શોધખોળ કરો

Pahalgam Attack: ભારતે સિંધુ સંધી સ્થગિત કરો તો પાકિસ્તાને શિમલા કરાર રદ્દ કર્યો, જાણો પીએમ શાહબાઝના પાંચ નિર્ણયો

Pahalgam Attack: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આજે એક મહત્વપૂર્ણ સુરક્ષા બેઠક બોલાવી છે. આ બેઠક શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં ઇસ્લામાબાદમાં યોજાઈ હતી.

Pahalgam Attack: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આજે એક મહત્વપૂર્ણ સુરક્ષા બેઠક બોલાવી છે. આ બેઠક શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં ઇસ્લામાબાદમાં યોજાઈ હતી. આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં પાકિસ્તાનના ત્રણેય સેના પ્રમુખો, મહત્વપૂર્ણ મંત્રીઓ, ટોચના નાગરિક અને લશ્કરી અધિકારીઓએ હાજરી આપી હતી. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા. પાકિસ્તાને કહ્યું કે જો ભારત પાણી રોકે છે તો તેને યુદ્ધ માનવામાં આવશે.

  • પાકિસ્તાને ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારો તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે.
  • પાકિસ્તાને શિમલા કરાર પણ અટકાવી દીધો.
  • પાકિસ્તાને વાઘા બોર્ડર પણ બંધ કરી દીધી.
  • પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું.
  • પાકિસ્તાને દેશમાં હાજર તમામ ભારતીયોને 30 એપ્રિલ સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ જારી કર્યો છે.

શાહબાઝ સરકારે ભારતને આપી વોર્નિંગ

મંગળવારે (22 એપ્રિલ 2025) જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. ભારતે આવા ઘણા પગલાં લીધા છે, જેમાં 1960ની સિંધુ જળ સંધિનો અંત લાવવાનો પણ સમાવેશ થાય છે, જેની અસર પાકિસ્તાનના તમામ નાગરિકો પર પડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન પાકિસ્તાને  એર સ્પેસને લઈને એક મોટો નિર્ણય લીધો છે.

પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું

પાકિસ્તાને ભારત આવતી અને જતી કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. પાકિસ્તાનની શાહબાઝ સરકારના જણાવ્યા અનુસાર, હવે ભારતીય ફ્લાઇટ્સને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના અને રાજદ્વારી સંબંધોને ઓછા કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ગુરુવારે (24 એપ્રિલ, 2025) એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ બોલાવી હતી.

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે બુધવારે મોડી રાત્રે એક ખાનગી ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા ભારતના આ પગલાને ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો. પહેલગામ હુમલા પછી જેદ્દાહથી તાત્કાલિક પરત ફરતી વખતે, પીએમ નરેન્દ્ર મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું નહીં અને બીજો રસ્તો પસંદ કર્યો. આ પહેલા મંગળવારે (22 એપ્રિલ, 2025) જેદ્દાહ જતી વખતે, પીએમનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું હતું.

ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી

પહેલગામ આતંકવાદી હુમલાના પગલે, ભારતે બુધવારે પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધોમાં ભારે ઘટાડો કરવા, છ દાયકાથી વધુ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને અટારી ચેકપોસ્ટ બંધ કરવા સહિતના અનેક નિર્ણયો લઈને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો. રાજદ્વારી સંબંધોમાં વધુ ઘટાડો કરીને, પાકિસ્તાની અને ભારતીય ઉચ્ચાયોગમાં તૈનાત કર્મચારીઓની કુલ સંખ્યા 1 મે સુધીમાં 55 થી ઘટાડીને 30 કરવામાં આવશે.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે સીસીએસે નિર્ણય લીધો છે કે હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમના પ્રાયોજકોને જવાબદાર ઠેરવવામાં આવશે. મિશ્રીએ જણાવ્યું હતું કે 1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું વિશ્વસનીય રીતે બંધ ન કરે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા પણ કેન્સલ કરી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Embed widget