શોધખોળ કરો

'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું

Pakistan: કારગિલ યુદ્ધ અંગે પાકિસ્તાને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે 1999માં તેની ભૂમિકા હતી. આ પહેલા પાકિસ્તાને ક્યારેય સ્વીકાર્યું નહોતું કે કારગિલ યુદ્ધમાં પાક સેના પણ સામેલ હતી.

Pakistan Defence Day: પાકિસ્તાનની સેનાએ સત્તાવાર રીતે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે 1999ના કારગિલ યુદ્ધમાં તેની ભાગીદારી હતી. જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે (6 સપ્ટેમ્બર) રક્ષા દિવસના અવસરે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે કારગિલમાં પાક સેનાના જવાનોના મૃત્યુની વાત સ્વીકારી. આ પહેલા ક્યારેય આ વાત સ્વીકારવામાં આવી નહોતી.

જોકે, અત્યાર સુધી પાકિસ્તાનના કોઈપણ સેના પ્રમુખ પછી તે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) શાહિદ અઝીઝ અને પૂર્વ પીએમ નવાઝ શરીફે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનના સામેલ થવાની વાત માની હતી. આ ઉપરાંત 1999ના કારગિલ સંઘર્ષ દરમિયાન પાક સેના પ્રમુખ રહેલા જનરલ પરવેઝ મુશર્રફે પોતે ઘણી વખત આ વાતને સ્વીકારી છે.

જાણો પાક સેના પ્રમુખે શું કહ્યું?

જનરલ મુનીરે કહ્યું કે પાકિસ્તાની સમુદાય બહાદુરોનો સમુદાય છે. જે સ્વતંત્રતાના મહત્વ અને તેના માટે ચૂકવવાની રીતને સમજે છે. પછી તે 1948, 1965, 1971 હોય કે 1999નું કારગિલ યુદ્ધ, હજારો સૈનિકોએ દેશ અને ઇસ્લામ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આને પાકિસ્તાની સેનાનો છેલ્લા 25 વર્ષમાં પ્રથમ સ્વીકાર માનવામાં આવી રહ્યો છે. જોકે, આ પહેલા પાકિસ્તાની સેનાના કોઈપણ જનરલે પદ પર રહેતા કારગિલ યુદ્ધ અંગે આવું સ્પષ્ટ નિવેદન આપ્યું નહોતું.

કારગિલ યુદ્ધમાં PAK સેનાનો ઉપયોગ કરવા અંગે ઇનકાર કરતો રહ્યો

આ પહેલા પાકિસ્તાન શરૂથી દાવો કરતું આવ્યું છે કે કારગિલ યુદ્ધમાં કાશ્મીરી ઉગ્રવાદીઓ સામેલ હતા, જેમને તે મુજાહિદીન કહે છે. આ કારણે તે કારગિલ યુદ્ધમાં મારવામાં આવેલા પોતાના સૈનિકોના મૃતદેહોને લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો. જેના પછી ભારતે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે પાકિસ્તાની સૈનિકોનો અંતિમ સંસ્કાર કર્યો હતો.

કારગિલની શરૂઆત PAK સેના અને આતંકવાદીઓએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરીથી કરી

જણાવી દઈએ કે કારગિલ યુદ્ધની શરૂઆત પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓની ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરીથી થઈ હતી, જેનો હેતુ કારગિલ જિલ્લામાં વ્યૂહાત્મક સ્થળો પર કબજો કરવાનો હતો. સંઘર્ષનો અંત ભારતની નિર્ણાયક જીત અને આ ક્ષેત્રમાંથી પાકિસ્તાની સેનાની વાપસી સાથે થયો. તે સમયે અમેરિકા અને અન્ય મુખ્ય દેશો સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયે સંઘર્ષમાં તેની ભૂમિકા માટે પાકિસ્તાનની ટીકા કરી હતી.

આ પણ વાંચોઃ

પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget