શોધખોળ કરો

Ukraine-Russia War LIVE: યૂક્રેન –રશિયાના યુદ્ધનો 35મો દિવસ, જાણો, 40 લાખ લોકો છોડી ચૂક્યા છે યુક્રેન

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધનો આજે 35મો દિવસ છે. ગત રોજ તુર્કીના ઈસ્તાંબુલમાં યોજાયેલી રશિયા અને યુક્રેન વચ્ચેની બેઠકમાં રશિયાએ સૈનિકોને કિવમાંથી ઘટાડવાનું કહ્યું હતું.

LIVE

Key Events
Ukraine-Russia War LIVE: યૂક્રેન –રશિયાના યુદ્ધનો 35મો દિવસ, જાણો, 40  લાખ લોકો છોડી ચૂક્યા છે યુક્રેન

Background

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધનો આજે 35મો દિવસ છે. ગત રોજ તુર્કીના ઈસ્તાંબુલમાં યોજાયેલી રશિયા અને યુક્રેન વચ્ચેની બેઠકમાં રશિયાએ હુમલા ઘટાડવાનું કહ્યું છે. બંને દેશો કરાર દ્વારા યુદ્ધવિરામ માટે સંમત થયા છે. જો કે, મોસ્કોના મુખ્ય વાટાઘાટકારે સ્પષ્ટતા કરી છે કે કિવ અને ઉત્તરી યુક્રેનની આસપાસ લશ્કરી કામગીરી ઘટાડવાનું રશિયાનું વચન યુદ્ધવિરામ નથી. આ માટે, કિવ સાથે ઔપચારિક કરાર પર વાટાઘાટોને લાંબી મજલ કાપવાની છે.

જ્હોન કિર્બીએ કહ્યું કે, રશિયા કિવ અને યુક્રેનને કબજે કરવાની પોતાની રણનીતિમાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ યુદ્ધ ચાલુ હોવાથી તે હજુ પણ કિવ પર હુમલો કરી શકે છે. ઇસ્તંબુલ શાંતિ વાટાઘાટો દરમિયાન, યુક્રેનના પ્રતિનિધિઓએ તટસ્થતા પર ભાર મૂક્યો અને કહ્યું કે તેની સુરક્ષાની ખાતરી નાટો દ્વારા નહીં, પરંતુ દેશોના જૂથ દ્વારા હોવી જોઈએ. રશિયાએ કહ્યું કે તે કિવ અને ચેર્નિહાઇવ તરફ તેની સૈન્ય ગતિવિધિઓ ઘટાડશે. રશિયાના મુખ્ય વાટાઘાટકાર વ્લાદિમીર મેડિન્સકીએ જણાવ્યું હતું કે ચર્ચાઓ રચનાત્મક હતી અને રશિયા બંને દેશોના રાષ્ટ્રપતિઓને મળવા માટે ઉત્સુક છે.

08:45 AM (IST)  •  30 Mar 2022

Ukraine-Russia War LIVE: યૂક્રેન –રશિયાના યુદ્ધમાં સામાન્ય નાગરિકોનું જીવન બેહાલ, મારીયોપોલ બની રહ્યું છે ખંડેર

રશિયા-યુક્રેન યુદ્ધમાં સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. પોલેન્ડની સરહદે લોકો આવતા જ રહે છે. યુદ્ધની વચ્ચે, યુક્રેનિયન શહેર મેરીયુપોલમાં પરિસ્થિતિ બગડી રહી છે. શહેરના લોકોનું કહેવું છે કે તેમના માટે સ્થિતિ નરક કરતાં પણ ખરાબ છે કારણ કે અહીં ખાવા-પીવાની તમામ પ્રાથમિક જરૂરિયાતોની અછત છે. લોકો કહે છે કે શહેરમાં કંઈ બચ્યું નથી. રશિયન સેનાએ યુક્રેનના શહેર માયકોલેવ પર મિસાઈલ હુમલો કર્યો. મિસાઈલ હુમલાનો ભોગ બનેલી ઈમારતમાંથી અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળી આવ્યા છે. હુમલામાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

08:43 AM (IST)  •  30 Mar 2022

Ukraine-Russia War: રશિયાએ યુક્રેનની નિકાસ બંધ કરી

Ukraine-Russia War:   રશિયાએ યુક્રેનની નિકાસ બંધ કરી

યુ.એસ.એ સંયુક્ત રાષ્ટ્રને કહ્યું કે, રશિયાએ યુક્રેનની નિકાસ અટકાવી દીધી હોવાથી ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ખાદ્યપદાર્થોના ભાવ આસમાને છે. અમે ખાસ કરીને લેબનોન, પાકિસ્તાન, યમન, મોરોક્કો અને અન્ય દેશો વિશે ચિંતિત છીએ જેઓ તેમની વસ્તીને ખવડાવવા માટે યુક્રેનિયન આયાત પર ખૂબ આધાર રાખે છે.

