શોધખોળ કરો

ઈરાન પાસે રહેલા 400 કિલો યુરેનિયમની કિંમત કેટલી છે? જાણો શા માટે અમેરિકા તેને જપ્ત કરવા માટે હવાતિયાં મારી રહ્યું છે!

સામાન્ય યુરેનિયમની કિંમત ભલે ઓછી હોય, પરંતુ ઈરાનનું 60% શુદ્ધ (એનરિચ્ડ) યુરેનિયમ અબજો ડોલરની કિંમત ધરાવે છે; આ ભંડારમાંથી 10 પરમાણુ બોમ્બ બની શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાન પાસે 400 કિલો, 60% શુદ્ધ યુરેનિયમ ભંડાર છે.
  • શુદ્ધ યુરેનિયમની કિંમત લાખો, અબજો ડોલર પહોંચી જાય.
  • આ ભંડારમાંથી 10 પરમાણુ બોમ્બ બનાવી શકાય છે.
  • અમેરિકા યુરેનિયમ જપ્ત કરવા વિચારે, યુદ્ધનું જોખમ.

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ અને તણાવનો માહોલ છે. આ બધાની વચ્ચે હવે આખી દુનિયા અને ખાસ કરીને અમેરિકાની નજર એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર ચોંટી છે, અને તે છે ઈરાનનો યુરેનિયમનો ભંડાર! રિપોર્ટ્સનું માનીએ તો, ઈરાન પાસે અત્યારે આશરે 400 કિલો જેટલું યુરેનિયમ પડેલું છે અને અમેરિકા તેને કોઈપણ હિસાબે મેળવવા અથવા જપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. તો ચાલો સરળ ભાષામાં સમજીએ કે આખરે આ યુરેનિયમની કિંમત કેટલી છે અને તે આટલું બધું મહત્વનું કેમ છે.

1 કિલો યુરેનિયમનો ભાવ શું છે?

સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા એટલે કે કુદરતી (નેચરલ) યુરેનિયમની કિંમત 1 કિલોના $68 થી $84 ની આસપાસ હોય છે. ભારતીય રૂપિયામાં ગણીએ તો આ કિંમત આશરે ₹5,700 થી ₹7,000 જેટલી થાય. પરંતુ આ ભાવ ફક્ત કાચા અને લો-ગ્રેડ યુરેનિયમ માટે જ છે. જ્યારે આ જ યુરેનિયમને પ્રોસેસ કરીને 'એનરિચ' (સમૃદ્ધ) કરવામાં આવે છે, ત્યારે તેની કિંમત આસમાને પહોંચી જાય છે.

ઈરાનનું યુરેનિયમ કેમ આટલું કિંમતી છે?

ઈરાન પાસે જે 400 કિલો યુરેનિયમનો ભંડાર છે તે કોઈ સામાન્ય નથી. આ યુરેનિયમને 60% સુધી શુદ્ધ (એનરિચ) કરવામાં આવ્યું છે. યુરેનિયમને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં હાઈ-ટેક સેન્ટ્રીફ્યુજ મશીનો, મોટા પાયે વીજળીનો વપરાશ અને અત્યંત જટિલ સેટઅપની જરૂર પડે છે. આ જ કારણ છે કે શુદ્ધ કરાયેલા યુરેનિયમની કિંમત કાચા યુરેનિયમ કરતા અનેકગણી વધારે હોય છે.

જો આપણે 400 કિલો કાચા યુરેનિયમની વાત કરીએ તો મૂળ બજાર ભાવે તેની કિંમત બહુ ઓછી લાગે. પરંતુ જ્યારે આ 60% શુદ્ધ યુરેનિયમની વાત આવે, ત્યારે તેનું મૂલ્ય લાખો કે અબજો ડોલર સુધી પહોંચી જાય છે. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના જણાવ્યા મુજબ, ઈરાન પાસે રહેલા આ 400 કિલોના ભંડારમાંથી આશરે 10 જેટલા પરમાણુ બોમ્બ (ન્યુક્લિયર બોમ્બ) આસાનીથી બનાવી શકાય છે.

અમેરિકાનું ટેન્શન અને યુદ્ધનું મોટું જોખમ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ખુલ્લેઆમ કહી ચૂક્યા છે કે તેઓ ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર નહીં બનાવવા દે. આ જ ચિંતાને કારણે અમેરિકા હવે ઈરાનના આ યુરેનિયમ ભંડારને જપ્ત કરવા કે તેનો ખાતમો બોલાવવાના પ્લાન પર વિચાર કરી રહ્યું છે.

જોકે, સંરક્ષણ નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઈરાનમાં ઘૂસીને આવું ખતરનાક મટિરિયલ જપ્ત કરવું એ કોઈ રમત વાત નથી અને તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ ઓપરેશન પાર પાડવા માટે અમેરિકન સેનાએ ઈરાનની અંદર લાંબા સમય સુધી પડાવ નાખવો પડે. આમ કરવાથી બંને દેશો વચ્ચે સીધું યુદ્ધ ફાટી નીકળવાની અને આખા વિસ્તારમાં મોટો સંઘર્ષ ઊભો થવાની પૂરી શક્યતા છે. ટૂંકમાં કહીએ તો, આ યુરેનિયમની આર્થિક કિંમત કરતાં તેનું રાજકીય અને યુદ્ધના મેદાનનું જોખમ ઘણું મોટું છે.

Frequently Asked Questions

કાચા યુરેનિયમનો પ્રતિ કિલો ભાવ શું છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા યુરેનિયમનો ભાવ પ્રતિ કિલો $68 થી $84 (આશરે ₹5,700 થી ₹7,000) ની આસપાસ હોય છે.

ઈરાન પાસે રહેલું યુરેનિયમ શા માટે આટલું કિંમતી છે?

ઈરાન પાસે 60% સુધી શુદ્ધ કરાયેલું યુરેનિયમ છે, જેની કિંમત કાચા યુરેનિયમ કરતાં અનેકગણી વધારે હોય છે અને તે લાખો ડોલરમાં માપી શકાય છે.

ઈરાનના યુરેનિયમ ભંડારમાંથી કેટલા પરમાણુ બોમ્બ બની શકે છે?

IAEA અનુસાર, ઈરાનના 400 કિલો શુદ્ધ યુરેનિયમ ભંડારમાંથી આશરે 10 પરમાણુ બોમ્બ બનાવી શકાય છે.

ઈરાનના યુરેનિયમ ભંડારને કારણે અમેરિકા ચિંતિત કેમ છે?

અમેરિકા ઈરાનને પરમાણુ હથિયાર બનાવતું રોકવા માંગે છે. આ કારણે તે ઈરાનના યુરેનિયમ ભંડારને જપ્ત કરવા અથવા તેનો નાશ કરવા વિચારી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'હૉર્મુઝથી નીકળવા માટે જો કોઈએ ટૉલ આપ્યો તો...', ઇરાન સાથે વાતચીત વચ્ચે અમેરિકાની શિપિંગ કંપનીઓને ધમકી
'હૉર્મુઝથી નીકળવા માટે જો કોઈએ ટૉલ આપ્યો તો...', ઇરાન સાથે વાતચીત વચ્ચે અમેરિકાની શિપિંગ કંપનીઓને ધમકી
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
'હું તારી બોસ છું, તે મારી સાથે સંબંધ નહીં બાંધ્યા તો...', જેપી માર્ગનની મહિલા અધિકારી પર ભારતીય યુવકે લગાવ્યા ગંભીર આરોપ
'હું તારી બોસ છું, તે મારી સાથે સંબંધ નહીં બાંધ્યા તો...', જેપી માર્ગનની મહિલા અધિકારી પર ભારતીય યુવકે લગાવ્યા ગંભીર આરોપ
Advertisement

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
Embed widget