શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપમાં ઇનામદાર ઇફેક્ટઃ સાવલીના 23 પાલિકા સભ્યો બાદ 17 તાલુકા પંચાયતના સભ્યોએ પણ આપ્યા રાજીનામા
23 નગર પાલિકાના સભ્યો બાદ હવે 17 જેટલા તાલુકા પંચાયતના સભ્યોએ પણ પદેથી રાજીનામુ ધરી દીધુ છે, આ રાજીનામા તેમને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થનમાં આપ્યા છે
![ભાજપમાં ઇનામદાર ઇફેક્ટઃ સાવલીના 23 પાલિકા સભ્યો બાદ 17 તાલુકા પંચાયતના સભ્યોએ પણ આપ્યા રાજીનામા More 17 Savli taluka panchayat members resigned after nagar palika members ભાજપમાં ઇનામદાર ઇફેક્ટઃ સાવલીના 23 પાલિકા સભ્યો બાદ 17 તાલુકા પંચાયતના સભ્યોએ પણ આપ્યા રાજીનામા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/23171635/Savli-Mla-07.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ ભાજપમાં રાજકીય ભૂકંપની સ્થિતિ સ્પષ્ટ દેખાઇ રહી છે, સાવલીના ધારાસભ્યના સમર્થનમાં હવે તાલુકા પંચાયતના સભ્યો પણ આવ્યા છે. 23 નગર પાલિકાના સભ્યો બાદ હવે 17 જેટલા તાલુકા પંચાયતના સભ્યોએ પણ પદેથી રાજીનામુ ધરી દીધુ છે, આ રાજીનામા તેમને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થનમાં આપ્યા છે. આ રાજકીય ઘટનાને જોતા કહી શકાય કે ગુજરાત ભાજપમાં અસંતોષની લાગણી સ્પષ્ટ દેખાઇ રહી છે. જોકે, હજુ સુધી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાવલીમાં કોઇને મળવા નથી પહોંચ્યા.
આજે સવારે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકાના 23 સભ્યો જેમાં પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના નેતાઓએ રાજીનામા ધરી દીધા હતા.
ગઇકાલે વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ, તેમને ત્યાગપત્રમાં લખ્યુ હતુ કે વિકાસ કાર્યો ન થતાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો, અને લાંબા સમયથી સરકારની કામગીરીથી નારાજ હતા.
ઈનામદારે પોતાના ત્યાગપત્રમાં લખ્યું કે 'વહીવટીતંત્રના સંકલન તેમજ ઉદાસીનતાના અભાવે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરીમા અને સન્માન ન જળવાતા હોવાથી તેમજ સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે.'
ઈનામદારે લખ્યું 'ભારતીય જનતા પાર્ટીની શીસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું. પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી તથા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુ:ખદ છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓ બહાર લાવવા તથા મારી અવગણાએ મારા મતક્ષેત્રના પ્રજાજનોના હિતની અવગણતા છે.'
ઈનામદાર પત્રમા ઉમેરે છે કે મારા પ્રજાજનો હિતો અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે મારે ભારે હ્દયે પક્ષની તમામ શિશ્ત અને વિચારધારાને આજદીન સુધી નિભાવી છે. અને નાછુટકે હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર 135- સાવલી વિધાનસભાના ધારાસભ્યપદ પરથી પ્રજાના હિતમાં રાજીનામું આપું છું.
![ભાજપમાં ઇનામદાર ઇફેક્ટઃ સાવલીના 23 પાલિકા સભ્યો બાદ 17 તાલુકા પંચાયતના સભ્યોએ પણ આપ્યા રાજીનામા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/23171627/Savli-Mla-06-300x217.jpg)
![ભાજપમાં ઇનામદાર ઇફેક્ટઃ સાવલીના 23 પાલિકા સભ્યો બાદ 17 તાલુકા પંચાયતના સભ્યોએ પણ આપ્યા રાજીનામા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/23171618/Savli-Mla-05-300x219.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)