શોધખોળ કરો

Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત

Omicron in Netherland: નેધરલેન્ડના પીએમ માર્ક રૂટ આજે સ્વાસ્થ્ય નિષ્ણાતો સાતે બેઠક કરશે. જેમાં લોકડાઉનને લઈ ચર્ચા થઈ શકે છે.

Omicron in Netherland: કોરોનાનો વેરિયંટ ઓમિક્રોન આખી દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHO અનુસાર, આ વાયરસ અત્યાર સુધીમાં 77 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને કોરોનાના કોઈપણ પ્રકાર કરતાં વધુ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે.

દરમિયાન, તમામ દેશો સંક્રમણની સાંકળને તોડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. લોકડાઉન લાદવાથી લઈને સાવચેતીના ભાગરૂપે પરીક્ષણ વધારવા સુધીના તમામ પગલાં લઈ રહ્યા છે. આ દરમિયાન કોવિડ -19 વ્યૂહરચના પર નેધરલેન્ડ્સને સલાહ આપતા આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું કે ઓમિક્રોનથી બચવા માટે દેશને સંપૂર્ણ લોકડાઉનમાંથી પસાર થવું પડશે.

આરોગ્ય પ્રધાન હ્યુગો ડી જોંગે શુક્રવારે કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા પ્રસારને લઈને ચિંતિત છે. હ્યુગો ડી જોંગે કહ્યું, 'હું મારા તરફથી કંઈ કહીશ નહીં પરંતુ સરકાર સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહનું પાલન કરશે. નેધરલેન્ડના PM માર્ક રૂટ આજે સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે બેઠક કરશે. આ મીટીંગમાં ઓમીકોનની ચેઇન તોડવા માટે લેવાતા પગલાઓ અંગે નિર્ણય લેવામાં આવશે.

સંપૂર્ણ લોકડાઉનનો થઈ રહ્યો ચૂક્યો છે વિરોધ

નેધરલેન્ડમાં નવેમ્બરમાં જ લોકોએ કોરોના વાયરસ સંબંધિત પ્રતિબંધોના વિરોધમાં હિંસક પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં ઘણા નાગરિકો ઘાયલ થયા હતા. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અહીં કોરોના વાયરસ સંબંધિત પ્રતિબંધો સામે વિરોધ થયો હોય. અગાઉ જાન્યુઆરીમાં પણ લોકોએ સંપૂર્ણ લોકડાઉનનો વિરોધ કર્યો હતો.

ભારતમાં શું છે ઓમિક્રોનની સ્થિતિ

દેશમાં કોરોના મહામારીના ઘટતા પ્રકોપ વચ્ચે ઓમિક્રોનના કેસ સતત વધતાં કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં ઓમિક્રોનના ૨૮ કેસ નોંધાતા કોરોનાના નવા વેરિઅન્ટના કુલ કેસ ૧૧૫ થયા છે. કેન્દ્ર સરકારે લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે લોકો સાવધાની નહીં રાખે અને કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરે તો ભારતમાં પણ યુરોપ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. સરકારે લોકોને બિન આવશ્યક પ્રવાસ ટાળવો જોઈએ તેમજ નવા વર્ષની ઊજવણીઓ અને મેળાવડાઓ ટાળવા જોઈએ. દેશમાં શુક્રવારે એક સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના આઠ, દિલ્હીમાં ૧૨, કેરળ, તેલંગાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ૨-૨ કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કુલ ૪૦, દિલ્હીમાં ૨૨, રાજસ્થાનમાં ૧૭, કર્ણાટકમાં ૮, તેલંગાણામાં ૮, ગુજરાતમાં ૭, કેરળમાં ૭, ઉત્તર પ્રદેશમાં ૨, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ૧-૧ કેસ નોંધાયા છે.

ઓમિક્રોન અને કોરોના મહામારીએ વિશ્વભરમાં માથું ઉંચક્યું છે ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધતાં કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે ઓમિક્રોનના કેસ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ ઝડપે વધી શકે છે. દેશવાસીઓએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. નહીં તો ભારતમાં પણ યુરોપ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે યુરોપમાં કોરોનાની નવી લહેર અંગે ચેતવણી આપી છે.

ટોપ સ્ટોરી

'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં
કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં
Embed widget