શોધખોળ કરો

Surat : C.R.ના ફરમાન છતાં C.M.ના કાર્યક્રમમાં 93 કોર્પોરેટરમાંથી 26 કોર્પોરેટરો ગેરહાજર, નોટિસ અપાતાં કર્યા કેવા વિચિત્ર ખુલાસા ?

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા માટે પ્રદેશ પ્રમુખ પાટિલે તાકીદ કરી હોવા છતાં ભાજપના 26 કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા. શાસક પક્ષના નેતાએ નોટીસ ફટકારી ખુલાસો માગ્યો હતો.

સુરત: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રવિવારે કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના 93 કોર્પોરેટરમાંથી 26 કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા.

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા તેનાથી ચોંકી ઉઠેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાથી જે કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા તેમને નોટિસ અપાઈ હતી. આ નોટિસના જવાબમાં જે કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા તેમણે સાવ બાલિશ અને વિચિત્ર કહેવાય એવા કારણો રજૂ કર્યાં છે.

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે તાકીદ કરી હોવા છતાં ભાજપના 26 કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા. ગેરહાજર રહેલાં કોર્પોરેટરોને શાસક પક્ષના નેતાએ નોટીસ ફટકારી ખુલાસો માગ્યો હતો. આ નોટીસના ખુલાસામાં કોર્પોરેટરોએ બાઈકમાં પંક્ચર પડી ગયું, પોતે કે સગાં બિમાર હતાં એવાં કારણો રજૂ કરતાં આ કોર્પોરેટરોની ભાજપમાં જ મજાક ઉડી રહી છે.

ગેર હાજર રહેલાં 26 કોર્પોરેટરો પૈકીના નવ કોર્પોરેટરોએ પોતે અથવા પોતાના પરિવારના સભ્યો બિમાર હોવાનો ખુલાસો કર્યો હતો. કતારગામના એક કોર્પોરેટરે એવો ખુલાસો કર્યો છે કે,  પોતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવતાં હતા પરંતુ બાઈકમાં પંકચર પડતાં તેઓ કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા.

આ સિવાય  બે કોર્પોરેટરે એવો ખુલાસો કર્યો છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો પરથી પ્રસારિત મનકી બાતના કાર્યક્રમમાં પોતાના વિસ્તારના લોકો સાથે હાજર રહ્યાં હતા તેના કારણે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યતા. એક કોર્પોરેટરે પોતે ક્રિકેટની પ્રેક્ટીસ દરમિયાન  ઈજા થઈ હોવાથી કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા એવો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગેર હાજર રહેવા બદલ 26 કોર્પોરેટરને નોટીસ ફટકારવામા આવી હતી. 93 કોર્પોરેટરમાંથી 26 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા તેથી અકળાયેલા પાટીલે કોર્પોરેટરોને આ બાબતની ગંભીર નોંધ લેવાઈ હોવાની ચીમકી આપી હોવાની ભાજપમાં ચર્ચા છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget