શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખની રહસ્યમય આત્મહત્યા, કોણે કરી તપાસની માંગ?
જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ગેજેરાએ ગઈ કાલે કામરેજના કઠોર ખાતે તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી.
![સુરતઃ રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખની રહસ્યમય આત્મહત્યા, કોણે કરી તપાસની માંગ? Surat diamond vikas sangh president mysterious suicide case , watch latest update સુરતઃ રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખની રહસ્યમય આત્મહત્યા, કોણે કરી તપાસની માંગ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/10192928/JAYSUKH-GAJERA.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખનું રહસ્યમય મોત થતાં સમગ્ર સુરત અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચકચાર જાગી છે. જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ગેજેરાએ ગઈ કાલે કામરેજના કઠોર ખાતે તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આજે કઠોર તાપી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાના રહસ્યમય આપઘાત મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પોલીસ કમિશ્નર અને રેન્જ આઈજીને રજુઆત કરવામાં આવી છે. તેમના દ્વારા યોગ્ય તપાસ કરવા રજુઆત કરવામાં આવી છે. જયસુખ ગજેરા હંમેશા રત્નકલાકારો માટે ઝઝૂમતા હતા.જયસુખ ગજેરાએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, હજુ આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
યુનિયન દ્વારા જણાવાયું છે કે, ગજેરા આપઘાત કરે એ વાત ગળે ઉતરે એવી નથી માટે જયસુખભાઈના રહસ્યમય આપઘાત પ્રકરણમાં ઉચ્ચ કક્ષાએ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવે. તેમના મોબાઇલની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. જેથી ભોગ બનનારને ન્યાય મળે તે ખૂબ જરૂરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)