શોધખોળ કરો

અમેરિકા બાદ આ સમુદ્ધ દેશમાં ઘરે ઘરે ફેલાવવા લાગ્યો ‘ઓમિક્રૉન’, ખુદ કૉમ્યુનિટી સ્પ્રેડની કરી પુષ્ટી

જાવેદે હાઉસ ઓફ કૉમન્સમાં કહ્યું કે, તાજા આંકડો અનુસાર, અત્યાર સુધી વાયરસના આ વેરિએન્ટથી કુલ 336 કેસો સામે આવી ચૂક્યા છે.

Covid-19 New Variant: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના કારણે આખી દુનિયામાં ફરી એકવાર ભય ફેલાયો છે. આના કારણે કેટલાય દેશોમાં પાબંદીઓ લગાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં ફેલાઇ રહેલા આ ઘાતક વાયરસની ઝપેટમાં અમેરિકા અમેરિકા બાદ હવે બ્રિટન પણ આવી ગયુ છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે સોમવારે સંસદમાં કહ્યું કે કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રૉનનો દેશના વિસ્તારોમાં સામુદાયિક સ્તર પર પ્રસાર શરૂ થઇ ગયો છે. 

જાવેદે હાઉસ ઓફ કૉમન્સમાં કહ્યું કે, તાજા આંકડો અનુસાર, અત્યાર સુધી વાયરસના આ વેરિએન્ટથી કુલ 336 કેસો સામે આવી ચૂક્યા છે. તેમને કહ્યું આમાંથી સ્કૉટલેન્ડમાં 71 અને વેલ્સમાં ચાર કેસો સામે આવ્યા છે. તેમને કહ્યું કે, આમાં એવા કેસો પણ છે જેનો આંતરરાષ્ટ્રીય યાત્રા સાથે કોઇ સંબંધ નથી. એટલા માટે અમે એ નિષ્કર્ષ તારવી શકીએ છીએ કે હવે બ્રિટનમાં કેટલાય વિસ્તારોમાં સામુદાયિક સ્તર પર આનો પ્રસાર થઇ ગયો છે. 

ઓમિક્રૉનનો મોટો ખતરોઃ વિદેશથી આવેલા 100થી વધુ લોકો મહારાષ્ટ્રમાંથી થયા ગાયબ, ફોન પણ કરી દીધા બંધ
Omicron in India: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટથી સંક્રમણનો ખતરો વધતો જ જઇ રહ્યો છે. કાલે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં બે વધુ બે લોકો ઓમિક્રૉન વેરિએન્ટથી સંક્રમિત નીકળ્યા છે. ત્યારબાદ આ વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને કુલ 23 થઇ ગઇ છે. ઓમિક્રૉનના ખતરાની વચ્ચે એક મોટી જાણકારી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન વિદેશથી મહારાષ્ટ્રમાં પહોંચેલા લગભગ 100થી વધુ લોકો ગાયબ થઇ ગયા છે, તંત્રએ હવે આ લોકોની માહિતી મેળવવાનુ શરૂ કરી દીધુ છે. ખાસ વાત છે કે લોકોના ફોન પણ બંધ આવી રહ્યાં છે. 

295 વિદેશી યાત્રીઓમાંથી 109 યાત્રીઓનો કંઇજ અત્તોપત્તો નથી- 
કલ્યાણ ડોમ્બિવલી મ્યૂનિસિપલ કૉર્પોરેશન (KDMC)ના પ્રમુખ વિજય સૂર્યવંશીએ સોમવારે એજન્સી પીટીઆઇને કહ્યું કે વિદેશથી થાણે જિલ્લામાં આવેલા 295 વિદેશી યાત્રીઓમાથી 109 યાત્રીઓનો કોઇજ અત્તોપત્તો નથી. વિજય સૂર્યવંશીએ બતાવ્યુ કે આ લોકોમાંથી કેટલાકના મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યાં છે. એટલુ જ નહીં વિદેશથી આવેલા જે યાત્રીઓએ પોતાનુ સરનામુ આપ્યુ હતુ, પરંતુ ત્યા હવે તાળુ લાગેલુ છે. 

