શોધખોળ કરો
સરદાર સરોવર ડેમ ગમે ત્યારે 138 મીટરની સપાટીએ પહોંચશે, આ સિઝનમાં પહેલીવાર પહોંચશે મહત્તમ સપાટીએ
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.99 મીટરે પહોંચી ગઈ છે અને ગણતરીના કલાકમાં મહત્તમ 138 મીટરે પહોંચશે.

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.99 મીટરે પહોંચી ગઈ છે અને ગણતરીના કલાકમાં મહત્તમ 138 મીટરે પહોંચશે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચશે. સરદાર સરોવરમાં પાણીની આવક 55213 ક્યુસેક છે. રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલતા 54701 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. મુખ્ય કેનાલમાં 13,500 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5935 મિલીયન ક્યુબીક મીટર થયો છે.
વધુ વાંચો





















