![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus: ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેર, આજ રાતથી એક મહિના માટે લોકડાઉનની જાહેરાત
નવી ગાઈડલાઈન અનુસાર, લોકોને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને માત્ર ‘એપ્રૂવલ સર્ટિફિકેટ’ મળ્યા બાદ જ બહાર જવા અથવા એક્સરસાઈઝ કરવાની મંજૂરી આપવામાં આવશે.
![Coronavirus: ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેર, આજ રાતથી એક મહિના માટે લોકડાઉનની જાહેરાત Coronavirus third wave of corona in France one month lockdown announced Coronavirus: ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેર, આજ રાતથી એક મહિના માટે લોકડાઉનની જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/8d0925013da3fa5fb37d720e6550a3bf_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પેરિસઃ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા ફ્રાન્સના પીએમ જીન કેસ્ટેક્સે ગુરુવારે પેરિસ સહિત દેશના 16 રીજનમાં એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન શુક્રવાર રાતથી ચાર સપ્તાહ સુધી લાગુ રહેશે. જોકે વિતેલા વર્ષના માર્ચ અને નવેમ્બરિની તુલનામાં આ વખતે લોકડાઉનમાં ઓછા પ્રતિબંધ લગાવવામાં આવશે. લોકડાઉન દરમિયાન સ્કૂલ અને યૂનિવર્સિટી ખુલા રહેશે. તમામ જરૂરી સામાનની દુકાનો પણ ખુલી રહેશે. તેની સાથે જ હવે બુક શોપ અને મ્યુઝિક શોપ પણ ખુલા રહેશે.
નવી ગાઈડલાઈન અનુસાર, લોકોને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને માત્ર ‘એપ્રૂવલ સર્ટિફિકેટ’ મળ્યા બાદ જ બહાર જવા અથવા એક્સરસાઈઝ કરવાની મંજૂરી આપવામાં આવશે. એ પણ પોતાના ઘરથી 10 કિલોમીટરથી વધારે દૂર નહીં જઈ શકાય. નવી ગાઈડલાઈન લાગુ થયા બાદ નાઈટ કર્ફ્યુમાં હાલનો સમય સાંજના 6 કલાકથી વધારીને સાંજે 7 કલાક સુધી કરવામાં આવશે.
કોરોનાની ત્રીજી લહેર
આ પહેલા કૈસ્ટેક્સે મંગળવારે કહ્યું હતું કે, દેશ કોરોનાની ત્રીજી લહેરમાં પ્રવેશ્યો છે. બીજી બાજુ વાયરસના નવા સ્ટ્રેને તેશને પ્રભાવિત કર્યો છે. તેમણે સાંસદોને સંબોધિત કરતાં કહ્યું કે, “મહામારી ઓવરટાઈમ કરી રહી છે. આપણ તેને ત્રીજી લહેરની દૃષ્ટિએ જોવું જોઈએ.”
91 હજારથી વધારે લોકોના થયા મોત
એપ્રૂવલ સર્ટિફિકેટ દ્વારા લોકો ઘરની બહાર જઈ શકશે. પીએમ કેસ્ટેક્સે કહ્યું કે, આ લોકોને બહાર જવાની મંજૂરી માટે છે પરંતુ મિત્રોના ઘરે જવા માટે હનીં. ન તો પાર્ટી કરવા માટે અને સોશિયલ ડિસ્ટન્સિંગ અથવા ફેસ માસ્ક વગર કોઈને મળવા માટે નથી. જોમ્સ હોપકિન્સ યૂનિવર્સિટી અનુસાર, ફ્રાન્સમાં અત્યાર સુધીમાં કુલ 42,41,959 કોરોનના કેસ આવ્યા છે અને 91,833 લોકોના કોરોનાથી મોત થયા છે.
અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવ્યો, SVP હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો
હવે કેરી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)