છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સરેરાશ 2.60 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો હતો.
Surat Rain: સુરતમાં મોડીરાતથી તોફાની વરસાદ, અઢી ઇંચ ખાબકતાં કડોદરામાં ભરાયા ઘૂંટણસમા પાણી
Surat Rain: શહેરની સાથોસાથ સુરત ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારો જેવા કે કોસંબા, કીમ, કામરેજ અને કડોદરામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે

- સુરતમાં ભારે વરસાદથી વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી ખુલ્લી.
- કડોદરાની શ્રીનિવાસ સોસાયટી જળમગ્ન, દસ હજાર લોકો મુશ્કેલીમાં.
- નબળી ડ્રેનેજ વ્યવસ્થાએ ગટર પાણી ભેળવ્યું, લોકોમાં રોષ.
Surat Rain: સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં મોડી રાત્રથી જ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પ્રથમ વરસાદમાં જ વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2.60 ઈંચ જ્યારે જિલ્લામાં 1 થી 2 ઈંચ જેટલો તોફાની વરસાદ ખાબકતાં કડોદરા જેવા નિચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી 10 હજારથી વધુ સ્થાનિક રહીશો, નોકરિયાત વર્ગ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરની સાથોસાથ સુરત ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારો જેવા કે કોસંબા, કીમ, કામરેજ અને કડોદરામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. કડોદરા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં કરવામાં આવતી પ્રિ-મોન્સૂન સફાઈ અને ડ્રેનેજ કામગીરી માત્ર એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ગટર અને વરસાદી પાણી ભેગા થઈને રસ્તાઓ તેમજ નીચાણવાળા ઘરોમાં ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં 10 હજારથી વધુ લોકોનો વસવાટ હોવાથી સવારના સમયે નોકરી પર જતાં શ્રમિકો અને સ્કૂલે જતાં બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી સ્થાનિકોમાં પાલિકાની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાનાપોંઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
Frequently Asked Questions
સુરત શહેરમાં કેટલો વરસાદ નોંધાયો છે?
કયા વિસ્તારમાં જળભરાવની ગંભીર સમસ્યા સર્જાઈ છે?
કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે 10 હજારથી વધુ રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ વિસ્તાર જળમગ્ન બન્યો છે.
કડોદરામાં જળભરાવનું મુખ્ય કારણ શું છે?
કડોદરા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન સફાઈ અને ડ્રેનેજ કામગીરી યોગ્ય રીતે ન થતાં પાણીનો નિકાલ થયો નથી. ગટર અને વરસાદી પાણી ભેગા થઈ રસ્તાઓ પર ભરાઈ ગયા છે.
જળભરાવથી કયા લોકોને અસર થઈ છે?
શ્રીનિવાસ સોસાયટીમાં 10 હજારથી વધુ સ્થાનિક રહીશો, નોકરિયાત વર્ગ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.






