પુતિન વિશે મારૂ નિવેદન આક્રોશ પ્રેરિત : બાઇડેન

રાષ્ટ્રપતિ જો બાઇડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરની તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને ગયા સપ્તાહના અંતમાં યુક્રેન પર રશિયાના હુમલા અંગે આક્રોશ ગણાવ્યો હતો. તેમણે તે સમયે કહ્યું હતું કે આ વ્યક્તિ (પુતિન) સત્તામાં રહી શકે નહીં. તેના પર હવે બિડેને કહ્યું છે કે આ નિવેદન રશિયામાં સત્તા પરિવર્તનને લઈને અમેરિકાની નીતિમાં કોઈ ફેરફારનો સંકેત આપતું નથી. જોકે, બિડેને તેમના તાજેતરના નિવેદન માટે માફી માંગવાનો ઇનકાર કર્યો હતો, જેના સંદર્ભે  તેમનું તંત્ર છેલ્લા ઘણા દિવસોથી સ્પષ્ટતા કરી રહ્યું છે.

08:41 AM (IST)  •  30 Mar 2022

Ukraine-Russia War: યૂએનએસસીમાં યૂક્રેને પોતાનો પક્ષ મૂકતા શું કહ્યું, જાણો

યુક્રેને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે, અમે માંગ કરીએ છીએ કે, રશિયા તાત્કાલિક અને બિનશરતી રીતે યુએન જનરલ એસેમ્બલીના ઠરાવ ES-11/2 "યુક્રેન વિરુદ્ધ આક્રમણના માનવતાવાદી પરિણામો" ની તમામ જોગવાઈઓને લાગુ કરે જેથી જમીન પર માનવીય પીડા ઓછી થઈ શકે. તેણે વધુમાં જણાવ્યું હતું કે યુક્રેન માટે સુરક્ષા ગેરંટી પરની સંધિ પર હસ્તાક્ષર 23 ફેબ્રુઆરી 2022 સુધીમાં તમામ રશિયન સશસ્ત્ર એકમોને સ્થાનો પર પાછા ખેંચી લીધા પછી જ શક્ય બનશે.

08:41 AM (IST)  •  30 Mar 2022

Ukraine-Russia War: ભારતનું યુક્રેનને અબાધ માનવીય મદદ પહોંચાડવાનું વલણ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે ભારત વર્તમાન પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે, જે દુશ્મનાવટની શરૂઆતથી સતત બગડી રહી છે.  યુક્રેનમાં સશસ્ત્ર સંઘર્ષની વચ્ચે યુક્રેનમાં અસરગ્રસ્ત વસ્તીની માનવતાવાદી જરૂરિયાતોને પહોંચી વળવાની તાતી જરૂરિયાત છે.

08:40 AM (IST)  •  30 Mar 2022

Ukraine-Russia War: રશિયા કિવને કબજે કરવામાં નિષ્ફળ રહ્યું

જ્હોન કિર્બીએ કહ્યું કે, રશિયા કિવ અને યુક્રેનને કબજે કરવાની પોતાની રણનીતિમાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ યુદ્ધ ચાલુ હોવાથી તે હજુ પણ કિવ પર હુમલો કરી શકે છે. ઇસ્તંબુલ શાંતિ વાટાઘાટો દરમિયાન, યુક્રેનના પ્રતિનિધિઓએ તટસ્થતા પર ભાર મૂક્યો અને કહ્યું કે તેની સુરક્ષાની ખાતરી નાટો દ્વારા નહીં, પરંતુ દેશોના જૂથ દ્વારા હોવી જોઈએ. રશિયાએ કહ્યું કે તે કિવ અને ચેર્નિહાઇવ તરફ તેની સૈન્ય ગતિવિધિઓ ઘટાડશે. રશિયાના મુખ્ય વાટાઘાટકાર વ્લાદિમીર મેડિન્સકીએ જણાવ્યું હતું કે ચર્ચાઓ રચનાત્મક હતી અને રશિયા બંને દેશોના રાષ્ટ્રપતિઓને મળવા માટે ઉત્સુક છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget