શોધખોળ કરો

સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ

દરિયાઈ માર્ગેથી આવતા કાચા માલની સપ્લાય ખોરવાતા સુરતની ફેક્ટરીઓમાં ઉત્પાદન ધીમું પડ્યું. શિપિંગ અને કન્ટેનરના ભાડા 600 ડોલરથી ઉછળીને સીધા 4000 ડોલરે પહોંચી ગયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અશાંતિને કારણે સુરતના સોલાર હબ પર સીધી અને નકારાત્મક અસર પડી છે.
  • ખોરવાયેલી સપ્લાય ચેઈનને લીધે સુરતના ઉદ્યોગકારો પાસે હાલ ₹25,000 કરોડના અધધ ઓર્ડર પૂરા કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
  • દેશના કુલ સોલાર મેન્યુફેક્ચરિંગમાં 50 થી 55 ટકા જેટલો મોટો હિસ્સો માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોનો છે.
  • દરિયાઈ માર્ગે આવતા કાચા માલ (રો-મટીરિયલ) ની આવક અનિયમિત થતા ફેક્ટરીઓમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે.
  • કન્ટેનરના ભાડા $600-$900 થી વધીને સીધા $3500-$4000 સુધી પહોંચતા ઓર્ડરની પડતર કિંમતમાં 20% જેટલો વધારો થયો છે, જેનાથી નફો મેળવવો મુશ્કેલ બન્યો છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની હવે સુરતના હબ ગણાતા સોલાર ઉદ્યોગ પર સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે. વૈશ્વિક અશાંતિ અને ખોરવાયેલી સપ્લાય ચેઈનને કારણે સુરતના ઉદ્યોગપતિઓ પાસે હાલ ₹25,000 કરોડના અધધ ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે. કન્ટેનરના ભાડામાં થયેલા તોતિંગ વધારા અને કાચા માલની અછતના કારણે સોલાર પેનલ બનાવવાનો ખર્ચ એટલો વધી ગયો છે કે, ઉદ્યોગકારો માટે હવે નફો કમાવવો તો દૂરની વાત છે, પોતાની મૂડી બચાવવી પણ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.

આ અંગે સુરતના અગ્રણી ઉદ્યોગપતિ ડોક્ટર ચેતન શાહ જણાવે છે કે, આખા દેશમાં જેટલું પણ સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે, તેમાંથી 50 થી 55 ટકા જેટલું ઉત્પાદન તો માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં જ થાય છે. પરંતુ હાલમાં યુદ્ધની સ્થિતિના લીધે દરિયાઈ માર્ગેથી આવતા કાચા માલ (રો-મટીરિયલ) ની આવક સાવ અનિયમિત થઈ ગઈ છે. ફેક્ટરીઓમાં કામ ચાલુ રાખવા માટે જરૂરી મટીરિયલ સમયસર મળી રહ્યું નથી, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા સાવ ધીમી પડી ગઈ છે અને સમયસર ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની ગયા છે.

ડો. ચેતન શાહના મતે, આ વૈશ્વિક અશાંતિને લીધે શિપિંગ ઉદ્યોગમાં ભાવવધારો આસમાને પહોંચી ગયો છે. પરિસ્થિતિ એવી છે કે, અગાઉ જે કન્ટેનરનું ભાડું 600 થી 900 ડોલરની આસપાસ રહેતું હતું, તે યુદ્ધના કારણે રાતોરાત વધીને 3500 થી 4000 ડોલર સુધી પહોંચી ગયું છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં થયેલો આ અસાધારણ ભાવ વધારો સોલાર પેનલની અંતિમ કિંમત પર સીધી અસર કરી રહ્યો છે. ઉદ્યોગકારોનું માનીએ તો વર્તમાન સ્થિતિમાં દરેક ઓર્ડર પર અંદાજે 20 ટકા જેટલી વધારાની પડતર (ખર્ચ) બેસી રહી છે. લાખો અને કરોડોના ઓર્ડરમાં આ 20 ટકાનો બોજો ઉદ્યોગકારોની કમર તોડી નાખે તેવો છે. જે પ્રોજેક્ટ્સમાં સારી કમાણીની આશા હતી, તેમાં હવે ઉદ્યોગકારો માંડ માંડ પોતાનો ખર્ચો કાઢી રહ્યા છે.

Frequently Asked Questions

મિડલ ઈસ્ટના યુદ્ધની સુરતના સોલાર ઉદ્યોગ પર શું અસર થઈ છે?

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક અશાંતિ સર્જાઈ છે. આના લીધે કાચા માલની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે અને સુરતના સોલાર ઉદ્યોગકારો પાસે ₹25,000 કરોડના ઓર્ડર પેન્ડિંગ છે.

સુરતમાં કેટલું સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે?

સમગ્ર દેશના સોલાર મેન્યુફેક્ચરિંગના 50 થી 55 ટકા ઉત્પાદન સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં થાય છે. હાલમાં કાચા માલની અછતને કારણે ઉત્પાદન ધીમું પડી ગયું છે.

કન્ટેનરના ભાડામાં કેટલો વધારો થયો છે?

યુદ્ધને કારણે કન્ટેનરના ભાડામાં અસાધારણ વધારો થયો છે. જે ભાડું પહેલા 600 થી 900 ડોલર હતું તે હવે 3500 થી 4000 ડોલર સુધી પહોંચી ગયું છે.

સોલાર પેનલ બનાવવાનો ખર્ચ કેટલો વધી ગયો છે?

વધેલા કન્ટેનર ભાડા અને કાચા માલની અછતના કારણે સોલાર પેનલ બનાવવાનો ખર્ચ વધી ગયો છે. દરેક ઓર્ડર પર અંદાજે 20 ટકા જેટલો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: પાખંડી યોગગુરૂની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, 17 લાખનો કાચો માલ ચીનથી મંગાવ્યો હતો
Surat News: પાખંડી યોગગુરૂની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, 17 લાખનો કાચો માલ ચીનથી મંગાવ્યો હતો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
Advertisement

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
Embed widget