શોધખોળ કરો

Surat Mass Suicide Case: મનીષ સોલંકી તાંત્રિક વિધિના રવાડે ચડી ગયો હતો?

Surat Crime News: સોલંકી પરિવારના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Surat Mass Suicide Case Updates: સુરત શહેરના પાલનપુર જકાતનાકા ખાતે આજે શનિવારે સવારે એપાર્ટમેન્ટમાં માતા-પિતા તથા પત્ની અને તેમના ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવીને હત્યા કર્યા બાદ ફર્નીચરના ધંધો કરતા યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. બે પાનાની સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં આપેલા પૈસા પરત નહી આવ્યાનો ઉલ્લેખ કરાયો છે પણ કોઇના નામો લખવામાં આવ્યા નથી. પોલીસે તપાસ માટે એસઆઇટીની રચના કરી છે.

અડાજણમાં પાલનપુર જકાતનાકા પાસે વિદ્યાકુંજ સ્કુલ નજીક આવેલા શ્રી સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા 37 વર્ષીય મનીષ ઉર્ફે શાંન્તીલાલ કનુભાઇ સોલંકીએ શનિવારે સવારે તેના કારીગરે ફોન કરતા રીર્સીવ નહી કરતા ઘરે આવ્યો હતો. ત્યારે તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી કારીગરે ઘણા સમય સુધી ખખડાવ્યો હતો. પણ અંદરથી જવાબ નહી આપતા કારીગર પાછળ સાઇડ કાચની બારી તોડીને અંદર ગયો હતો. ત્યાંરે ઘરમાં  હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા એટલે કે પરિવારના તમામ સભ્યો મૃતહાલતમાં પડેલા જોઇને ગભરાઇ ગયો હતો અને તેણે આજુ બાજુના લોકોને જાણ કરી હતી. જેથી કોઇએ પોલીસને જાણ કરતા પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.

પોલીસે દરવાજો ખોલીને અંદર જતા હોલમાં મનીષના માતા શોભાબેન (ઉ-વ-68) તથા તેમના પિતા કનુભાઇ વિઠ્ઠલભાઇ સોલંકી (ઉ-વ-70) મૃત હાલતમાાં પડેલા હતા અને તેમની નજીકમાં મનીષ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા હેબતાઇ ગયા હતા. એટલુ નહી પણ બાજુના રૂમમાં તેમની પત્ની રીટા ઉર્ફે રેશ્મા (ઉ-વ-35), તેમની બે પુત્રીઓ અને એક પુત્ર મૃત હાલતમાં મળ્યા હતા. આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઇને પોલીસની સાથે - સાથે આસપાસના પડોશીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. લુહાણા સુથાર જ્ઞાાતિ સમાજના એક જ પરિવારના સાત સભ્યોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી જવા પામી હતી.


Surat Mass Suicide Case: મનીષ સોલંકી તાંત્રિક વિધિના રવાડે ચડી ગયો હતો?

આ મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાની આશંકા છે. મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પણ ફેસબૂક પર મૂક્યો હતો. સોલંકી પરિવારના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં પરિવારની હત્યા કરીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરનાર ઘરના મોભી મનીષભાઈ સોલંકી ધાર્મિક જીવનને વધુ મહત્વ આપતા હતા. તેઓ રોજ વહેલી સવારે ભગવાનનું ધ્યાન પણ ઘરતા હતા. ઉપરાંત તમામ ધર્મને માનતા હતા. તેઓ કોઈ તાંત્રિક વિધિ કરતા હોય એવા આશ્રમમાં પણ જતા હતા.  ઘટના પહેલાં જ મનીષભાઈએ શુક્રવાર રાત્રિના નવ વાગ્યાના અરસામાં માતાની છબી આગળ દિવો મૂક્યો હોવાનો ફોટો વ્હોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો, બાદમાં મનીષભાઇએ ઘરના સભ્યોની હત્યા કરીને પોતે જીવન ટુંકાવ્યું હતું.

મનીષભાઇએ સુસાઈડ નોટમાં પણ તાંત્રિક શબ્દોનો ‘ભગવાન પરચો બતાવશે’’ તેવો ઉલ્લેખ પણ કર્યો છે. મનીષ ઘણા સમયથી તેના અંગત મિત્ર બ્રાહ્મણ વિપુલ નામના વ્યકતિ સાથે સંપર્કમાં આવ્યો હતો.
મનીષે અગાઉ પોતાના સોશિયલ મીડિયામાં અઘોરી બાવાના આશીર્વાદ લેતો હોવાનો વીડિયો પણ અપલોડ કર્યો હતો. તેઓ તાંત્રિક વિદ્યામાં પણ વધુ માનતા હતા. બ્રાહ્મણ વિપુલ આવી પ્રવૃત્તિઓ કરાવતો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.  ભૂતકાળમાં પણ તાંત્રિક વિધિઓના ચક્કરમાં ઘણા લોકોના જીવ ગયા છે. પોલીસ દ્રારા આ બાબતે તપાસ કરવામાં આવે તો તાંત્રિક વિધિઓને લઈને ફરતી વાતોમાં સચોટ તારણ બહાર આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: બૉર્ડની પરીક્ષાનું પેપર ખરાબ જતા ધોરણ-12ના બે વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા
Surat: બૉર્ડની પરીક્ષાનું પેપર ખરાબ જતા ધોરણ-12ના બે વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
LPG Gas Cylinder: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે શું આપ્યું નિવેદન?
LPG Gas Cylinder: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે શું આપ્યું નિવેદન?
US Israel war: ભારતમાં કોમર્શિયલ LPGની અછત, મુંબઈ-બેંગલુરુ સહિત અનેક શહેરોમાં હોટલ-રેસ્ટોરન્ટમાં અસર
US Israel war: ભારતમાં કોમર્શિયલ LPGની અછત, મુંબઈ-બેંગલુરુ સહિત અનેક શહેરોમાં હોટલ-રેસ્ટોરન્ટમાં અસર
Fuel Prices: શું વધવાની પેટ્રોલ-ડીઝલની કિંમત? સરકારે આપ્યો જવાબ, શું છે સરકારની તૈયારી?
Fuel Prices: શું વધવાની પેટ્રોલ-ડીઝલની કિંમત? સરકારે આપ્યો જવાબ, શું છે સરકારની તૈયારી?
ICCએ જાહેર કરી T20 World Cup 2026 માટે ટીમ ઓફ ધ ટુનામેન્ટ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ બહાર, ચાર ભારતીયને મળ્યું સ્થાન
ICCએ જાહેર કરી T20 World Cup 2026 માટે ટીમ ઓફ ધ ટુનામેન્ટ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ બહાર, ચાર ભારતીયને મળ્યું સ્થાન
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
JEE Advanced 2026: 23 એપ્રિલથી કરી શકાશે અરજીઓ , 17 મેના રોજ યોજાશે પરીક્ષા
JEE Advanced 2026: 23 એપ્રિલથી કરી શકાશે અરજીઓ , 17 મેના રોજ યોજાશે પરીક્ષા
Embed widget