શોધખોળ કરો

Cyclone Montha: મોંથા વાવાઝોડુ જોરદાર ગતિએ વધી રહ્યું છે આગળ, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Cyclone Montha: ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશ તરફ આગળ વધ્યું, શાળાઓ અને કોલેજો બંધ, ઘણી ટ્રેનો રદ, 22 NDRF ટીમો તૈનાત, જાણીએ વધુ અપડેટસ

Cyclone Montha: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ રીઅલ ટાઇમ ગવર્નન્સ સોસાયટી સેન્ટરથી પરિસ્થિતિની સમીક્ષા કરી. પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને શક્ય તમામ સહાયની ખાતરી આપી.

મંગળવાર ( 28 ઓક્ટોબર) ના રોજ વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધતાં માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક ત્રાટકવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલ મુજબ, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર સ્થિત મોન્થા છેલ્લા છ કલાકમાં લગભગ 13  કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

આંધ્રપ્રદેશમાં મોન્થાની મહત્તમ પવનની ગતિ 9૦-1૦૦ કિલોમીટર પ્રતિ કલાક રહેશે. ચક્રવાત હાલમાં ચેન્નાઈથી 420 કિલોમીટર, વિશાખાપટ્ટનમથી 5૦૦ કિલોમીટર અને કાકીનાડાથી 45૦ કિલોમીટર દૂર છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સમગ્ર દરિયાકાંઠાનો વિસ્તાર હાઇ એલર્ટ પર છે.

PM મોદીએ નાયડુ સાથે ફોન પર વાત કરી.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ સચિવાલયમાં રીઅલ ટાઇમ ગવર્નન્સ સોસાયટી સેન્ટરથી પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને રાજ્યને શક્ય તમામ સહાયની ખાતરી આપી.

ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડૉ. એમ. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થશે, ત્યારબાદ ઓડિશા અને ત્યારબાદ છત્તીસગઢનો ક્રમ આવશે. 28 થી 30 ઓક્ટોબર દરમિયાન આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.

તેલંગણા: બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ

હવામાન વિભાગે આગામી બે દિવસમાં તેલંગણામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. પેડ્ડાપલ્લી, જયશંકર ભૂપલપલ્લી અને અન્ય જિલ્લાઓમાં 28 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યાથી 29 ઓક્ટોબરના રોજ સવારે 8:30 વાગ્યા સુધી વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આદિલાબાદ, કોમારામ ભીમ અને અન્ય ઘણા જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ રહેશે.

કેરળ: ભારે વરસાદને કારણે બે લોકોના મોત

સોમવારે કેરળના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અલપ્પુઝા જિલ્લામાં, અર્થુનકલ દરિયા કિનારા નજીક એક માછીમારનું બોટ પલટી જતાં મૃત્યુ થયું. અંગમાલી નજીક મુકનૂરમાં વીજળી પડવાથી પશ્ચિમ બંગાળના એક વ્યક્તિનું મૃત્યુ થયું. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કોઝિકોડ, કાસરગોડ, કન્નુર, કોટ્ટાયમ અને પથાનામથિટ્ટા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Advertisement

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget