શોધખોળ કરો

ખેડૂત આંદોલનને પગલે વૈષ્ણવ દેવી ખાતે ફસાયેલા સુરતના 1700 પ્રવાસીઓને લઈને મોટા રાહતના સમાચાર, જાણો શું કરાઇ વ્યવસ્થા?

હવે સુરતના સાંસદ દર્શનાબેન જર્દોષ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને લઈ ટ્રેન રદ્દ કરાઈ હતી. સ્પેશિયલ ટ્રેન મારફતે સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે.

સૂરત: વૈષ્ણવ દેવી કટરા પાસે સુરતના લોકો ફસાવવા મામલે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરનતા 1700 જેટલા લોકો ખેડૂત આંદોલનને કારણે ફસાયા હતા. હવે સુરતના સાંસદ દર્શનાબેન જર્દોષ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને લઈ ટ્રેન રદ્દ કરાઈ હતી. સ્પેશિયલ ટ્રેન મારફતે સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું હતું.

વૈષ્ણવદેવીની યાત્રાએ ગયેલા 1700 લોકો કટરામાં ફસાય જતા સરકાર પાસે મદદની પુકાર લગાવી હતી. બે દિવસથી માઁ વૈષ્ણવદેવી સમિતિ દ્વારા પણ તમામ યાત્રી માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી તમામ પ્રવાસીઓને પરત સુરત ઘર વાપસી થાય એ માટે સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. ખેડૂત આંદોલન ને લઈ ટ્રેન રદ્દ કરાતા તમામ પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. સુરતી પ્રવાસીઓની હાલત કફોડી બની હતી.

રાકેશ પાઠકે જણાવ્યું હતું કે 17 મી ના રોજ તેઓ 1700 જેટલા વડીલો સહિતના લોકોને મા વૈષ્ણવદેવીની યાત્રા સાથે નીકળ્યા હતા. કટરા પહોંચ્યા બાદ અચાનક ટ્રેન રદ કરી દેવાતા તમામ પ્રવાસીઓ કટરામાં ફસાઈ ગયા હતા. બે દિવસથી હોટેલમાં રહેતા વડીલો ડરી ગયા છે. હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ મારી ગુજરાત સરકાર અને સુરતના સાંસદો ને એટલી જ વિનંતી છે કે અમારી મદદ કરે અને અમને બધા ને સુરત લાવવા ની વ્યવસ્થા કરે.

નિમેષ પટેલ (પ્રવાસી) એ જણાવ્યું હતું કે વૈષ્ણવદેવી સમિતિ દ્વારા સ્પેશિયલ ટ્રેન ઉપાડવામાં આવી હતી. કિશાન આંદોલનને લઈ ટ્રેન રદ કરાઈ છે. જેને લઈ કટરામાં અનેક પ્રવાસીઓ ફસાયા છે. હોટેલમાં રહેવું અને ત્યાનું ભોજન ખાવા મજબુર બન્યા છે. કેટલાક પાસે હવે ખર્ચ કરવા માટેના પૈસા પણ નથી. ટ્રસ્ટ સંચાલક પણ અમારી સાથે જ છે. બસ સર્ક્સર મધ્યસ્થી કરે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે? શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । બોપલમાં બિલ્ડર પર ફાયરિંગના કેસમાં થઈ ક્રોસ ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોAnand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે? શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારતમાં શિક્ષિત યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા બની સૌથી મોટો પડકાર, કેવી રીતે દેશમાં ઉભી થશે રોજગારીની તકો
ભારતમાં શિક્ષિત યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા બની સૌથી મોટો પડકાર, કેવી રીતે દેશમાં ઉભી થશે રોજગારીની તકો
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
Embed widget