Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નાતાલના અવસરે દિલ્હીના કૈથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી

Christmas: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નાતાલના અવસરે દિલ્હીના કૈથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પ્રાર્થના સભામાં પણ ભાગ લીધો હતો. આ કૈથેડ્રલ માત્ર સૌથી જૂના ચર્ચોમાંનું એક નથી પણ દિલ્હીનું સૌથી મોટું ચર્ચ પણ છે. વડાપ્રધાને અહીં પ્રાર્થના સભામાં પણ ભાગ લીધો હતો અને લોકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદી સાથે ચર્ચમાં ઘણા અન્ય લોકો હાજર હતા.
May Christmas bring renewed hope, warmth and a shared commitment to kindness.
— Narendra Modi (@narendramodi) December 25, 2025
Here are highlights from the Christmas morning service at The Cathedral Church of the Redemption. pic.twitter.com/BzvKYQ8N0H
સોશિયલ મીડિયા પર ચર્ચના ફોટા પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું હતું કે, "દિલ્હીના કૈથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં નાતાલની સવારની પ્રાર્થનામાં હાજરી આપી હતી. આ પ્રાર્થના પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. મને આશા છે કે નાતાલની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને ભાઈચારો લાવશે."
Attended the Christmas morning service at The Cathedral Church of the Redemption in Delhi. The service reflected the timeless message of love, peace and compassion. May the spirit of Christmas inspire harmony and goodwill in our society. pic.twitter.com/humdgbxR9o
— Narendra Modi (@narendramodi) December 25, 2025
કૈથેડ્રલ ચર્ચ તેના સુંદર સ્થાપત્ય માટે જાણીતું છે. દર વર્ષે નાતાલ માટે અહીં ખાસ સજાવટ કરવામાં આવે છે. સમગ્ર દિલ્હીથી લોકો ભગવાન ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરવા અને નાતાલની ઉજવણી કરવા માટે આ ચર્ચમાં આવે છે. પીએમ મોદીએ પહેલા પણ અહીં મુલાકાત લીધી છે.
પીએમ મોદીએ એક વીડિયો શેર કર્યો
બીજી પોસ્ટમાં પીએમ મોદીએ ચર્ચની તેમની મુલાકાતનો વીડિયો શેર કર્યો. તેમાં લખ્યું છે, "ક્રિસમસ નવી આશા, પ્રેમ અને દયા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા લાવે." ધ કૈથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની પ્રાર્થના સભાની થોડી ઝલક.
આ પહેલી વાર નથી જ્યારે વડાપ્રધાન મોદીએ ચર્ચની મુલાકાત લીધી હોય. તેઓ પહેલા પણ ચર્ચની મુલાકાત લઈ ચૂક્યા છે. ગોવાથી લઈને દેશના મોટાભાગના મોટા ચર્ચોમાં પીએમ મોદી જઈ ચૂક્યા છે. ગયા વર્ષે નાતાલના દિવસે પણ ચર્ચની મુલાકાત લીધી હતી.




















