શોધખોળ કરો

Surat: મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, મોડી રાત્રે ત્રણ શખ્સો મંદિરની દાનપેટીમાંથી હાથફેરો કરતાં સીસીટીવીમાં કેદ, જાણો

સુરતમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે, શહેરના ઉધના રૉડ પર આવેલા મંદિરમાં હવે ચોરોએ હાથફેરો કર્યો છે

Surat Crime News: સુરતમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે, શહેરના ઉધના રૉડ પર આવેલા મંદિરમાં હવે ચોરોએ હાથફેરો કર્યો છે. શહેરમાં મકાનો, ઓફિસો, દુકાનો બાદ હવે ચોરીનો ટાર્ગેટ મંદિરો બની રહ્યાં છે. મોડી રાત્રે ઉધનાના મહાદેવ મંદિરમાં ત્રણ ચોરો દાનપેટી લૂંટીને ફરાર થઇ ગયા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. 

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં પોલીસ સામે ચોર ટોળકી પડકાર ફેંકી રહી છે, હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, શહેરમાં હવે તસ્કરો ફરી એકવાર બેફામ બન્યા છે, મકાનો, ઓફિસો, દુકાનો બાદ હવે શહેરમાં મંદિરો પણ સલામત નથી રહ્યાં. ગઇ મોડી રાત્રે સુરત ઉધનામાં તસ્કરોએ આતંક મચાવ્યો છે, મંદિરમાં લૂંટની ઘટના ઘટી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. ગઇ રાત્રે ઉધનામાં આવેલી ભગવતી નગર સોસાયટીમાં તસ્કરોએ એક મહાદેવ મંદિમાં ચોરી કરી છે. ચોરોએ મંદિરની દાનપેટીમાંથી હાથફેરો કર્યો છે. ત્રણ જેટલા ચોર શખ્સો મંદિરમાંથી દાનપેટીમાંથી ચોરી કરી રહ્યાં હતા, તે સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આ ચોરી બાદ ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે. 

સુરતમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી 

સુરત શહેરમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. શહેરના રાંદેર વિસ્તારમાંથી પોલીસે 4 આરોપીઓ પાસેથી એક ઓટો રીક્ષા, અલગ-અલગ કંપનીની વાહનોની બેટરી, મોબાઈલ તેમજ રોકડ સહિત 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓ પૈકીના 1 આરોપી પાસેથી મળી આવેલ ચોરીના મોબાઈલ અંગે પુછપરછ કરતા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો હતો. 

રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ અને મોબાઈલ ચોરીના 2 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં 1 શખ્સ ભંગારનો વેપારી હોવાનું સામે આવ્યું છે.

સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી. જે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી.પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. 

આ દરમિયાન રાંદેર પોલીસની ટીમને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો એક ઓટો રિક્ષામાં ચોરીની બેટરીઓ લઈ રાંદેરના પાયકવાડ સ્થિત ઝંડા ચોક ખાતે આવેલ તારીક મેવની ભંગારની દુકાને વેચાણ અર્થે આવી રહ્યા છે. આ માહિતીના આધારે રાંદેર પોલીસ દ્વારા વોચ ગોઠવી ઓટોરિક્ષામાં ચોરીની બેટરી લઈ આવેલા એઝાઝ ઉર્ફે ઇલ્યાસ દભોયા અને શબ્બીર મુબારક પટેલને ઝડપી પાડ્યા છે. ઓટો રીક્ષાની તલાસી લેતા તેમાંથી પાંચથી વધુ અલગ અલગ કંપનીઓની બેટરીઓ મળી આવી હતી. જે બેટરીઓ સુરતના રાંદેર વિસ્તારમાંથી અલગ-અલગ વાહનોમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. 

પોલીસની  પૂછપરછમાં ઓટો રીક્ષા હાકિંમદિન સૈયદ નામના શખ્સની હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં ઓટો રીક્ષા ચાલક હાકિંમદિન સૈયદની પણ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓ વાહનોમાંથી ચોરી કરતી બેટરીઓ રાંદેરના ઝંડા ચોક ખાતે આવેલા ભંગારના વેપારી તારીક મેવને વેચાણ કરતા હોવાની હકીકત જણાવી હતી. ભંગારના વેપારી તારિક મેવની પણ ધરપકડ કરવામાં આવી હતી. ચાર પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ રાંદેર વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. આમ રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. 

આ કેસમાં પોલીસે એક ઓટો રીક્ષા, રોકડા રૂપિયા,ચોરીનો એક મોબાઈલ,ચોરીની પાંચ બેટરીઓ સહિત 1.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Embed widget