![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Israel Hamas War: ઇઝરાયલમાં બેન્ઝામિન નેતન્યાહૂના વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો, રાજીનામાની કરી માંગ
Israel Hamas War: ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટ અનુસાર, લોકો બંધકો અને તેમના પરિવારોના સમર્થનમા ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનો વિરોધ કરી રહ્યા છે
![Israel Hamas War: ઇઝરાયલમાં બેન્ઝામિન નેતન્યાહૂના વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો, રાજીનામાની કરી માંગ Israel Hamas War: Protest outside Defense Ministry grows with calls for Netanyahu to resign Israel Hamas War: ઇઝરાયલમાં બેન્ઝામિન નેતન્યાહૂના વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો, રાજીનામાની કરી માંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/3b7cb90718265de0e4ec74aba4e69f14169743610340474_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Israel Hamas War: ઈઝરાયલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે, જેમાં 1400થી વધુ ઈઝરાયલના લોકોના મોત થયા છે. સેંકડો લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હમાસને બંધક બનાવીને પીડિત લોકોના પરિવારજનોએ હવે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. લોકો સરકાર વિરુદ્ધ પોસ્ટર અને બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશના વિવિધ ભાગોમાં લોકો આ પ્રદર્શન કરી રહ્યા છે. ઘણા દિવસોથી બંધક બનાવવામાં આવેલા લોકો હજુ સુધી તેમના ઘરે પહોંચ્યા નથી જેના કારણે લોકોમાં ગુસ્સો છે.
Hundreds of protesters demonstrated outside Israel’s defense ministry in Tel Aviv, demanded the safe return of hostages held by Hamas pic.twitter.com/D9mliv6IBu
— Reuters (@Reuters) October 14, 2023
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટ અનુસાર, ડઝનેક લોકો બંધકો અને તેમના પરિવારોના સમર્થનમા ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનાર મોનિકા લેવીએ કહ્યું, “હું ઈચ્છું છું કે બેન્જામિન નેતન્યાહુ અને તેના તમામ લોકો ઘરે પાછા ફરે. કારણ કે તેઓએ દક્ષિણના રહેવાસીઓને એકલા છોડી દીધા છે અને તેઓને ત્યાંના રહેવાસીઓના જીવનમાં કોઈ રસ નથી અને તેના બદલે તેઓ રાજકારણમાં વ્યસ્ત છે.
વિરોધીઓએ નેતન્યાહુ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ઇઝરાયલના નાગરિકોને બચાવવા કરતાં તેમના રાજકીય અસ્તિત્વની ચિંતા કરી રહ્યા છે. કેટલાક ઇઝરાયલી બંધકોના પરિવારો સુધી ન પહોંચવા બદલ નેતન્યાહૂની ટીકા પણ કરી છે. સેંકડો લોકો તેલ અવીવમાં સંરક્ષણ મંત્રાલયની બહાર હમાસ દ્વારા બંધક બનાવેલા લોકોમાંથી એકના પરિવારના સભ્ય દ્વારા શરૂ કરાયેલા વિરોધમાં જોડાયા હતા.
ગયા શનિવારે હમાસ દ્વારા એક મોટા હુમલામાં 1,400 થી વધુ લોકો માર્યા ગયા પછી ગુમ થયેલા અથવા પકડાયેલા લોકોના નામ અને ફોટોગ્રાફ્સ ઘણા વિરોધ પ્રદર્શનમાં હતા. પ્રદર્શન દરમિયાન અન્ય લોકોએ ઇઝરાયલના ધ્વજ અને બેનરો લહેરાવતા કહ્યું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિનાશક નિષ્ફળતા માટે જવાબદાર છે અને તેમણે રાજીનામું આપવું જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)