ઉલ્લેખનીય છે કે ઓમિક્રૉનના ખતરાને ધ્યાનમા રાખતા મહારાષ્ટ્ર સરકારે રિસ્કી દેશોમાંથી યાત્રા કરીને ભારત આવનારા લોકોને સાત દિવસના હૉમ ક્વૉરન્ટાઇનમાં રહેવાનો નિયમ બનાવ્યો છે. આવા લોકોને સાત દિવસ બાદ ફરીથી કોરોના ટેસ્ટ થાય છે.  

India, Omicron Cases Tally: કોરોનાના નવા વેરિઅન્ટ Omicron એ વધારી ચિંતા, જાણો દેશમાં કેટલી થઇ કુલ દર્દીઓની સંખ્યા?
Omicron Cases In Mumbai: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. આજે મુંબઇમાં જ બે લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટી થઇ છે. બંન્ને 25 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકાથી પરત ફર્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ ઓમિક્રોન છે કે નહી તેની તપાસ માટે સેમ્પલ પૂણેની NIVમાં જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. હવે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 થઇ ગઇ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 23 લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટી થઇ છે.

કોરોનાના નવા ખતરા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આરટીપીસીઆર ટેસ્ટની કિંમત 500થી ઘટાડીને 350 રૂપિયા કરી દીધી છે. જ્યારે હોમ કલેક્શન પર 800ના બદલે હવે 700 રૂપિયા આપવા પડશે. ભારતમાં રવિવારે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 17 કેસ સામે આવ્યા હતા. જેમાં નવ કેસ જયપુરમાં, સાત મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં અને એક કેસ દિલ્હીમાં નોંધાયો હતો. જે લોકો સંક્રમિત થયા છે તેમાં મોટાભાગના તાજેતરમાં જ આફ્રિકાના દેશોમાંથી ભારત પરત આવ્યા છે અથવા તેવા લોકોના સંપર્કમાં આવ્યા છે. દેશમાં પ્રથમ ઓમિક્રોનનો કેસ 2 ડિસેમ્બરના રોજ કર્ણાટકમા નોંધાયો હતો. કોરોનાના નવા વેરિઅન્ટને જોતા સરકાર વિદેશથી આવતા લોકો પર દેખરેખ રાખી રહી છે. કેન્દ્ર સરકારે અનેક દેશોને એટ રિસ્કની યાદીમાં મુક્યા છે. જેમાં બ્રિટન સહિત યુરોપિયન દેશ, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝિલેન્ડ, ઝીમ્બાબ્વે, સિંગાપોર,હોંગકોંગ, ઇઝરાયલ સામેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિGujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારેBJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
Technology: વોડાફોને રચ્યો ઇતિહાસ, સેટેલાઇટ દ્વારા કર્યો પહેલો વીડિયો કોલ
Technology: વોડાફોને રચ્યો ઇતિહાસ, સેટેલાઇટ દ્વારા કર્યો પહેલો વીડિયો કોલ
Mahindra Thar Roxxના સૌથી સસ્તા મોડેલની કેટલી છે કિંમત? તેને ખરીદવા કેટલો ભરવો પડશે હપ્તો?
Mahindra Thar Roxxના સૌથી સસ્તા મોડેલની કેટલી છે કિંમત? તેને ખરીદવા કેટલો ભરવો પડશે હપ્તો?
Health Tips: પેશાબમાં દેખાવા લાગે છે આ ખતરનાક રોગના લક્ષણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યા છે ઈગ્નોર?
Health Tips: પેશાબમાં દેખાવા લાગે છે આ ખતરનાક રોગના લક્ષણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યા છે ઈગ્નોર?
Embed widget