ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
વંદે ભારત એક્સપ્રેસની સફળતા પછી રેલવેએ હવે હાઇ સ્પીડ ટ્રેન સેટની ડિઝાઇન અને ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે

રેલવે મંત્રીએ લોકસભામાં કહ્યું કે રેલવે મુસાફરોને આપવામાં આવતા ધાબળા મહિનામાં એકવાર ધોવામાં આવે છે. રજાઇ કવર તરીકે ઉપયોગ કરવા માટે બેડરોલ કીટમાં વધારાની શીટ આપવામાં આવે છે. રેલવે મંત્રી વૈષ્ણવે કોંગ્રેસ સાંસદ કુલદીપ ઇન્દોરાના સવાલના જવાબમાં કહ્યું હતું કે વર્તમાન વિશિષ્ટતાઓ અનુસાર, રેલેવમાં ઉપયોગમાં લેવામાં આવતા ધાબળા ઓછા વજનના, ધોવામાં સરળ હોય છે અને મુસાફરોને એકંદરે આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવે છે.
દેશમાં દોડશે 280 કિમીની હાઇ સ્પીડ ટ્રેન
વંદે ભારત એક્સપ્રેસની સફળતા પછી રેલવેએ હવે હાઇ સ્પીડ ટ્રેન સેટની ડિઝાઇન અને ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), ચેન્નઈ BEML સાથે મળીને હાઈ-સ્પીડ ટ્રેન સેટને ડિઝાઈન અને મેન્યુફેક્ચર કરી રહી છે, જેની ડિઝાઈન સ્પીડ 280 kmph હશે. ભાજપના સાંસદો સુધીર ગુપ્તા અને અનંત નાયક દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, કોચ દીઠ ઉત્પાદન ખર્ચ આશરે 28 કરોડ રૂપિયા (ટેક્સ સિવાય) છે, જે અન્ય ટ્રેન સેટની સરખામણીમાં અત્યંત પ્રતિસ્પર્ધી છે.
પાંચ વર્ષમાં રેલવેએ અકસ્માતમાં 313 કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી
વૈષ્ણવે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં (એપ્રિલ 2019 થી માર્ચ 2024 સુધી) ટ્રેન અકસ્માતોને કારણે 313 કરોડ રૂપિયાની રેલવે સંપત્તિને નુકસાન થયું છે. ઇ-ટિકિટ દ્વારા વીમો મેળવનારા પીડિતોની સંખ્યા અંગેના પ્રશ્નોના જવાબમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે, 1 નવેમ્બર, 2019 થી ઓક્ટોબર 31, 2024ના સમયગાળા દરમિયાન વૈકલ્પિક મુસાફરી વીમા યોજના હેઠળ 22 ક્લેમ કરવામાં આવ્યા છે જેમાંથી કોઈ પણ મોતનો ક્લેમ નોંધાયો નથી.
બંધારણ પર બે દિવસીય ચર્ચાની કોંગ્રેસની માંગણી સ્વીકારાઈ
રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ બંધારણ પર બે દિવસીય ચર્ચાની વિપક્ષની માંગને સ્વીકારી લીધી છે. મંગળવારે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષને પત્ર લખીને બંધારણ પર ચર્ચાની માંગણી કરી હતી. આ સંદર્ભમાં અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહના નેતા જેપી નડ્ડા સાથે પણ ચર્ચા કરી હતી. ચર્ચા ક્યારે થશે તેની માહિતી હજુ આપવામાં આવી નથી.
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Before You Go
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક





















