શોધખોળ કરો

Nepal Politics: નેપાળમાં 'પ્રચંડ' સરકાર પડી, વિશ્વાસ મત ગુમાવ્યા બાદ દહલે રાજીનામું આપ્યું

ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્માની આગેવાની હેઠળના CPN UMLએ પ્રચંડની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધા પછી પ્રચંડને વિશ્વાસ મતનો સામનો કરવો પડ્યો.

Nepal PM Prachanda loses trust vote: નેપાળના વડાપ્રધાન રહેલા પુષ્પ કમલ દહલ પ્રચંડ માટે શુક્રવાર (12 જુલાઈ)નો દિવસ એક ખરાબ દિવસ સાબિત થયો. તેમણે સંસદમાં પોતાનો વિશ્વાસમત ગુમાવી દીધો. ત્યારબાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું. જેના પછી હવે પ્રશ્ન થવા લાગ્યો છે કે નેપાળના આગામી વડાપ્રધાન કોણ બનશે?

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ સંસદના નીચલા ગૃહમાં વિશ્વાસમત મેળવી શક્યા નહીં. તેમના સમર્થનમાં માત્ર 63 મત પડ્યા જ્યારે વિરોધમાં 193 મત. આમાં એક સાંસદે મતદાનમાં ભાગ લીધો ન હતો. સંસદમાં કુલ 258 સાંસદો હાજર હતા.

4 વાર વિશ્વાસમત મેળવી ચૂક્યા હતા, પાંચમી વખતે હાર્યા

ગયા અઠવાડિયે તેમની સરકારમાંથી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સવાદી લેનિનવાદી (સીપીએન-યુએમએલ)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. દેશની 275 સભ્યોની પ્રતિનિધિ સભામાં 69 વર્ષના પ્રચંડને 63 મત મળ્યા, જ્યારે વિશ્વાસમત પ્રસ્તાવની વિરુદ્ધમાં 194 મત પડ્યા. વિશ્વાસમત મેળવવા માટે ઓછામાં ઓછા 138 મતની જરૂર હતી. પ્રચંડ 25 ડિસેમ્બર, 2022ના રોજ પદ સંભાળ્યા પછી ચાર વખત વિશ્વાસમત મેળવવામાં સફળ રહ્યા, પરંતુ આ વખતે તેમને નિષ્ફળતા મળી.

નેપાળનો આગામી વડાપ્રધાન કોણ?

પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વ હેઠળની સીપીએન-યુએમએલએ સદનમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે સત્તા-ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી ગયા અઠવાડિયે પ્રચંડના નેતૃત્વવાળી સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પહેલેથી જ આગામી વડાપ્રધાન તરીકે ઓલીનું સમર્થન કરી ચૂક્યા છે. નેપાળી કોંગ્રેસ પાસે પ્રતિનિધિ સભામાં 89 બેઠકો છે, જ્યારે સીપીએન-યુએમએલ પાસે 78 બેઠકો છે. આ રીતે બંનેની સંયુક્ત સંખ્યા 167 છે, જે નીચલા ગૃહમાં બહુમતી માટે જરૂરી 138થી ઘણી વધારે છે.

275 સભ્યોની પ્રતિનિધિ ધરાવતા નેપાળના નીચલા ગૃહમાં સરકારની રચના માટે 138 સભ્યોની જરૂર હોય છે, જ્યારે નેકા અને સીપીએન-યુએમએલ ગઠબંધન પાસે 167 સભ્યોનું બળ છે જે નીચલા ગૃહમાં બહુમતીના આંકડા કરતાં ઘણું વધારે છે. આથી આશાઓ લગાવવામાં આવી રહી છે કે દેઉબા અને ઓલીની સત્તામાં વાપસી થઈ શકે છે. નેકા અને સીપીએન-યુએમએલ વચ્ચે થયેલા સમજૂતી મુજબ ઓલી અને દેઉબા વારાફરતી ત્રણ વર્ષ સુધી વડાપ્રધાન પદ સંભાળશે. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ પહેલેથી જ ઓલીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપી દીધું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
Embed widget