શોધખોળ કરો

Tehran: ઇરાનમાં અંધાધૂધ ફાયરિંગમાં પાંચ લોકોના મોત, 10 ઇજાગ્રસ્ત

બુધવારે રાત્રે ઈરાનના પશ્ચિમી શહેર ઈજિહમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

Iran Firing: બુધવારે રાત્રે ઈરાનના પશ્ચિમી શહેર ઈજિહમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 5 લોકોના મોત થયાના સમાચાર છે. આ ઘટનામાં 10 લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. હુમલાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી અને અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

આ ઘટના વિશે માહિતી આપતા IRNA ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે અજાણ્યા હુમલાખોરો બે મોટરસાઈકલ પર સવાર થઈને શહેરના સેન્ટ્રલ માર્કેટમાં પહોંચ્યા હતા. હુમલાખોરોએ પ્રદર્શનકારીઓ અને ત્યાં હાજર સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખુઝેસ્તાન પ્રાંતના ગવર્નરે જણાવ્યું કે હુમલામાં એક બાળક અને એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે.

દેખાવકારો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા

ઈરાની મીડિયા અનુસાર બુધવારે કેટલાક પ્રદર્શનકારીઓ અહીં એકઠા થયા હતા અને સરકાર વિરોધી નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, વિરોધ દરમિયાન હિંસક અથડામણ પણ થઈ હતી, જેને પોલીસ દ્વારા નિયંત્રણમાં લાવવામાં આવી હતી.

શિરાઝ શહેરમાં 26 ઓક્ટોબરે ગોળીબાર થયો હતો

આ પહેલા 26 ઓક્ટોબરે ઈરાનના શિરાઝ શહેરમાંથી પણ ગોળીબારના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનામાં 15 લોકોના મોત થયા હતા જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા હતા. અહીં 3 હુમલાખોરોએ ભીડ પર ગોળીબાર કર્યો. આ ઘટના શિયા સમુદાયના પવિત્ર સ્થળ શાહ ચેરાગ ખાતે બની હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી છે.

હિજાબ વિવાદને લઈને પ્રદર્શન ચાલુ છે

ઉલ્લેખનીય છે કે હિજાબ વિવાદને લઈને ઈરાનના અલગ-અલગ શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. 13 સપ્ટેમ્બરના રોજ, પોલીસે મહસા અમીન નામની મહિલાની હિજાબ યોગ્ય રીતે ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. ત્રણ દિવસ પછી પોલીસ કસ્ટડીમાં તેનું મૃત્યુ થયું. ત્યારથી સમગ્ર વિશ્વમાં મહસાના સમર્થનમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ઈરાનમાં છેલ્લા 2 મહિનામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘણી અથડામણ થઈ છે, જેમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Embed widget