શોધખોળ કરો

'આતંક વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ હોય', સંયુક્ત રાષ્ટ્રમાં વિદેશમંત્રી એસ જયંશકરનું નિવેદન

જયશંકરે સ્પષ્ટ સંદેશ આપ્યો કે વિશ્વને હવે આતંકવાદ સામે એક થવું પડશે. તેમણે વૈશ્વિક સમુદાયને એક થવા વિનંતી કરી હતી

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં "The Human Cost of Terrorism" નામના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતી વખતે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સ્પષ્ટ સંદેશ આપ્યો કે વિશ્વને હવે આતંકવાદ સામે એક થવું પડશે. તેમણે વૈશ્વિક સમુદાયને એક થવા વિનંતી કરી અને કહ્યું હતું કે આતંકવાદીઓને કોઈ છૂટ ન મળવી જોઈએ.

વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, 'આતંકવાદીઓને કોઈપણ સંજોગોમાં છૂટ ન આપવી જોઈએ. તેમને પ્રોક્સી તરીકે જોવાનું બંધ કરો અને કોઈપણ પ્રકારના પરમાણુ બ્લેકમેઇલિંગને વશ થવું જોઇએ નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહલગામ હુમલા પર ભારતનો પ્રતિભાવ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના સંદેશને રેખાંકિત કરે છે.

'ઓપરેશન સિંદૂર' અને પહલગામ હુમલાનો ઉલ્લેખ

જયશંકરે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો જેમાં 26 લોકો નિર્દયતાથી માર્યા ગયા હતા. તેમણે કહ્યું હતું કે આ ઘૃણાસ્પદ કૃત્યની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા સખત નિંદા કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી છે કે તેના ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આવે અને ન્યાય મળે.

'આતંકવાદ દરેક જગ્યાએ શાંતિ માટે ખતરો છે'

જયશંકરે કહ્યું હતું કે, "હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આતંકવાદ ગમે ત્યાં હોય પણ તે સમગ્ર વિશ્વની શાંતિ માટે ખતરો છે. તેથી, કોઈપણ દેશ દ્વારા પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવો અને તેની સામે પગલાં લેવા જરૂરી છે. આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. તે સંયુક્ત રાષ્ટ્રના તમામ સિદ્ધાંતોની વિરુદ્ધ છે, જેના માટે માનવ અધિકારો, નિયમો અને ધોરણો છે"

પ્રદર્શનમાં બતાવામાં આવી આતંકવાદની ભયાનકતા

જયશંકરે પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે મોટી સંખ્યામાં હાજર યુએન રાજદૂતો, યુએનના વરિષ્ઠ કર્મચારીઓ, અધિકારીઓ અને રાજદૂતોને સંબોધિત કર્યા. ડિજિટલ પ્રદર્શનમાં વિશ્વભરમાં કરવામાં આવેલા ભયાનક આતંકવાદી હુમલાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

પ્રદર્શનમાં 1993ના મુંબઈ વિસ્ફોટ, 2008ના મુંબઈ હુમલા અને 2024ના પહલગામ હુમલા જેવી ઘટનાઓના ભયાનક દ્રશ્યો અને વિગતોનો સમાવેશ થાય છે. તે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓના નામ પણ પ્રકાશિત કરે છે. જયશંકરે કહ્યું હતું કે આ પ્રદર્શન એ લોકોનો અવાજ છે જેઓ હવે બોલી શકતા નથી, જેઓ આપણાથી દૂર થઈ ગયા છે અને આતંકવાદના વિનાશથી નાશ પામેલા જીવનની યાદ અપાવે છે. આ તે નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ છે જેમના જીવન આતંકવાદ દ્વારા છીનવાઈ ગયા હતા."

વૈશ્વિક સમુદાયની સહિયારી જવાબદારી

જયશંકરે પોતાના સંબોધનમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી અને કહ્યું, "આતંકવાદનો તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સામનો કરવાની આપણી બધાની સહિયારી અને તાત્કાલિક જવાબદારી છે. અહીં ફક્ત યાદ જ નહીં, પરંતુ પ્રતિબદ્ધતાની જરૂર છે."

તેમણે કહ્યું હતું કે આ પ્રદર્શન આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સનો મોટો સંદેશ છે. તેમણે કહ્યું હતું કે, "આતંકવાદીઓને કોઈ છૂટ મળવી જોઇએ નહીં. પરમાણુ બ્લેકમેલ સામે ઝૂકવું જોઇએ નહીં. આતંકવાદનું સમર્થન કરનારાઓને ખુલ્લા પાડવા જોઈએ અને તેનો સામનો કરવો જોઈએ. આતંકવાદ દરેક જગ્યાએ શાંતિ માટે ખતરો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
War: અમેરિકાનો ઈરાન પર ત્રીજા દિવસે હુમલો, બુશહર-ચાબહાર સહિતના અનેક ઠેકાણાઓ ધ્રુજી ઉઠ્યા, 14ના મોત
War: અમેરિકાનો ઈરાન પર ત્રીજા દિવસે હુમલો, બુશહર-ચાબહાર સહિતના અનેક ઠેકાણાઓ ધ્રુજી ઉઠ્યા, 14ના મોત
US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?
US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Embed widget