શોધખોળ કરો

PATAN : ઘઉંની નિકાસ પર પ્રતિબંધની પાટણ APMC પર જોવા મળી અસર, જાણો શું ફેરફાર થયો

Wheat exports ban: સરકાર દ્વારા ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા તેની સીધી અસર APMCમાં વેચાણ કરવામાં આવતી ઘઉંની જણસી પર જોવા મળી રહી છે.

Patan News : કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકતા પાટણ APMCમાં તેની અસર જોવા મળી છે.  પાટણ APMCમાં છેલ્લા બે દિવસમાં 20 કિલોએ ઘઉંના ભાવમાં રૂ.130નો ઘટાડો જોવા મળ્યો હતો અને ઘઉંની આવકમાં વધારો થયો હતો. ગઈકાલે 14 મે ને શનિવારે પાટણ APMCમાં 730 બોરી ઘઉં આવ્યા હતા તેનો નીચો ભાવ રૂ.475 હતો ત્યારે ઉંચો ભાવ રૂ.651 હતા.

જયારે આજે 16 મે ના રોજ 910 બોરી ઘઉંની આવક થઈ હતી અને નીચા ભાવ રૂ.400 રહ્યા હતા ઉંચા ભાવ રૂ.520 હતા. પાટણ APMCમાં ઘઉંની આવકમાં 180 બોરીનો  વધારો જોવા મળ્યો હતો ત્યારે ભાવમાં રૂ. 130 મણે ઘટાડો જોવાં મળ્યો હતો.  ભાવમાં ઘટાડો થતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન જવાનું શકયતા વધી છે. 

સરકાર દ્વારા ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા તેની સીધી અસર  APMCમાં  વેચાણ કરવામાં આવતી ઘઉંની જણસી પર જોવા મળી રહી છે. પાટણ APMCમાં આજે રૂ.130 મણે ઘટાડો જોવાં મળ્યો હતો. સાથે વેચાણ માટે આવતા ઘઉંની બોરીમાં વધારો જોવાં મળ્યો હતો. આજે અચાનક ભાવમાં રૂ.130 મણે ઘટાડો થતા વેપારીઓ ચિંતિત થયા છે. પાટણ APMCના  સેક્રેટરીએ કહ્યું કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેના કારણે આજે ઘઉંના ભાવ પર અસર પડી અને ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘઉંની નિકાસ બંધ કરવાથી અત્યારે ભાવમાં રૂ.130 ઘટાડો થયો છે તેના કારણે નુકસાન થઈ શકે છે.

શુક્રવારે નિકાસ પ્રતિબંધની કરી હતી જાહેરાત 
ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી રાત્રે એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે જાણકારી આપી હતી. સ્થાનિક ભાવને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. સરકારે કહ્યું છે કે ઘઉંની નિકાસને તે લેટર ઓફ ક્રેડિટ હેઠળ મંજૂરી આપવામાં આવશે જે પહેલાથી જાહેર  કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતમાં રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ કાળા સમુદ્રના પ્રદેશમાંથી નિકાસમાં ઘટાડો થતાં વૈશ્વિક ખરીદદારો ઘઉંના પુરવઠા માટે ભારત તરફ વળ્યા હતા.

શા માટે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકાયો? 
કેન્દ્ર સરકારના  વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું, "દેશની એકંદર ખાદ્ય સુરક્ષાનું સંચાલન કરવા અને પડોશી અને અન્ય સંવેદનશીલ દેશોની જરૂરિયાતોને ટેકો આપવા માટે, કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે." 

ભારત સરકાર દ્વારા તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવા માટે આપવામાં આવેલી પરવાનગીના આધારે અને સરકારોની વિનંતીઓના આધારે અન્ય દેશોમાં નિકાસની મંજૂરી આપવામાં આવશે. ભારત સરકાર પાડોશી અને અન્ય સંવેદનશીલ વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છે, જે વૈશ્વિક ઘઉંના બજારમાં અચાનક ફેરફારોને કારણે પ્રતિકૂળ અસર કરે છે અને પર્યાપ્ત ઘઉંનો પુરવઠો મેળવવામાં અસમર્થ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ, મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને કર્યો ઈ-મેઈલ
Gujarat: ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ, મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને કર્યો ઈ-મેઈલ
Congress: ભરતસિંહે ચૂંટણી લડવાની ના પડતા આણંદ બેઠક પર આ MLA ચૂંટણી મેદાનમાં ઉતરશે, વર્ચસ્વ જાળવી રાખવા પ્રયાસ
Congress: ભરતસિંહે ચૂંટણી લડવાની ના પડતા આણંદ બેઠક પર આ MLA ચૂંટણી મેદાનમાં ઉતરશે, વર્ચસ્વ જાળવી રાખવા પ્રયાસ
Election 2024: 'કમલમ'માં આજે વેલકમ પાર્ટી, ઠાકોર અને પટેલ નેતાઓ કાર્યકરો સાથે કરશે કેસરિયાં
Election 2024: 'કમલમ'માં આજે વેલકમ પાર્ટી, ઠાકોર અને પટેલ નેતાઓ કાર્યકરો સાથે કરશે કેસરિયાં
Lok Sabha: આજે સાંજ જાહેર થઇ શકે છે ભાજપની ત્રીજી યાદી, ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારો નક્કી, જાણો
Lok Sabha: આજે સાંજ જાહેર થઇ શકે છે ભાજપની ત્રીજી યાદી, ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારો નક્કી, જાણો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Daily Rashifal : જુઓ કેવો રહેશે આપનો 19 માર્ચનો દિવસ | Rashifal | HoroscopeLok Sabha Election 2024 | ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, કયા ઉમેદવાર ચૂંટણી નહીં લડે?Hun To Bolish | હું તો બોલીશ | ટાર્ગેટ પર પાટીદાર કેમ?Hun To Bolish | હું તો બોલીશ | કેમ ઉતર્યું કેનેડા જવાનું ભૂત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ, મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને કર્યો ઈ-મેઈલ
Gujarat: ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ, મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને કર્યો ઈ-મેઈલ
Congress: ભરતસિંહે ચૂંટણી લડવાની ના પડતા આણંદ બેઠક પર આ MLA ચૂંટણી મેદાનમાં ઉતરશે, વર્ચસ્વ જાળવી રાખવા પ્રયાસ
Congress: ભરતસિંહે ચૂંટણી લડવાની ના પડતા આણંદ બેઠક પર આ MLA ચૂંટણી મેદાનમાં ઉતરશે, વર્ચસ્વ જાળવી રાખવા પ્રયાસ
Election 2024: 'કમલમ'માં આજે વેલકમ પાર્ટી, ઠાકોર અને પટેલ નેતાઓ કાર્યકરો સાથે કરશે કેસરિયાં
Election 2024: 'કમલમ'માં આજે વેલકમ પાર્ટી, ઠાકોર અને પટેલ નેતાઓ કાર્યકરો સાથે કરશે કેસરિયાં
Lok Sabha: આજે સાંજ જાહેર થઇ શકે છે ભાજપની ત્રીજી યાદી, ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારો નક્કી, જાણો
Lok Sabha: આજે સાંજ જાહેર થઇ શકે છે ભાજપની ત્રીજી યાદી, ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારો નક્કી, જાણો
Election 2024 Live Update: 'ભાજપમાં ભરતી મેળાથી માત્ર હું જ નહીં, અનેક કાર્યકર્તા નારાજ', કેતન ઈનામદારે કાઢ્યો બળાપો
Election 2024 Live Update: 'ભાજપમાં ભરતી મેળાથી માત્ર હું જ નહીં, અનેક કાર્યકર્તા નારાજ', કેતન ઈનામદારે કાઢ્યો બળાપો
શેરબજાર ખુલતા જ રોકાણકારોના રૂપિયા થયા ડબલ, ₹65નો IPO ₹131 પર થયો લિસ્ટ
શેરબજાર ખુલતા જ રોકાણકારોના રૂપિયા થયા ડબલ, ₹65નો IPO ₹131 પર થયો લિસ્ટ
રોહન ગુપ્તાએ ના પાડ્યા બાદ કોંગ્રેસ અમદાવાદ પૂર્વથી આ નેતાને આપશે ટિકીટ, જાણો કોનું નામ છે ચર્ચામાં
રોહન ગુપ્તાએ ના પાડ્યા બાદ કોંગ્રેસ અમદાવાદ પૂર્વથી આ નેતાને આપશે ટિકીટ, જાણો કોનું નામ છે ચર્ચામાં
Indian Team: ધ્રુવ જુરેલ અને  સરફરાઝ ખાનને મળશે એક કરોડ રૂપિયા, IPL 2024 અગાઉ BCCIએ આપ્યું ઇનામ
Indian Team: ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનને મળશે એક કરોડ રૂપિયા, IPL 2024 અગાઉ BCCIએ આપ્યું ઇનામ
Embed widget