શોધખોળ કરો

Atiq Ahmed: ઉત્તર પ્રદેશમાં અતિક અહેમદની હત્યાને લઈને પ્રવિણ તોગડીયાએ આપ્યું મોટું નિવદેન

સુરત: ઉત્તર પ્રદેશમાં અતિક અહેમદની હત્યાને લઈને ચારે તરફ ચર્ચા થઈ રહી છે. વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો હવે આ મામલે AHP ( આંતરાષ્ટ્રીય હિન્દૂ પરીષદ )  નેતા પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું છે.

સુરત: ઉત્તર પ્રદેશમાં અતિક અહેમદની હત્યાને લઈને ચારે તરફ ચર્ચા થઈ રહી છે. વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો હવે આ મામલે AHP ( આંતરાષ્ટ્રીય હિન્દૂ પરીષદ )  નેતા પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું છે. અતિક અહેમદની હત્યાને લઈને પ્રવિણ તોગડીયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, માફિયા રાજની સમાપ્તિ થવી જોઈએ. આ કેસ મામલે તપાસ થઇ રહી છે. દેશના કોઈ ગામમાં શહેરમાં હવે ઓરંગઝેબ પૈદા નહિ થવો જોઈએ. હવે ઓરંગઝેબનો સમય આ દેશમાં નથી. 

સુપ્રીમ કોર્ટની દેખરેખમાં અતીક-અશરફની હત્યાની થાય તપાસ

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે (15 એપ્રિલ) મોડી સાંજે પ્રયાગરાજમાં પોલીસની હાજરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશ સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. AIMIM ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, "યુપીમાં ભાજપની સરકાર કાયદાથી નહીં પરંતુ બંદૂકના દમ પર ચાલી રહી છે.

ઓવૈસીએ આ ઘટનાની સખત નિંદા કરતા કહ્યું કે આ એક 'કોલ્ડ 'બ્લડેડ મર્ડર’ છે. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે. આ પછી શું જનતાને દેશના બંધારણ અને કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ રહેશે? મોટો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, આમાં યુપીની ભાજપ સરકારની ભૂમિકા છે. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જોઈએ અને સમિતિની રચના થવી જોઈએ. કમિટીમાં ઉત્તર પ્રદેશના કોઈ અધિકારીનો સમાવેશ ન કરવો જોઈએ.

ઓવૈસીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે, "હું શરૂઆતથી જ કહેતો હતો કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર કાયદા પ્રમાણે નહીં પરંતુ બંદૂકના જોરે ચાલી રહી છે. આનાથી લોકોનો બંધારણમાં વિશ્વાસ ઓછો થશે. આ ઘટનાની નિંદા કરવા માટે કોઈ શબ્દો નથી.

ફાયરિંગ કરી ધાર્મિક સૂત્રોચ્ચાર કેમ? – ઓવૈસી

ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે, "તમે ગોળી મારીને ધાર્મિક નારા કેમ લગાવી રહ્યા છો? તેઓને આતંકવાદી નહી કહો તો શું દેશભક્ત કહેશો? શું તેઓ (ભાજપ) ફૂલોના હાર પહેરાવશે? જે લોકો એન્કાઉન્ટરની ઉજવણી કરી રહ્યા છે તેઓ શરમથી ડૂબી મરે. " વાસ્તવમાં હુમલાખોરોએ જય શ્રી રામના નારા લગાવ્યા અને અતીક અહેમદ અને અશરફને એક પછી એક ગોળી મારીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.

આરોપીઓએ શું કહ્યુ?

પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ કહ્યું હતું કે અતીક અને અશરફ અમારા નિર્દોષ ભાઈઓની હત્યા કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓ ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે ધર્મનું કામ કર્યું છે. અન્યાયનો અંત આવ્યો. અમને કોઈ દુઃખ નથી. ભલે અમને ફાંસી આપવામાં આવે. અમે અમારું કામ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
સુરતીઓ સાવધાન! પ્રખ્યાત હોટલ અને ડેરીઓમાં પનીર-ચીઝના સેમ્પલ ટેસ્ટિંગમાં થયા ફેલ!
સુરતીઓ સાવધાન! પ્રખ્યાત હોટલ અને ડેરીઓમાં પનીર-ચીઝના સેમ્પલ ટેસ્ટિંગમાં થયા ફેલ!
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
Surat: પશુપાલકો માટે ખુશીના સમાચાર, સુમુલ ડેરી પ્રતિ કિલોફેટે ચૂકવશે 120 રૂપિયાનું બૉનસ
Surat: પશુપાલકો માટે ખુશીના સમાચાર, સુમુલ ડેરી પ્રતિ કિલોફેટે ચૂકવશે 120 રૂપિયાનું બૉનસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget