શોધખોળ કરો

કેનેડાએ ભારતમાં કોન્સ્યુલર સર્વિસ સસ્પેન્ડ કરી, અરજદારો અટવાયા

નોટિસ જોઈ વિઝા સર્વિસ સેન્ટરમાં  તેમના દસ્તાવેજો સબમિટ કરવા આવેલા અરજદારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

India Canada Conflict: ભારત અને કેનેડા વચ્ચે વધતા જતા રાજદ્વારી તણાવ વચ્ચે,  દિલ્હી ઓફિસ સિવાયની તમામ  કેનેડાના કોન્સ્યુલેટ જનરલ ઓફિસની સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. સેવાઓ હવે નવી દિલ્હીમાં કેનેડાના હાઈ કમિશનને રીડાયરેક્ટ કરવામાં આવશે.

ચંદીગઢમાં ઔદ્યોગિક વિસ્તાર, ફેઝ 1માં એલાંટે કોમ્પ્લેક્સના 4થા માળે આવેલી કોન્સ્યુલેટ જનરલ ઓફિસમાં એક નોટિસ સ્પષ્ટપણે પ્રદર્શિત કરવામાં આવી  છે. તેમાં લખ્યું છે કે, “અમે ચંદીગઢમાં કેનેડાના કોન્સ્યુલેટ જનરલની કોન્સ્યુલેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. કોન્સ્યુલેટ વિભાગ, હાઇ કમિશન ઓફ કેનેડા, 7/8 શાંતિ પથ, ચાણક્યપુરી, નવી દિલ્હીનો સંપર્ક કરો.

જો કે વાણિજ્ય દૂતાવાસની ઓફિસ ખુલ્લી રહેશે, તેની સેવાઓ અટકાવી દેવામાં આવી છે, સ્થળ પરના એક સુરક્ષા કર્મચારીએ પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે સસ્પેન્શનની અવધિ અંગે અનિશ્ચિતતા છે. સેવાઓ સ્થગિત કરવામાં આવતા કેનેડિયન વિઝા મેળવવા માંગતા વ્યક્તિઓની ગતિશીલતા અને સગવડતા પર રાજદ્વારી મુદ્દાઓની અસર વિશે પ્રશ્નો ઉભા કરે છે.

આ નોટિસ જોઈ વિઝા સર્વિસ સેન્ટરમાં  તેમના દસ્તાવેજો સબમિટ કરવા આવેલા અરજદારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બિઝનેસ ટ્રાવેલર રાજેશ વર્માએ જણાવ્યું હતું કે, “કેનેડામાં વારંવાર મુલાકાત લેતા હોવાથી આ નિર્ણયથી તેમની યોજનાઓ ખોરવાઈ ગઈ છે. મારી વિઝા અરજી માટે દિલ્હી ઓફિસ સાથે સંકલન કરવું એક પડકાર છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, "ભારતમાં કેનેડાના રાજદ્વારી હાજરીને નોંધપાત્ર રીતે ઘટાડવાની માંગના જવાબમાં કેનેડિયન રાજદ્વારીઓના ભારતમાંથી વિદાયથી અમે ચિંતિત છીએ. અમેરિકાએ કહ્યું છે કે તેણે કેનેડાના આરોપોને ગંભીરતાથી લીધા છે. આ સિવાય બ્રિટનની સાથે ભારતને પણ આ હત્યાની તપાસમાં કેનેડાને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. કેનેડા સાથે તણાવ બાદ પશ્ચિમી સત્તાઓએ ભારતની નિંદા કરવાનું ટાળ્યું છે. રોયટર્સે વિશ્લેષકોને ટાંકીને કહ્યું કે અમેરિકા અને બ્રિટન ભારત સાથેના સંબંધોમાં કોઈ કડવાશ નથી ઈચ્છતા અને સંબંધોમાં કોઈપણ પ્રકારનું નુકસાન ઈચ્છતા નથી. બંને દેશો ભારતને તેમના મુખ્ય એશિયાઈ હરીફ ચીનની સામે રાખવા માંગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget