શોધખોળ કરો

Surat : કોમ્પલેક્ષની પેરાફિટ ધરાશાયી થતાં 5 લોકો દટાયા, બેના મોત

સુરત : સુમુલ ડેરી રોડ પર કિરણ હોસ્પિટલની પાછળ આવેલ કોમ્પ્લેક્ષની પેરાફિટ ધરશાયી થતાં 5 લોકો દટાયા છે. ફાયર વિભાગે તમામ લોકોને બહાર કાઢી લીધા છે. બેની હાલત ગંભીર છે.

સુરત : શહેરના કતારગામમાં સુમુલ ડેરી રોડ પર કિરણ હોસ્પિટલની પાછળ આવેલ કોમ્પ્લેક્ષની પેરાફિટ ધરશાઈ થતાં 5 લોકો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. આ અંગે જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પેરાફિટનો કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઝરીવાલા કમ્પાઉન્ડમાં બીજા માળની પેરાફિટ ધરાશાયી થઈ છે. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સેકન્ડ ફ્લોરની પેરાફિટ ધરાશાયી થતાં આ ઘટના ઘટી હતી. બે લોકોની હાલત ગંભીર છે. ત્રણ લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. 

સુરતના ઝરીવાળા કમ્પાઉન્ડમાં બનેલી દુર્ઘટનાની વાત કરીએ તો ટેરેસની છત તોડી નવો માળ બનાવવાના હતા. ટેરેસની ગેલેરી તોડતી વખતે દુર્ઘટના બની. પાર્કિંગમાં છતની આખી દીવાલ પડી, જેમાં નીચે 5 લોકો દબાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. અહીં મ્બ્રોઇડરી અને જ્વેલરી કારખાના આવ્યા છે. 60 લોકોને રેસ્ક્યુ કરાયા છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, બપોરે 12.30 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. પાંચેક લોકો છત નીચે દટાયા હતા. બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, તે મુર્છિત હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો પણ રેસ્ક્યૂમાં જોડાયા હતા. છત ધરાશાયી થતાં અફરા-તફરી મચી ગઈ હતી. જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. બહાર કાઢેલા લોકોને કિરણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇમારતનો ભાગ જર્જરિત જાણવા મળ્યું છે. તેના રિપેરિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું હતું. 

ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા

GUJARAT : 18 માર્ચ ધુળેટીનો દિવસ ગુજરાત માટે દુર્ઘટનાનો દિવસ રહ્યો હતો. ધૂળેટીના દિવસે રાજ્યમાં અલગ અલગ દુર્ઘટનામાં પાણીમાં 16 લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે.  દેવભૂમિ દ્વારકામાં 5, મહિસાગરમાં 4, વાપીમાં બે, ભરુચમાં બે, ભાવનગરમાં એક અને ખેડામાં 2 ડૂબ્યા છે. 

ભાણવડમાં પાંચ યુવાનોના ડૂબી જતા મોત 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કરુણાંતિકા સર્જાઈ છે. ભાણવડમાં ત્રિવેણી સંગમમાં નદીમાં નહાવા પડેલા પાંચ યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ તમામના મૃતદેહ બહાર કાઢ્યાં  છે. આ સમાચાર બહેતા થતા સમગ્ર ભાણવડ તેમજ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ પાંચ યુવાનો ધુળેટી પર્વ પર નદીમાં નહાવા માટે ગયા હતા અને આ દરમિયાન નદીના પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક તરવ્યા દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા અને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં  છે.

મહીસાગરમાં ત્રણ મામા અને એક ભાણીયાનું મોત 

એક બાજુ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં નદીમાં દુવિ જવાથી પાંચ યુવાનોના મોત થયાના સમાચાર તાજા છે ત્યાં બીજી બાજુ મહીસાગર નદીમાં ચાર યુવાનો ડૂબ્યાના સમાચાર મળી રહ્યાં છે. મહીસાગર નદીમાં કઠલાલના ચાર યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર છે. આ દુર્ઘટના વણાકબોરીમાં ધુળેટી પર્વ દરમિયાન યોજાયેલા મેળામાં ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચાર માંથી ત્રણ યુવાનો મામા અને એક યુવાન ભનાઇયો હોવાનું સામે આવ્યું છે. 

ખેડામાં બે બાળકો ડૂબ્યા 

ખેડા જિલ્લાના વસો તાલુકા ઝારોલ ગામેં બે બાળકોના ડૂબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ધુળેટી પર્વ પર ગામના તળાવમાં ન્હાવા પહેલા બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ બન્ને બાળકોની ઉમર 14 અને 15 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં 15 વર્ષના બાળકનું નામ પ્રિતેશ અજીતભાઈ સોલંકી અને 14 વર્ષના બાળકનું નામ સાગર અજીતભાઈ સોલંકી છે. મૃતક બાળકોના મૃતદેહની   પીએમની કાર્યવાહી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.

ભરુચમાં બે યુવાનો તણાયા

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો તણાયા હતા. બન્ને યુવાનના મૃતદેહોની શોધખોળ શરૂ કરાઈ છે. સુનીલ અને વિષ્ણું બંને યુવાનો નદીના પાણીમાં ગરકાવ. યુવાનોના પરિવારોના નદી ઉપર ધામા.

વાપીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત

વાપીના બે અલગ અલગ વિસ્તારમાં ડૂબી જવાથી બે યુવકોના મોત નીપજ્યા છે. 

ભાવનગર યુવક ડૂબ્યો

પાલીતાણા તાલુકાના મેઢા ગામ નજીક આવેલ કેનાલમાં બપોર બાદ એક યુવાન ડૂબી ગયો. કેનાલમાં ન્હાવા પડેલ યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ થતા યુવક ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદ સાંજના સમયે શોધખોળ બાદ કેનાલમાં ડૂબેલ યુવકનો મૃતદેહ મળી આવતા પાલીતાણા હોસ્પિટલ પી.એમ અર્થે ખસેડવામાં આવેલ છે. મૃતક યુવક પાલીતાણાના કંજરડા ગામનો હોવાનું જાણવા મળ્યું છે, પરિવારમાં માતમ છવાયો છે. 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
યશની Toxic ફિલ્મનો વિશ્વભરમાં વાગ્યો ડંકો, ઓપનિંગ ડે પર તોડી નાખ્યો 'જવાન'નો રેકોર્ડ
યશની Toxic ફિલ્મનો વિશ્વભરમાં વાગ્યો ડંકો, ઓપનિંગ ડે પર તોડી નાખ્યો 'જવાન'નો રેકોર્ડ
Embed widget