શોધખોળ કરો

'આતંક વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ હોય', સંયુક્ત રાષ્ટ્રમાં વિદેશમંત્રી એસ જયંશકરનું નિવેદન

જયશંકરે સ્પષ્ટ સંદેશ આપ્યો કે વિશ્વને હવે આતંકવાદ સામે એક થવું પડશે. તેમણે વૈશ્વિક સમુદાયને એક થવા વિનંતી કરી હતી

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં "The Human Cost of Terrorism" નામના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતી વખતે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સ્પષ્ટ સંદેશ આપ્યો કે વિશ્વને હવે આતંકવાદ સામે એક થવું પડશે. તેમણે વૈશ્વિક સમુદાયને એક થવા વિનંતી કરી અને કહ્યું હતું કે આતંકવાદીઓને કોઈ છૂટ ન મળવી જોઈએ.

વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, 'આતંકવાદીઓને કોઈપણ સંજોગોમાં છૂટ ન આપવી જોઈએ. તેમને પ્રોક્સી તરીકે જોવાનું બંધ કરો અને કોઈપણ પ્રકારના પરમાણુ બ્લેકમેઇલિંગને વશ થવું જોઇએ નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહલગામ હુમલા પર ભારતનો પ્રતિભાવ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના સંદેશને રેખાંકિત કરે છે.

'ઓપરેશન સિંદૂર' અને પહલગામ હુમલાનો ઉલ્લેખ

જયશંકરે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો જેમાં 26 લોકો નિર્દયતાથી માર્યા ગયા હતા. તેમણે કહ્યું હતું કે આ ઘૃણાસ્પદ કૃત્યની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા સખત નિંદા કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી છે કે તેના ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આવે અને ન્યાય મળે.

'આતંકવાદ દરેક જગ્યાએ શાંતિ માટે ખતરો છે'

જયશંકરે કહ્યું હતું કે, "હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આતંકવાદ ગમે ત્યાં હોય પણ તે સમગ્ર વિશ્વની શાંતિ માટે ખતરો છે. તેથી, કોઈપણ દેશ દ્વારા પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવો અને તેની સામે પગલાં લેવા જરૂરી છે. આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. તે સંયુક્ત રાષ્ટ્રના તમામ સિદ્ધાંતોની વિરુદ્ધ છે, જેના માટે માનવ અધિકારો, નિયમો અને ધોરણો છે"

પ્રદર્શનમાં બતાવામાં આવી આતંકવાદની ભયાનકતા

જયશંકરે પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે મોટી સંખ્યામાં હાજર યુએન રાજદૂતો, યુએનના વરિષ્ઠ કર્મચારીઓ, અધિકારીઓ અને રાજદૂતોને સંબોધિત કર્યા. ડિજિટલ પ્રદર્શનમાં વિશ્વભરમાં કરવામાં આવેલા ભયાનક આતંકવાદી હુમલાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

પ્રદર્શનમાં 1993ના મુંબઈ વિસ્ફોટ, 2008ના મુંબઈ હુમલા અને 2024ના પહલગામ હુમલા જેવી ઘટનાઓના ભયાનક દ્રશ્યો અને વિગતોનો સમાવેશ થાય છે. તે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓના નામ પણ પ્રકાશિત કરે છે. જયશંકરે કહ્યું હતું કે આ પ્રદર્શન એ લોકોનો અવાજ છે જેઓ હવે બોલી શકતા નથી, જેઓ આપણાથી દૂર થઈ ગયા છે અને આતંકવાદના વિનાશથી નાશ પામેલા જીવનની યાદ અપાવે છે. આ તે નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ છે જેમના જીવન આતંકવાદ દ્વારા છીનવાઈ ગયા હતા."

વૈશ્વિક સમુદાયની સહિયારી જવાબદારી

જયશંકરે પોતાના સંબોધનમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી અને કહ્યું, "આતંકવાદનો તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સામનો કરવાની આપણી બધાની સહિયારી અને તાત્કાલિક જવાબદારી છે. અહીં ફક્ત યાદ જ નહીં, પરંતુ પ્રતિબદ્ધતાની જરૂર છે."

તેમણે કહ્યું હતું કે આ પ્રદર્શન આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સનો મોટો સંદેશ છે. તેમણે કહ્યું હતું કે, "આતંકવાદીઓને કોઈ છૂટ મળવી જોઇએ નહીં. પરમાણુ બ્લેકમેલ સામે ઝૂકવું જોઇએ નહીં. આતંકવાદનું સમર્થન કરનારાઓને ખુલ્લા પાડવા જોઈએ અને તેનો સામનો કરવો જોઈએ. આતંકવાદ દરેક જગ્યાએ શાંતિ માટે ખતરો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget