શોધખોળ કરો
સુરત જિલ્લાના કયા તાલુકામાં નોંધાયા બે પોઝિટિવ કેસ? સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે જિલ્લાના ઓલપાડ, મહુલા બાદ પલસાણા તાલુકામાં કોરોનાનો કેસ નોંધાયો હતો.

પ્રતિકાત્મક તસવીર
સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે જિલ્લાના ઓલપાડ, મહુલા બાદ પલસાણા તાલુકામાં કોરોનાનો કેસ નોંધાયો હતો. પલસાણાના પરપ્રાંતિય વિસ્તાર જોળવા ગામે પુરુષ અને મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બંન્ને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સુરત જિલ્લાના પલસાણાના પરપ્રાંતિય વિસ્તાર જોળા ગામે પુરુષ અને મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોળવા ગામે આરાધના ડ્રીમમાં રહેતા 50 વર્ષિય આધેડ અને પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ બન્નેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. સવારથી જિલ્લામાં વિવિધ તાલુકામાં 12 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યાર જિલ્લાની કુલ સખ્યા 112 થઈ ગઈ છે.
Before You Go
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત





















