શોધખોળ કરો

COVID-19: દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં? WHOએ આ અનુમાન લગાવ્યું....

2019ના અંતમાં ચીનમાંથી ફેલાવાનું શરુ થયેલી કોરોના મહામારીએ લોકોની જીંદગી બદલી છે અને ઘણા લોકોની જીંદગીનો ભોગ પણ લીધો છે.

2019ના અંતમાં ચીનમાંથી ફેલાવાનું શરુ થયેલી કોરોના મહામારીએ લોકોની જીંદગી બદલી છે અને ઘણા લોકોની જીંદગીનો ભોગ પણ લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નો અંદાજ છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોએ કોરોના વાયરસ અને આરોગ્ય તંત્ર ઉપર થયેલી ગંભીર અસરને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. મોટાભાગના મૃત્યુ દક્ષિણપૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં થયા છે. ગુરુવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં, WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે આ આંકડાને વિચાર કરે તેવા કહ્યા હતા. તેમણે કહ્યું કે, આ આંકડાઓ વિશે વિચારીને દેશોને ભવિષ્યની મહામારી અને કટોકટીની અસરોને ઘટાડવા માટે સ્વાસ્થ્ય ક્ષમતાઓમાં વધુ રોકાણ કરવા માટે વિચારવું જોઈએ. આ આંકડાઓ વિવિધ દેશોમાંથી નોંધાયેલા ડેટા અને આંકડાકીય મોડેલિંગ પર આધારિત છે.

ચીનમાં ઓમિક્રોનનો ખતરો યથાવતઃ
દરમિયાન, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને ફેલાતો રોકવા માટે ચીનની રાજધાની બેઇજિંગમાં ઘણા કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. બેઇજિંગ વહીવટીતંત્રે બુધવારે શાળાઓને વધુ એક અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત ઘણા મેટ્રો સ્ટેશન, રેસ્ટોરન્ટ અને વ્યવસાયોને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. લગભગ 2.1 કરોડની વસ્તી ધરાવતા આ શહેરમાં દરરોજ લોકોના કોવિડ-19 ટેસ્ટ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

બુધવારે બેઇજિંગમાં 40 સબવે સ્ટેશન (કુલ સબવેના 10 ટકા) અને 158 બસ રૂટ બંધ રહ્યા હતા. મોટાભાગની સ્થગિત સેવાઓ અને પ્રતિબંધથી પ્રભાવિત સ્ટેશનો ચાઓયાંગ જિલ્લામાં છે. ચીનના સત્તાવાર મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, બેઇજિંગમાં તમામ કિન્ડરગાર્ટન્સ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અને માધ્યમિક વ્યાવસાયિક શાળાઓએ 11 મે સુધી બીજા અઠવાડિયા માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

શાંઘાઈ શહેર એક મહિનાથી બંધઃ
નોંધપાત્ર રીતે, કોવિડ -19 ના અત્યંત ચેપી વેરિયન્ટના ફેલાવાના કારણે, ચીનની વાણિજ્યિક રાજધાની શાંઘાઈ એક મહિના કરતાં વધુ સમયથી અટકી ગઈ હતી. શાંઘાઈ એક મહિનાથી વધુ સમયથી લોકડાઉનમાં છે. સતત 13મા દિવસે કોવિડ સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget