યો હતો. ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં હુંક પર લટકી આત્મહત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીએ પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 

પોલીસે ગુણાતીત સ્વામીનું ગાતરિયુ, મોબાઈલ ફોન કબ્જે લીધા, આ સાથે પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે. ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હોવાનું પણ ખૂલ્યું છે.આ સાથે અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગી સાંસારિક જીવનમાં પાછા ફરવાનો પણ વિચાર કરતા હોવાનું ખુલ્યું છે. 

પોલીસે પ્રભુપ્રિય સ્વામી, ગુણાતીત સ્વામીના પરિજનો, મંદિરના સેવકોની પૂછપરછ કરી હતી. કોઈ ગુનાહિત કાવતરું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ કરી શરૂ છે. જો કે પ્રભુપ્રિય સ્વામીએ  પોલીસ સમક્ષ લુલો બચાવ કરતા કહ્યું હતું કે  ગુણાતીત સ્વામીના પરિજનોના કહેવાથી આપઘાતની વાત પોલીસથી છુપાવી હતી. 

ઉલ્લેખનીય છે કે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર હમણાંથી ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યું છે.  હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીને લઈને બે સ્વામી અને તેમના અનુયાયીઓના ભાગલા પડી ગયા છે. આ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને ગયા અઠવાડિયે હાઇકોર્ટે પણ આ મામલે સુનાવણી કરતા કહ્યું હતું કે જે સંતોને બહાર જવું છે એમને જવા દેવામાં આવે. ત્યારબાદ સંતોનું એક ગ્રુપ બાકરોળ  ખાતેના સ્વામિનારાયણ મંદિરે ગયું હતું. 

આ વિવાદ વચ્ચે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં અચાનક જ ગુણાતીત સ્વામીના મૃત્યુ અંગે સૌ કોઈને ચોંકાવી દીધા. આજ સવારથી જ ગુણાતીત સ્વામીના મૃત્યુના સમાચાર વહેતા થતા સમગ્ર દિવસ દરમિયાન એ જ ચર્ચાઓ થઇ કે આખરે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામી સાથે શું થયું હતું> ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હતી કે કોઈએ કાવતરું રચીને તેમની હત્યા કરી હતી. જો કે આખરે પોલીસ તાપસમાં સામે આવ્યું છે કે તેમણે આત્મહત્યા કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget