શોધખોળ કરો

New York Ram Mandir: અમેરિકામાં રામ મંદિરની ઝાંખીને લઈને વિવાદ, એકજૂથ થયા મુસ્લિમ સંગઠનો, કરી આ મોટી માંગ

New York Ram Mandir: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રવિવારે (18 ઓગસ્ટ) નીકળશે ઇન્ડિયા ડે પરેડ, રામ મંદિરની ઝાંખીનો થવા લાગ્યો વિરોધ

New York Ram Mandir: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રવિવારે (18 ઓગસ્ટ) યોજાનારી ઇન્ડિયા ડે પરેડને લઈને વિવાદ થઈ ગયો છે. તેમાં સામેલ થનારી રામ મંદિરની ઝાંખીનો ઘણા સંગઠનોએ વિરોધ કર્યો છે. ઘણા સંગઠનોએ તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું અને કહ્યું કે તેને કાર્યક્રમમાંથી દૂર કરી દેવું જોઈએ. આ ઝાંખીમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરને દર્શાવવામાં આવ્યું છે. વિરોધ કરનારા સંગઠનોનું માનવું છે કે આ ઝાંખીમાં જે મંદિરને દર્શાવવામાં આવ્યું છે, તે એક વિવાદિત મસ્જિદ પર બનાવવામાં આવ્યું છે, તેથી તેને મુસ્લિમ વિરોધી ગણાવીને ટીકા કરી છે અને તેને દૂર કરવાની માંગ કરી છે. આને લઈને કેટલાક અમેરિકી સંગઠનોએ ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ અને ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલને પત્ર લખીને આ ઝાંખીને મુસ્લિમ વિરોધી ગણાવી છે અને કહ્યું છે કે આ મસ્જિદને તોડી પાડવાનું મહિમામંડન કરે છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયને ફગાવ્યા આરોપો

ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ અને અન્ય ધાર્મિક જૂથોએ પરેડના આયોજકોને આ ઝાંખીને દૂર કરવાની માંગ કરી છે. તેઓ કહે છે કે રામ મંદિર તે મંદિરનું પ્રતીક છે, જે મસ્જિદને ધ્વસ્ત કરવાનું અને દક્ષિણ એશિયાઈ દેશમાં મુસલમાનો વિરુદ્ધ હિંસાને મહિમામંડિત કરે છે. જ્યારે, પરેડના આયોજકોએ ઝાંખીને દૂર કરવાની માંગને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે આ ઝાંખી કરોડો હિંદુઓ માટે મહત્વપૂર્ણ પવિત્ર સ્થળને દર્શાવે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સના ચેરમેન અંકુર વૈદ્યએ એક નિવેદનમાં કહ્યું કે અમે કોઈપણ પ્રકારની હિંસા અને નફરતના આરોપોને નકારીએ છીએ. આને કોઈપણ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડીને બનાવવામાં આવ્યું નથી. વિશ્વ હિંદુ પરિષદ ઓફ અમેરિકાનું કહેવું છે કે આ એક હિંદુ પૂજા સ્થળનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનો ઉદ્દેશ્ય ભારતીય અને હિંદુ ઓળખના મહત્વપૂર્ણ ભાગ તરીકે જોવામાં આવતા દેવતાનું મહિમામંડન કરવાનો છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને કહ્યું કે આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એક પ્રયાસ છે. એસોસિએશને કહ્યું કે આ પરેડ ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમાં વિવિધ સમુદાયોની ઝાંખીઓ સામેલ હશે.

મેયરે કહ્યું, નફરત માટે કોઈ જગ્યા નથી

જ્યારે, મેયર એરિક એડમ્સે આ અઠવાડિયાની શરૂઆતમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે નફરત માટે કોઈ જગ્યા નથી. જો પરેડમાં કોઈ ઝાંખી અથવા કોઈ વ્યક્તિ જે નફરતને પ્રોત્સાહન આપી રહ્યો છે, તો તેમણે આવું ન કરવું જોઈએ. એડમ્સના કાર્યાલયે પછીથી AP ને જણાવ્યું હતું કે અમેરિકી બંધારણ હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર દરેકને છે.

આ પણ વાંચોઃ મુસલમાન ક્યારેય પણ...', PM નરેન્દ્ર મોદીનું નામ લઈને AIMPLB એ આપ્યું મોટું નિવેદન, જાણો - શું કહ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget