શોધખોળ કરો

Hezbollah Attacks Israel: બંકરમાં છુપાયા નેતન્યાહુ, ઇઝરાયેલમાં 48 કલાકની ઈમરજન્સી જાહેર, હિઝબુલ્લાના હુમલાથી હાહાકાર

Hezbollah Attacks Israel: લેબનોન સ્થિત હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ હુમલાઓનો મારો શરૂ કર્યો છે. આ સાથે હિઝબુલ્લાએ મોટા પાયે સૈન્ય કાર્યવાહીની પણ જાહેરાત કરી છે.

Hezbollah Attacks Israel: લેબનોન સ્થિત હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ હુમલાઓનો મારો શરૂ કર્યો છે. આ સાથે હિઝબુલ્લાએ મોટા પાયે સૈન્ય કાર્યવાહીની પણ જાહેરાત કરી છે. હિઝબુલ્લા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટકથી ભરેલા ડ્રોન ઈઝરાયેલના મહત્વપૂર્ણ સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવવા માટે લોન્ચ કરવામાં આવ્યા છે. હિઝબુલ્લાએ દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલ પર 320 થી વધુ કત્યુશા રોકેટ છોડ્યા છે. જેરુસલેમ પોસ્ટે ઇઝરાયલી સંરક્ષણ દળના પ્રવક્તા ડેનિયલ હગારીને ટાંકીને કહ્યું કે હિઝબુલ્લાહનો હુમલો ત્યારે થયો જ્યારે ઇઝરાયેલે તેના સંરક્ષણમાં લેબનોનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા.

 

ઈઝરાયેલ-લેબનોનમાં ઈમરજન્સી બેઠક

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈમરજન્સીની સ્થિતિને જોતા તમામ મંત્રીઓના મીડિયા ઈન્ટરવ્યુ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લેબનોનના વડાપ્રધાને પણ કેબિનેટની બેઠક બોલાવી છે. ઈઝરાયેલ સાથે યુદ્ધની સ્થિતિને જોતા લેબનીઝ સરકારની ઈમરજન્સી બેઠક યોજાઈ રહી છે.

બીજી તરફ હિઝબુલ્લાએ જાહેરાત કરી છે કે તેણે બેરૂતમાં ફુઆદ શુક્રની હત્યાનો બદલો લેવા ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. હિઝબુલ્લા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન ઇઝરાયેલની બેરેક અને સંરક્ષણ સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી છે. ડ્રોન તેમના લક્ષ્યો માટે યોજના મુજબ કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગત મહિને બેરૂતના ઉપનગરીય વિસ્તારમાં ઈઝરાયેલ દ્વારા ફુઆદશુક્રની હત્યા કરવામાં આવી હતી. ફુઆદ શુક્ર હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર હતો. હિઝબુલ્લાએ કહ્યું છે કે તેણે 11 સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા છે.

નેતન્યાહુને ભૂગર્ભ બંકરમાં લઈ જવામાં આવ્યા
હિઝબુલ્લાના હુમલા બાદ ઈઝરાયેલમાં ગભરાટનો માહોલ છે. હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને અંડરગ્રાઉન્ડ બંકરમાં લઈ જવામાં આવ્યા છે. તે જ સમયે, બેન ગુરીલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કામગીરી બંધ કરી દેવામાં આવી છે. સમગ્ર ઈઝરાયેલમાં 48 કલાકની ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ચારેબાજુ અરાજકતાનું વાતાવરણ છે અને એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ ઈઝરાયેલમાં હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલાથી ઉદ્ભવેલી ગભરાટનો પુરાવો આપી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે IDFએ રવિવારે સવારે હિઝબુલ્લાહની જગ્યાઓ પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલે કહ્યું હતું કે હિઝબુલ્લાહ મોટા પાયે હુમલાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયેલ પર હિઝબોલ્લાહના હુમલાની લાંબા સમયથી આશંકા હતી, કારણ કે ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ ગયા મહિને ફુઆદ શુક્રની હત્યાનો બદલો લેવા માટે મક્કમ હતા.

હિઝબુલ્લાહ હુમલાને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે સુરક્ષા કેબિનેટની બેઠક યોજી હતી. નેતન્યાહુના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રક્ષા મંત્રી યોવ ગૈલેન્ટે સમગ્ર ઈઝરાયેલમાં 48 કલાકની ઈમરજન્સી જાહેર કરી છે. ઈમરજન્સીની ઘોષણા બાદ ઈઝરાયેલના બેન ગુરિયન ઈન્ટરનેશનલ એરપોર્ટે ફ્લાઈટ્સના સંચાલનમાં વિલંબ અને ડાયવર્ઝનની જાહેરાત કરી છે. ઇમરજન્સી સેવાઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો...

Israel-Hezbollah War: મીડલ ઇસ્ટમાં મોટું યુદ્ધ થશે ? 5 પૉઇન્ટમાં સમજો કેમ આમને-સામને આવ્યા ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
રાજકોટ મનપાની ઘોર બેદરકારી, ગટરના તૂટેલા ઢાંકણાથી બાઈક સ્લીપ થતા એકનું મોત
રાજકોટ મનપાની ઘોર બેદરકારી, ગટરના તૂટેલા ઢાંકણાથી બાઈક સ્લીપ થતા એકનું મોત
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
Embed widget